SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ નાયાધમ કહાઓ- ૧-૫૮૯૧ મલ્લીનું આબેહૂબ રૂપ તો કોઇ દેવતા અથવા દાનવ પણ ચિત્રિત કરી ન શકે. અદીનશત્રુ રાજાએ દૂતને બોલાવ્યો. ઈત્યાદિ બધો વૃત્તાન્ત પૂર્વવતુ કહેવો. [૨] તે કાળ અને સમયમાં પંચાલ નામક જનપદમાં કોમ્પિલ્યપુર નામનું નગર હતું. ત્યાં જિતશત્રુ નામનો રાજા હતો. તે પંચાલ દેશનો અધિપતિ હતો. તે જિતશત્રુ . રાજાના અંતઃપુરમાં એક હજાર રાણીઓ હતી. મિથિલા નગરીમાં ચોકખા નામની પàિાજિકા રહેતી હતી. તે ચોખ્ખા પરિવ્રાજિકા મિથિલા નગરીમાં ઘણાં રાજા, ઈશ્વર યા યુવરાજ યાવતુ સાર્થવાહ આદિની સામે દાનધર્મ શૌચધર્મ અને તીર્થસ્નાનનું કથન કરતી, પ્રજ્ઞાપના કરતી, પ્રરૂપણા કરતી અને ઉપદેશ કરતી થકી રહેતી હતી. એકવાર કોઈ સમયે તે ચોખા પરિવારિકા ત્રિદેડ કંડિકા યાવતુ ગેરથી રંગેલા વસ્ત્રલઈને પસ્વિાજિકાઓના મઠથી નીકળી. નીકળીને થોડી-પરિવ્રાજા કિઓથી ઘેરાયેલી મિથિ લા નગરીની રાજધાનીની મધ્યમાં થઈને જ્યાં કુંભ રાજાનો ભવન હતો,જ્યાં કન્યાઓનો અંતપુર હતો, જ્યાં વિદેહની ઉત્તમ કન્યા મલ્લી હતી ત્યાં આવી. આવીને ભૂમિ પર પાણી છાંટ્યું તેનાપર ડાભ પાથર્યો. અને તેના પર આસન રાખીને બેઠી બેસીને વિદેહવા ૨૨ાજકન્યા મલ્લી સામે દાનધર્મ આદિનો ઉપદેશ દેવા લાગી. તે વિદેહવરરાજકન્યાએ ચોખા પરિવ્રાજિકાને પૂછ્યું- “હે ચોખ્ખા તમારા ધર્મનું મૂળ શું કહેલ છે?” ત્યારે ચોખા પરિવ્રાજિકાને ઉત્તર આપ્યો- દેવાનુપ્રિયે હું શૌચમુલક ધર્મનો ઉપદેશ આપું છું. અમારા મતમાં જે કોઈ પણ વસ્તુ અશુચિવાળી હોય તેને પાણીથી અને માટીથી શુદ્ધ કરાય છે, પાવતુ આ ધર્મનું પાલન કરવાથી અમે નિર્વિઘ્ન સ્વર્ગે જઈએ છીએ. ત્યાર પછી વિદેહરરાજકન્યા મલ્લીએ ચોખ્ખા પરિવ્રાજિકાને કહ્યું-“ચોખા ! જેમ કોઈ અમુક નામધારી પુરુષ રુધિરથી લિપ્ત વસ્ત્રને રુધિરથી જ ઘોવે તો હે ચોખ્ખા! તે રુધિરથીજ ધોયેલ વસ્ત્રની કાંઈ શુદ્ધિ થાય છે? પરિવ્રાજિકાએ ઉત્તર આપ્યો “નહીં, તે અર્થ સમર્થ નથી. મલ્લીએ કહ્યું – “આ પ્રમાણે ચોખા ! તમારા મતમાં પ્રાણાતિપાતથી યાવતું મિથ્યાદર્શનશલ્યથી કોઈ શુદ્ધિ નથી થતી, ત્યાર પછી વિદેહવરરાજકન્યા મલ્લી ના આ પ્રમાણે કહેવા પર તે ચોખા પરિ વાજિકાને શંકા ઉત્પન્ન થઈ, કાંક્ષા થઈ અને વિચિકિત્સા થઈ અને તે ભેદને પ્રાપ્ત થઈ તે મલ્લીને કંઈ પણ ઉત્તર દેવામાં સમર્થ ન થઈ શકી. તેથી મૌન રહી ગઈ. ત્યાર પછી મલ્લીની ઘણી દાસીઓ ચોકખા પરિવ્રાજિકાની હીલના કરવા લાગી, મનમાં નિંદા કરવા લાગી, વચનથી નિંદા કરવા લાગી. ગહ કરવા લાગી. કેટલીક દાસીઓ તેને ક્રોધિત કરવા લાગી-ચિડાવા લાગી, કોઈ કોઈ મુખ મચકાવવા લાગી, કોઈ કોઈ ઉપહાસ કરવા લાગી, કોઈ આંગળીઓથી તર્જના કરવા લાગી, કોઈ તાડના કરવા લાગી અને કોઇએ અર્ધચન્દ્ર દઈને તેને બહાર કાઢી દીધી. ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીની દાસીઓ દ્વારા યાવતુ અવહેલ ના કરાયેલી તે ચોખા એકદમ ક્રોધિત થઈ ગઈ અને ક્રોધથી ભભૂકતી થકી વિદેહવર રાજકન્યા મલ્લીના પ્રતિદ્વેષને પ્રાપ્ત થઇ. તેણે પોતાનું આસન ઉપાડ્યું અને કન્યાઓના અંતપુરમાંથી નીકળી ગઈ. ત્યાંથી નીકળીને મિથિલા નગરી માંથી પણ નીકળી અને પરિવ્રાજિકાઓની સાથે જ્યાં પંચાલ જનપદ હતું અને જ્યાં કાંડિત્યપુર નગર હતું, ત્યાં આવી અને ઘણા રાજાઓ અને ઈશ્વરો આદિની સામે યાવતુ પોતાના ધર્મની પ્રરૂપણા કરવા લાગી. જિતશત્રુ રાજા એકવાર પોતાના અંતાપુર અને પરિવારથી પરિવૃત થઈને Jain Education International For Privatė & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy