SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨. નાયાધમ કહાઓ - ૧-પ/૭૨ શ્રમણીઓ, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓની હીલનાનું પાત્ર થાય છે. યાવતુ તે લાંબા સમય સુધી સંસારમાં ભ્રમણ કરે છે. ત્યાર પછી પંથકને છોડીને પાંચસો. અણગારોએ આ વૃતાન્ત જાણ્યો. ત્યારે તેઓએ એક બીજાને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું. શૈલક રાજર્ષિ પંથકની સાથે બહાર વિચારી રહ્યા છે. તો હે દેવાનપ્રિયો ! આપણે શેલક રાજર્ષિની પાસે જઈને વિચરવું ઉચિત છે.” તેઓએ એવો વિચાર કર્યો. વિચાર કરીને રાજર્ષિ શૈલકની પાસે જઈને વિચારવા લાગ્યા. [૭૩] ત્યાર પછી શૈલક રાજર્ષિ-પંથક આદિ પાંચસો મુનિ ઘણાં વર્ષો સુધી સંયમ પય પાળીને જ્યાં પુંડરીક પર્વત હતો, ત્યાં આવ્યા. આવીને થાવસ્યા પુત્રની. જેમ સિદ્ધ થયા. જે સાધુ યા સાધ્વી આ પ્રમાણે વિચરશે. તે સિદ્ધિ પ્રાપ્ત કરશે.” | અધ્યયન પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-દ-નું બ) [૭૪] શ્રમણ ભગવાન મહાવીર યાવત્ સિદ્ધિને પ્રાપ્ત થયેલાએ પાંચમા જ્ઞાતાધ્યનનો આ અર્થ ફરમાવેલ છે તો હે ભગવન્! છઠ્ઠા જ્ઞાતાધ્યાનનો શું અર્થ ફર માવેલ છે?” “હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહનગર હતું. શ્રેણિક રાજા હતો. ત્યાં ઉત્તરપૂર્વ દિશામાં ગુણશીલ ચેત્ય હતું. તે કાળ અને તે સમયમાં ભગવાન્ મહાવીર અનુક્રમથી વિચરતા થકા જ્યાં રાજગૃહ નગર હતું, જ્યાં ગુણશીલ ચિત્ય હતું ત્યાં પધાર્યા. યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચારવા લાગ્યા. ભગવાનને વિંદન કરવા પરિષદ્ નીકળી. શ્રેણિક રાજા પણ નીકળ્યા. ભગવાને ધર્મ કહ્યો. તે સાંભળી પરિષદ્ પાછી ચાલી ગઈ. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ નામના અણગાર ન અતિદૂર, ન અતિ નજીક સ્થાન પર યાવતુ શુકલ ધ્યાનમાં લીન થઈને વિચરતા હતા. તે સમયે જેને શ્રદ્ધા ઉત્પન્ન થયેલ છે એવા ઈન્દ્રભૂતિ. અણગારે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જીવ કયા કારણે શીઘ્ર ગુરુતા અથવા લઘુતાને પ્રાપ્ત થાય છે?' ભગવંતે કહ્યું - હે ગૌતમ ! જેમ કોઈ પણ નામવાળો, એક પુરુષ એક મોટું સૂકા વેલ, છિદ્રરહિત અને અખંડિત મૂંબડાને દર્ભથી અને કુશથી લપેટ્યું હોય. પછી માટીના લેપથી લીપે. પછી તાપમાં રાખી દે. સુકાઈ જવા પર ફરીથી દર્ભ અને કુશથી લપેટે, પછી માટીના લેપથી લપેટે અને પછી તાપમાં સૂકવે. યાવતુ આઠ માટીના લેપ તે ટૂંબડા પર ચઢાવે પછી તેને અથાહઅપૌષિક એવા જળમાં નાખવામાં આવે તો નિશ્ચય થી હે ગૌતમ ! તે તુંબડું માટીના આઠ લેપના કારણે ગુરુતાને પ્રાપ્ત થઈને ઉપર રહેલા પાણીને ઓળંગીને નીચે ધરતીના તલ ભાગમાં સ્થિત થઈ જાય છે.' એ પ્રમાણે “હે ગૌતમ ! જીવ પણ પ્રાણાતિપાતથી યાવતુ મિથ્યાદર્શન શલ્યથી યાવતુ અઢાર પાપસ્થાનોના સેવનથી ક્રમશઃ આઠ કર્મ પ્રવૃતિઓનું ઉપાર્જન કરે છે. તે કર્મ પ્રકૃતિઓની ગુરુતાના કારણે, મૃત્યુના સમયે મૃત્યુને પ્રાપ્ત થઈને આ પૃથ્વીતલને લાંધીને નીચે નરક તલમાં સ્થિત થાય છે. આ પ્રમાણે હે ગૌતમ! જીવ શીધ્ર ગુરત્વને પ્રાપ્ત થાય છે.' હવે હે ગૌતમ ! તે તુંબડાને પહેલો માટીનો લેપ ભીનો થઈ જાય. ગળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy