________________
૬૮
નાયાધમ્મકહાઓ- ૧/-/૫/૬૭ છો હે શુક! “સરિસવ' બે પ્રકારે કહેલ છે. મિત્ર સરિસવ, અને ધાન્ય સરિસવ તેમાં જે મિત્ર-સરિસવય છે તે ત્રણ પ્રકારે છે- સાથે જન્મેલા. સાથે વૃધ્ધિ પામેલા, સાથે ધૂળમાં રમેલા. તે ત્રણ પ્રકારના મિત્ર સરિસવ શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે. તેમાં જે ધાન્ય સરિસવ છે તે બે પ્રકારે છે. શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત તેમાં જે અશસ્ત્ર પરિણત છે તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. તેમાં જે શસ્ત્ર પરિણત છે તે બે પ્રકારે છે. • પ્રાસુક અને સંપ્રાસુક હે શુક! અપ્રાસુક, ભક્ષ્ય નથી. તેમાં જે પ્રાસુક છે તે આ પ્રમાણે યાચિત,અનેઅયાચિત તેમાં જે અયાચિત છેતે અભક્ષ્ય છે યાચિતપણ બે પ્રકારે છે. એષણીય અને અષણીય તેમાં અનેષણય છે તે અભક્ષ્ય છે. એષણીય પણ બે પ્રકારે છે- લબ્ધ અને અલબ્ધ તેમાં જે અલબ્ધ છે તે અભક્ષ્ય છે. જે લબ્ધ છે તે નિર્ઝન્થોને માટે ભક્ષ્ય છે.હે શુક!આ અભિપ્રાયથી કરેલ છેકેસરિસવભક્ષ્યપણછેઅને અભક્ષ્ય પણ છે.”
આ પ્રમાણે “કુલત્થા પણ કહેવા જોઈએ. વિશેષતા આ પ્રમાણે છે. કુલત્થાના બે ભેદ છે. સ્ત્રી કુલત્થા અને ધાન્ય કુલત્થા સ્ત્રી કુલત્થા ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે કુલ વધૂ, કુલમાતા અને કુલપૂત્રી તે અભક્ષ્ય છે. ધાન્ય કુલત્થા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે ઈત્યાદિ સરિસવની સમાન જાણવું જોઈએ. માસ સંબંધી પ્રશ્નોત્તર પણ આજ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા આ પ્રમાણે છે. માસ ત્રણ પ્રકારે છે-કાળમાસ, અર્થ માસ, ધાન્યમાસ, તેમાં કાલમાસ બાર પ્રકારના છે.શ્રાવણ યાવતુ આષાઢતે બધા અભ ક્ષ્ય છે. અર્થમાસ બે પ્રકારના છે-ચાંદીના માશા અને સોનાના માશા, તે પણ અભક્ષ્ય છે. ધાન્યમાસ અર્થાતુ અડદ ભક્ષ્ય પણ છે ઇત્યાદિ સરિસવની સમાન જાણવું જોઇએ.
શુક પરિવ્રાજકે પુનઃ પ્રશ્ન કર્યો-આપ એક છો? બે છો? અનેક છો? અક્ષય છો? આપ અવ્યય છો ? આપ અવસ્થિત છો? આપ ભૂત ભાવ અને ભાવીવાળા છો?'હે શુક ! હું એકપણ છું -બે પણ છું યાવતુ અનેક ભૂત-ભાવિવાળા પણ હું છું. તે કઈ રીતે? હે શુક! હું દ્રવ્યની અપેક્ષાથી એક છું કેમકે જીવદ્રવ્ય એક જ છે. જ્ઞાન અને દર્શનની અપેક્ષાથી હું બે પણ છું. પ્રદેશોની અપેક્ષાથી હું અક્ષય પણ છું, અવ્યય પણ છું, અવસ્થિત પણ છું. અને ઉપયોગની અપેક્ષાથી અનેક ભૂત,ભાવઅને ભાવિ પણ છું.
થાવચ્ચા પુત્રના ઉત્તરથી શુક પરિવ્રાજકને પ્રતિબોધ પ્રાપ્ત થયો. તેણે થાવસ્યા પુત્રને વંદન કર્યા, નમસ્કાર કર્યો. કહ્યું- 'ભગવન્! હું આપની પાસેથી કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળવાની અભિલાષા કરું છું. ત્યાર પછી શુક પરિવ્રાજક થાવસ્યા પુત્ર પાસેથી ધર્મ સાંભળીને અને દયમાં ધારણ કરીને આ પ્રમાણે બોલ્યા- ભગવનું ! હું એક હજાર પરિવ્રાજકોની સાથે દેવાનુપ્રિયની પાસે મુંડિત થઇને પ્રવજ્યા અંગીકાર કરવા ઈચ્છું છું.” થાવસ્ત્રાપુત્ર અણ ગાર બોલ્યા - ‘દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો.” તે સાંભળીને યાવતુ ઉત્તરપૂર્વ દિશામાં જઈને શુક પરિવ્રાજકે ત્રિદંડ યાવતું ગેરુના રંગેલા વસ્ત્રો એકાં તમાં ઉતારી નાખ્યાં. પોતાના હાથથી શિખા ઉખેડી નાખી. ઉખેડીને જ્યાં થાવસ્યા પુત્ર હતા ત્યાં આવ્યા. મુંડિત થઈને યાવતુ દીક્ષિત થઈ ગયા. પછી સામાયિકથી આરંભ કરીને ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો. ત્યાર પછી થાવસ્ત્રાપુને શુકને એક હજાર અણગાર શિષ્યના રૂપમાં પ્રદાન કર્યા.
ત્યારપછી થાવસ્ત્રાપુત્ર અણગાર સૌગંધિકા નગરીથી અને નીલાશીક ઉદ્યો નથી નીકળ્યા. નીકળીને જનપદ વિહારવિચારવા લાગ્યા. ત્યાર પછી થાવસ્યા પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org