SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ re જીવાજીવાભિગમ – ૭|-|૩૬ ૬ કાળ જઘન્યથી એક સમયનો છે અને ઉત્કૃષ્ટથી પણ એકસમયનો છે. અપ્રથમ સમય વર્તિ મનુષ્યની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમય કમ ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથક્ત્વ અધિક ત્રણ પલ્યોપમ રૂપ છે. પ્રથમ સમયવર્તી વૈરયિકનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્ત અધિકદ સ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ પ્રમાણનું છે. અપ્રથમ સમયવર્તી નૈરિયકનું અંતર કાળની અપેક્ષાથી જઘન્યથી એક સમય અધિક અંતર્મુહૂર્તનું છે. પ્રથમ સમયવર્તી તિર્યંગ્યોનિક જીવનું કાળની અપેક્ષાથી જઘન્ય અંતર એક સમય કમ બે ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે. ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિ કાલ પ્રમાણનું છે. અપ્રથમસમયવર્તી તિર્યંગ્યોનિક જીવનું અંતર જઘન્યથી એક સમય અધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી સાગરોપમ શત પૃથ રૂપ છે. મનુષ્યનું અંતર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાલ પ્રમાણ છે. નૈયિકોનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક ૧૦ દસ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાલ પ્રમાણ છે. અપ્રથમ સમયવર્તી મનુષ્ય તેના કરતાં પ્રથમ સમયવર્તી નૈયિક અસંખ્યાત ગણા છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે દેવ છે. તે અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે તિર્યોનિક જીવ છે. તેઓ અસંખ્યાતગણા વધારે છે અપ્રથમ સમયવર્તી નૈરયિકોનું અને યાવત્ અપ્રથમ સમયવર્તી દેવોનું અલ્પ બહુત્વ એજ પ્રમાણે છે. સૌથી ઓછા અપ્રથમ સમયવર્તી મનુષ્ય છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી નૈરયિક અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં અપ્રથમસમયવર્તી દેવ અસંખ્યાતગણા વધારે છે તેના કરતાં અપ્રથમસમયવર્તી તિર્યંગ્યોનિક જીવ અનંતગણા વધારે છે. સૌથી ઓછા પ્રથમ સમયના નૈયિકો છે. અપ્રથમ સમયવર્તી જે નૈયિક છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. એજ પ્રમાણે તિર્યંચ્યોનિક, મનુષ્ય અને દેવોમાં પ્રથમસમય વર્તી તિર્યંચ્યોનિક, મનુષ્ય અને દેવ સૌથી અલ્પ છે. અનેઅ પ્રથમ સમયવર્તી તિર્યંગ્યો નિક, મનુષ્ય અને દેવ પોતામાના પ્રથમ સમયવર્તી તિર્યંચ્, મનુષ્ય અને દેવોના કરતાં અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે પ્રથમસમયવર્તી તિર્યંચ્યોનિક જીવ છે, તેઓ અસંખ્યાગણા વધારે છે. એજ પ્રમાણે પ્રથમ સમયવર્તી મનુષ્ય સૌથી અલ્પ છે. અને અપ્રથમ સમયવર્તી મનુષ્ય તેના કરતાં અસંખ્યાતગણા વધારે છે. એજ પ્રમાણે પ્રથમ સમયવર્તી દેવો સૌથી ઓછા છે. અને અપ્રથમ સમયવર્તી દેવા તેના કરતાં અસંખ્યાત ગણા વધારે છે. સૌથી ઓછા પ્રથમ સમયવર્તી મનુષ્યો છે, અપ્રથમ સમયવર્તી જે મનુષ્ય છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી નૈયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી તિર્યંગ્યોનિક જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવર્તી નૈરયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી તિર્યંચ્યોનિક જીવ અનંતગણા વધારે છે. કેમકે આ પ્રમાણે આઠ પ્રકારના સંસારી જીવોના સંબંધમાં કહેવામાં આવેલ છે. પ્રતિપત્તિ ૭-અષ્ટવિધની મુનિ દ્વીપ રત્ન સાગરે કરેલ ગુ ર્જર છાયા પ્રતિપત્તિઃ૮-નવવિધ [૩૭]જે આચાર્યોએ એવું કહેલ છે કે-સંસારી જીવ નવ પ્રકારના છે તેઓએ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy