SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર ૧૧૭. સંબંધી કથન ગોસ્તૂપ આવાસ પર્વતના કથન પ્રમાણે છે. ગૌતમ! આ દગાસીમ નામના આવાસ પર્વત પર શીતા અને શીતોદા માહનદીયોનો જલ પ્રવાહ વહેતો રહે છે. તેથી જલની સીમાનો કર્યા છે, તેનું નામ દગસીમ આવાસ પર્વત એ પ્રમાણે થયેલ છે. અથવા હે ગૌતમ ! આ દકસીમ એ નામ અનાદિ કાળભાવી છે. ત્રિકાલસ્થાયી ધ્રુવ નિયત, અવ્યય, યાવતુ નિત્ય છે. આ પર્વત પર મહર્બિક વિગેરે વિશેષણોવાળા મનશિલક નામના દેવ રહે છે. હે ભગવન્! મનઃલિક વેલંધર નાગરાજની મનઃશિલા નામની રાજધાની કયાં આવેલ છે ? હે ગૌતમ ! દકસીમ આવાસ પર્વતની ઉત્તર દિશામાં તિર્યકુ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને ત્યાં આવેલ બીજા લવણ સમુદ્રમાં ૧૨000 યોજન પછી મનઃશિલા નામની રાજધાની આવેલી છે. તેનું વર્ણન વિજયા રાજધાનીના વર્ણન પ્રમાણે છે. [૨૦] ગોસ્તૂપ પર્વત કનકમય છે. દકભાસ અંક રત્નમય છે. શંખ રજતમય છે, અને દકસીમ સ્ફટિકમય છે. પરંતુ જે મહાવેલંધર દેવ છે એ દેવોના અનુથાયી જે વેલંધર દેવ છે તેના જે આવાસ પર્વતો છે. તે રત્નમય છે. [૨૦]હે ભગવનું અનુવલંધર રૂપ નાગ રાજા કેટલા કહેલા છે? હે ગૌતમ! રાજા ચાર કહેલા છે. કર્કોટક, કર્દમ, કૈલાસ, અને અરૂણપ્રભ આ ચાર અનુવેલંધર નાગરાજા ઓના કેટલા આવાસ પર્વતો કહેલાં છે ? હે ગૌતમ ! ચાર આવાસપર્વતો કહેલા છે. કર્કોટક, કર્દમ, કૈલાસ અને અરૂણપ્રભ. જંબૂદ્વીપ નામના દ્વીપ માં જે મંદર પર્વત છે, એ મંદર પર્વતની ઈશાન દિશામાં લવણસમુદ્રમાં ૪૨000 યોજન આગળ જવાથી કર્કોટક નાગરાજનો કર્કોટક નામનો આવાસ પર્વત કહેલ છે. આ પર્વત ૧૭૨૧ યોજન ઉંચો છે. આ પ્રમાણેનું જેવું પરિમાણ વિગેરે ગોસ્તંભ પર્વતનું કહેલ છે, એ જ પ્રમાણેનું આ કર્કોટક નામના પર્વતનું પરિમાણ વિગેરે કથન સમજી લેવું. આ કર્કોટક પર્વતપર નાની મોટી અનેક વાવો છે. યાવતુ બિલ પંક્તિયો છે, એ બધામાં અનેક ઉત્પલો યાવતુ લાખ દલવાળા કમળો છે. એ બધાનો આકાર કર્કોટકના જેવો છે, અને કર્કોટકના જેવોજ તેનો વર્ણ છે. એ કારણથી આ પર્વતનું નામ કર્કોટક એ પ્રમાણે કહેલ છે. તથા આ પર્વત પર કર્કોટક એ નામના એક દેવ પણ રહે છે જે તો આ દેવના સંબંધને લઈને પણ આ પર્વતનું નામ કર્કોટક એ પ્રમાણે છે. કર્કોટક અનુવેલંધર નાગરાજની કર્કોટક નામની રાજધાની કર્કોટક પર્વતની ઈશાન દિશામાં તિર્યકુ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને ત્યાં આવેલ અન્ય લવણ સમુદ્રમાં ૧૨000 યોજન પ્રમાણ આગળ જવાથી આવે છે. કર્દમક અનુવલંધર નાગરાજના સંબંધમાં પણ એજ પ્રમાણેનું તમામ કથન કરી લેવું. જંબૂદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે, તેની આગ્નેય દિશામાં લવણ સમુદ્રમાં ૪૨૦૦૦ યોજન આગળ જવાથી કદમક અનુવેલંધર નાગરાજનો કર્દમક નામનો આવાસ પર્વત છે. ગોસ્તૂપાવાસ પર્વતની જેમજ અહીયા કર્દમની રાજધાનીનું ઇત્યાદિ જાણવું. કૈલાસના સંબંધમાં પણ આજ પ્રમાણેનું વર્ણન સમજવું. જેબૂદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે એ મંદર પર્વતની નૈઋત્ય દિશમાં લવણ સમુદ્રમાં ૪૨000 યોજના આગળ જવાથી કૈલાસ અનુવલંધર નાગરાજનો કૈલાસ એ નામનો આવાસપર્વત છે. તેની ઉપર મહદ્ધિક કૈલાસ નામનો દેવ રહે છે. કૈલાસ પર્વતની નૈઋત્ય દિશામાં કૈલાસ નામની રાજધાની છે. અરૂણપ્રભના સંબંધમાં પણ એ જ પ્રમાણેનું કથન સમજી લેવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy