SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ નાયાઘમ્પ કહાઓ - ૧/-૫/૬૫ નથી. અત્યંત બળવાન દેવ અને દાનવ વડે પણ તેનું નિવારણ કરી શકાતું નથી. પોતાના કર્મોનો ક્ષય જ તેને રોકી શકે છે.’ હેરાજન્ ! તે કારણથી હું અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ અને કષાયથી સંચિત આત્માના કર્મોનો ક્ષય કરવા ઇચ્છું છું.' થાવચ્ચા પુત્ર દ્વારા આ પ્રમાણે કહેવા પર કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા તમે જાવો અને દ્વારિકા નગરીના શ્રૃંગાટક ત્રિક, ચતુષ્ક આદિ સ્થાનોમાં યાવત્ શ્રેષ્ઠ હાથીના સ્કંધપર આરુઢ થઇને ઊંચી ઊંચી ધ્વનિથી ઉદ્ઘોષ કરતાં, એવી ઉદ્ઘો ષણા કરો ‘આ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ મરણથી ભયભીત થાવાપુત્ર અરિહંત અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છે છે. તો જે રાજા, યુવરાજ, સાર્થવાહ થા વચ્ચા પુત્રની સાથે દીક્ષા ગ્રહણ કરશે. તેને કૃષ્ણ વાસુદેવ અનુજ્ઞા આપે છે અને પાછળ રહેલા તેના મિત્ર, જ્ઞાતિ, નિજક, સંબંધી યા પરિવારમાં કોઇ પણ દુઃખી થશે તો તેને વર્તમાન કાળ સંબંધી યોગઅને ક્ષેમનો નિર્વાહ ક૨શે. આ પ્રમાણે ઘોષણા કરો. ત્યાર પછી થાવચ્ચા પુત્ર પર અનુરાગ હોવાના કારણે એક હજાર પુરુષો દીક્ષા લેવા માટે તૈયાર થયા. તેઓ સ્નાન કરીને, અલંકૃત અને વિભૂ ષિત થઇને અલગ-અલગ હજાર પુરુષોદ્વારા વહન કરી શકાય તેવી પાલખીઓ ૫૨ સવાર થઇને, મિત્રો અને જ્ઞાતિજનોથી પરિવૃત થઇને થાવચ્ચાપુત્રની પાસે આવ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવે એક હજાર પુરુષોને આવેલા જોયા, જોઇને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું જાઓ થાવચ્ચાપુત્રને સ્નાન કરાવો, અલંકારથી વિભૂષિત કરો અને પુરુષ સહસ્રવાહિની શિબિકા પર આરૂઢ કરો ઇત્યાદિ. ત્યાર પછી થાવચ્ચા પુત્ર તે હજાર પુરુષોની સાથે શિબિકા પર આરૂઢ થઇને યાવતુ વાદ્યોની ધ્વનિની સાથે દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચ થઇને જ્યાં અરિહંત અરિષ્ટ નેમિના છત્ર પર છત્ર, પતાકા પર પતાકાોવે છે તથા વિદ્યાધર અને ચારણમુનિઓ વગેરેને જોવે છે. ત્યાંજ શિબિકા ઉપરથી ઉતરી જાય છે. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ થાવચ્ચા પુત્રને આગળ કરીને જ્યાં ભગવાન અરિષ્ટનેમિ છે ઈત્યાદિ બધું વર્ણન પહે લાની જેમ સમજવું જોઈએ, યાવત્ ‘હે પુત્ર ! આ પ્રવ્રજ્યાનાં વિષયમાં યત્ન કરવો, હે પુત્ર ! શુદ્ધ ક્રિયા કરવામાં પુરુષાર્થ કરવો અને ચારિત્રના પાલન માં પરાક્રમ ક૨વું, આ અર્થમાં જરા પણ પ્રમાદ ન કરવો. આ પ્રમાણે કહીને તે જે દિશાથી આવી હતી તે દિશામાં ચાલી ગઈ. ત્યાર પછી થાવચ્ચા પુત્રે હજાર પુરુષોની સાથે સ્વયં પંચમુષ્ટિ લોચ કર્યો યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરી. ત્યાર પછી થાવચ્ચા પુત્ર અણગાર થઇ ગયા. ઇર્યા સમિતિથી યુક્ત યુક્ત થઈને યાવત્ વિચરવા લાગ્યા. તત્પશ્ચાત્ થાવા પુત્રે અરિહંત અરિષ્ટનેમિના તથારૂપ સ્થવિરોની પાસેથી સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વેનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને તે અઠ્ઠમભક્ત, ષષ્ઠ ભક્ત યાવત્ ચઉત્થભક્ત આદિ કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી અરિહંત અરિષ્ટ નેમિએ થાવચ્ચાપુત્ર અણગારને તે ઇભ્ય આદિ એક હજાર અણગાર શિષ્યોના રૂપમાં પ્રદાન કર્યા. ત્યાર પછી થાવચ્ચાપુત્ર અન્યદા કદાચિત અરિહંત અરષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આપ્રમાણે કહ્યું ‘ભગવન્ ! આપની આજ્ઞા હોય તો હું હજાર સાધુઓની સાથે જનપદમાં વિહાર ક૨વા ઇચ્છું છું.ભગવાને ઉત્ત૨આપ્યો :‘દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો.' ત્યાર પછી થાવચ્ચા પુત્ર એક હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy