________________
પર
નાયાધમ્મ કહાઓ - ૧ -J૨૪૯ બહુમૂલ્ય ભેટ લીધી અને જ્યાં નગર રક્ષકકોટ વાળા હતો, ત્યાં પહોંચ્યો. પહોંચીને તે બહુમૂલ્ય ભેટ સામે રાખી અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! મારો પુત્ર અને ભદ્રા. ભાર્યાનો આત્મજ દેવદત્ત નામનો બાળક અમને ઈષ્ટ છે, યાવતું ઉંબરના ફૂલની જેમ તેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે તો પછી દર્શનનું તો કહેવું જ શું? એવા બાળક દેવદત્તને ભદ્રાએ સ્નાન કરાવીને અને સમસ્ત અલંકારોથી વિભૂષિત કરીને પંથકના હાથમાં સોંપી દીધો. યાવતું પંથકે મારા પગમાં પડીને મને નિવેદન કર્યું. હું ઇચ્છું છું કે આપ દેવદત્ત બાળકની બધી જગ્યાએ માગણા-ગવેષણા કરો. ત્યાર પછી તે નગરરક્ષકોએ ધન્ય સાર્થવાહના આ પ્રમાણે કહેવા પર કવચ તૈયાર કર્યું, તેને કસોથી બાંધ્યું અને શરીર પર ધારણ કર્યું. ધનુષ રૂપી પટ્ટીકા ઉપર પ્રત્યંચા ચઢાવી. અથવા ભુજાઓ પર ચામડાનો પટ્ટો બાંધ્યો. આયુધ અને પ્રહરણ ગ્રહણ કર્યા. પછી ધન્ય સાર્થવાહની સાથે રાજગૃહ નગરના ઘણાં નીકળવાના માર્ગો યાવતું પરબ આદિમાં શોધ કરીને રાજગૃહ નગરની બહાર નીકળ્યા નીકળીને જ્યાં જીર્ણ ઉદ્યાન અને ભગ્ન કુવો છે ત્યાં આવ્યા. આવીને તે કુવામાં નિષ્ઠાણ, નિશ્રેષ્ટ, તેમજ નિર્જીવ દેવદત્તના શરીરને જોયું. જઈને હા, હા, અહો અકાર્ય ?' આ પ્રમાણે કહીને તેઓએ દેવદત્ત કુમારને તે ભગ્ન કુવામાંથી બહાર કાઢ્યો અને ધન્ય સાર્થવાહના હાથમાં સોંપી દીધો.
[૫૦] ત્યાર પછી તે નગરરક્ષક વિજય ચોરના પગના નિશાનોનું અનુસરણ કરતા માલુકાકચ્છમાં પહોંચ્યા. તેની અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને વિજય ચોરને પંચની સાક્ષી પૂર્વક, ચોરીના માલની સાથે, ગર્દનમાં બાંધ્યો. અને જીવતો પકડી લીધો. પછી હાડકાની લાકડી, મુષ્ટિ, ઘુંટણો અને કોણીઓના પ્રહાર કરીને તેના શરીરને ભગ્ન અને મથિત કરી દીધું-એવો માર માર્યો કે તેનું શરીર સાવ ઢીલું પડી ગયું. તેની ગર્દન અને બંને હાથ પીઠ તરફ બાંધી દીધા. પછી બાળક દેવદત્તના આભરણ કન્જામાં કર્યો. ત્યાર પછી વિજય ચોરને ગર્દનથી બાંધ્યો, અને માલુકાકચ્છથી બહાર નીકળ્યા.જ્યાં રાજગૃહ નગર હતું, ત્યાં આવીને રાજગૃહ નગરમાં પ્રવેશ કર્યો, અને નગરના ત્રિક, ચતુષ્ક, ચત્વર તેમજ મહાપથ આદિ માગમાં કોરડાનો પ્રહાર, છડીઓના પ્રહાર, કંબાથી પરહાર કરતા કરતા અને તેના ઉપર રાખ, ધૂળ અને કચરા નાખતા થકા મોટા અવાજથી ઘોષણા કરતા આ પ્રમાણે બોલ્યા
હે દેવાનુપ્રિયો ! આ વિજય નામનો ચોર યાવતુ ગીધની સમાન માંસભક્ષી, બાળ ઘાતક તેમજ બાળકનો હત્યારો છે. હે દેવાનુપ્રિય ! કોઇ રાજા, રાજપુત્ર અથવા રાજાનો અમાત્ય તેના માટે અપરાધી નથી એટલે કોઈ નિષ્કારણ તેને દંડ નથી આપતું. આ વિષયમાં તેણે પોતે કરેલ કર્મ જ અપરાધી છે. આ પ્રમાણે કહીને જ્યાં ચારક શાળા હતી,
ત્યાં પહોંચીને તેને બેડીઓથી જકડી લીધો. ભોજન પાણી બંધ કરી દીધા. અને ત્રણે સંધ્યા કાળોમાં ચાબુક આદિનો પ્રહાર કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી ધન્ય સાથે વાહે મિત્ર, જ્ઞાતિ નિજક, સ્વજન, સંબંધી, પરિજનોની સાથે રોતા રોતાં યાવતુ વિલાપ કરતાં કરતાં બાળક દેવદત્તના શરીરના ઋદ્ધિ, સત્કારના સમૂહની સાથે નીહરણ કર્યું, મૃતકકૃત્ય કરીને કાળાન્તરમાં તે શોકથી રહિત થઈ ગયા.
[૫૧] ત્યાર પછી કોઈ સમયે ચાડી કરનારાઓએ ધન્ય સાર્થવાહને નાનો એવો રાજકીય અપરાધ લગાડ્યો. ત્યારે પકડીને જ્યાં કારાગાર હતું ત્યાં લઈ ગયા. લઈ જઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org