SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ ૬૭. માટે શ્રેયસ્કર છે.' એક હજાર પરિવ્રાજકોની સાથે જ્યાં સૌગંધિકા નગરી હતી, જ્યાં પરિવ્રાજકોનો મઠ હતો, ત્યાં આવ્યો. આવીને તેણે પરિવ્રાજકોના મઠમાં ઉપકરણ રાખ્યા. રાખીને ગેરુના રંગેલા વસ્ત્રોને ધારણ કરેલ તે થોડા પદ્મિાવજકોથી ઘેરાયેલો પરિવ્રાજક મઠમાંથી નીકળ્યો.જ્યાં સુદર્શન હતો ત્યાં આવ્યો. ત્યારે તે સુદર્શને તે શુકને આવતો જોયો જોઈને તે ઉભો ન થયો, સામે ન ગયો, તેનો આદર ન કર્યો, તેને જાણ્યો નહિ, વંદન ન કર્યો, પરંતુ મૌન રહ્યો. ત્યારે તે પરિવ્રાજકે સુદર્શનને ઉભો ન થતા જોઈને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન ! પહેલાં તુ મને આવતો જોઇને ઉભો થતો, યાવતુ વંદના કરતો હતો. પરંતુ હે સુદર્શન ! અત્યારે તું મને આવતો જોઈને નથી ઉભો થતો કે નથી વંદન કરતો, તો કોની પાસે તે વિનયમૂલક ધર્મ અંગીકાર કરેલ છે? ત્યાર પછી શુક પરિવ્રાજકના આ પ્રમાણે કહેવા પર સુદર્શન આસન ઉપરથી ઉભો થયો.બંને હાથ જોડ્યા અને શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય ! અરિ હતઅરિષ્ટનેમિના અંતેવાસી થાવસ્ત્રાપુત્રઅણગાર અહીં નીલાશોક ઉદ્યાનમાં વિચારી રહ્યા છે. તેમની પાસેથી મેં વિનયમૂલક ધર્મ અંગીકાર કરેલ છે. ત્યાર પછી શુક પરિવ્રાજકે સુદર્શનને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન ! અમે તમારા ધમચાર્ય થવાચ્યા પુત્રની પાસે ચાલીએ. અને આ પ્રમાણેના આ અર્થોને, હેતુઓને, પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણોને પૂછીશું. જો તે મારા અર્થ આદિનો ઉત્તર આપશે તો હું તેમને વંદના કરીશ, નમસ્કાર કરીશ. અને જો તે મારા આ અથનો યાવતું વ્યાકરણોનો ઉત્તર નહીં આપે તો હું તેમને આ અર્થો તથા હેતુઓ આદિથી નિરુત્તર કરીશ. ત્યાર પછી તે શુક પરિવ્રાજક એક હજાર પરિવ્રાજકો અને સુદર્શન શેઠની સાથેજ્યાં થાવસ્ત્રાપુત્ર અણગાર હતા ત્યાં આવ્યા. આવીને થાવા પુત્રને કહેવા લાગ્યા-ભગવન્! તમારી યાત્રા સુખપૂર્વક છે ? યાપની છે? તમને અવ્યાબાધ છે? અને તમારો પ્રાણુક વિહાર થઈ રહ્યો છે? ત્યારે થાવસ્યા પુત્રે કહ્યું- હે શુક ! મારી યાત્રા સુખપૂર્વક છે. યાપનીય પણ વર્તી રહેલ છે. અવ્યાબાધ પણ છે અને પ્રાસુક વિહાર પણ થઈ રહ્યો છે.” ત્યારે પછી શુક પરિવ્રાજકે થાવસ્યા પુત્રને આ પ્રમાણે કહ્યું “ભગવન્! આપની યાત્રા શું છે ?” હે શુક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમ આદિ યોગોથી ષટ્કાયના જીવોની યતના કરવી તે અમારી યાત્રા છે.” “ભગવન્! યાપનીય શું છે?” “શૂક! યાપનીય બે પ્રકારે છે. ઇન્દ્રિય યાપનીય અને નો ઇન્દ્રિય યાપનીય.” “આપણી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈ ન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય કોઈ પણ ઉપદ્રવ વિના વશીભૂત રહે છે તે અમારે ઇન્દ્રિય યાપનીય છે.' ક્રોધ, માન, માયા લોભ રૂપ કષાય ઉપશાંત થયેલ હોય, ઉદયમાં ન આવતા હોય, તે અમારું નો ઈન્દ્રિય યાપનીય કહેવાય છે.” શુકે કહ્યું ભગવન! અવ્યાબાધ શું છે?” “હે શુક!વાત, પિત્ત, કફ, અને સનિ પાતઆદિ સંબંધી વિવિધ પ્રકા રનારોગ અને આતંક ઉદયમાં ન આવે તે અમારો અવ્યા બાધ છે.” “ભગવન્! પ્રાસૂક વિહાર શું છે?” “હે શુક! અમે જે આરામમાં, ઉદ્યાનમાં દેવ કુલમાં, સભામાં, સ્ત્રી, પુરુષ, નપુંસક રહિત ઉપાશ્રયમાં, પાઠિહારી પીઢ, ફલક, શય્યા, સંસ્તારક, આદિ ગ્રહણ કરીને વિચારીએ છીએ. તે અમારો પ્રાસુક વિહાર છે.” શુક પરિવ્રાજકે પ્રશ્ન કર્યો - “ભગવન્! આપને માટે “સરિ સવ’ ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે?” “હે શુક! “સરિસવ’ અમારા માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે, શુકે પુનઃ પ્રશ્ન કર્યો-ભગવન્! ક્યા અભિપ્રાયથી એમ કહો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy