SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ નાયાધમ્મ કહાઓ - ૧/-/૧/૪૦ વાન મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદના કરી. નમસ્કાર કર્યો. સ્વયં પાંચ મહા વ્રતોનું ઉચ્ચારણ કર્યું અને ગૌતમ આદિ સાધુઓને તથા સાધ્વીઓને ખમાવ્યા. સ્થવિર સાથે ધીમે ધીમે વિપુલ નામક પર્વતપર આરુઢ થયા. સ્વયં સઘન મેઘની સમાન કાળા પૃથ્વીશિલા પટ્ટકની પ્રતિલેખના કરી. દર્ભનો સંથારો બીછાવ્યો અને તેનાપર આરુઢ થઈ ગયા. પૂર્વ દિશાની સન્મુખ પદ્માસનથી બેસીને, બંને હાથ જોડીને અને મસ્તકથી સ્પર્શ કરીને આ પ્રમાણે બોલ્યા. અરિહંત ભગવંતોને યાવત્ સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને નમસ્કાર હો. ત્યાં સ્થિત ભગવાને હું વંદના કરૂં છું. ત્યાં સ્થિત ભગવાન અહિં સ્થિત મને જુઓ. આ પ્રમાણે કહીને ભગવાનને. વંદના નમસ્કા૨ કરીને આ પ્રમાણે કહ્યું ઃ- પહેલા પણ મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે સમસ્ત પ્રાણાતિપાતનો ત્યાગ કર્યો છે. મૃષાવાદ,અદત્તાદાન,મૈથુન,પરિગ્રહ,ક્રોધ,માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યા ખ્યાન, વૈશુન્ય પરપરિવાદ ધર્મમાં અતિ, અધર્મમાં રતિ, માયા મૃષા અને મિથ્યાદર્શન-શલ્ય, આ બધાના પ્રત્યાખ્યાન કરેલા છે. અત્યારે પણ હું તે ભગવાનની સામે સંપૂર્ણ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરું છું યાવત્ મિથ્યાદર્શનશલ્યના પ્રત્યાખ્યાન કરું છું. તથા બધા પ્રકારના અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ રૂપ, ચારે પ્રકારના આહારના જીવન પર્યંત પ્રત્યાખ્યાન કરું છું. અને આ શરીર જે ઈષ્ટ છે. કાન્ત અને પ્રિય છે. યાવત્ રોગ શૂલાદિક આતંક, બાવીસ પરિષહ અને ઉપસર્ગથી જેની રક્ષા કરાય છે તેવા આ શરી૨નો પણ હું અંતિમ શ્વાસોચ્છ્વાસે પરિત્યાગ કરું છું. આ પ્રમાણે કહીને સંલેખનાને અંગીકાર કરીને કરીને મૃત્યુની પણ કામના ન કરતા થકા મેઘમુનિ વિચરવા લાગ્યા. ત્યારે તે સ્થવિર ભગવંત ગ્લાનિ રહિત થઇને મેઘ અણગારની વૈયાવૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી તે મેઘ અણગાર ત્રીસ દિવસ ઉપવાસ કરીને આલોચના-પ્રતિક્રમણ કરીને શલ્યને હટાવીને સમાધિને પ્રાપ્ત થઇને અનુક્રમથી કાળધર્મને પ્રાપ્ત થયા. ત્યાર પછી મેઘ અણગારની સાથે ગયેલા સ્થવિર ભગવંતોએ મેઘ અણગારને ક્રમશઃ કાળ ગત જોયા. જોઇને પરિનિર્વાણ નિમિત્તક કાયોત્સર્ગ કર્યો. મેઘ મુનિના ઉપકરણને ગ્રહણ કર્યા અને વિપુલ પર્વતથી ધીમે ધીમે નીચે ઉતર્યા. ઉતરીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી, નમસ્કાર કર્યા. આ પ્રમાણે બોલ્યા. આપ દેવાનુપ્રિયના અંતેવાસી મેઘ અણ ગાર સ્વભાવથી ભદ્ર અને યાવત્ વિનીત હતા, તે દેવાનુપ્રિય ની અનુમતિ લઇને યાવત્ ભક્તપાનના પ્રત્યાખ્યાન કરીને અનુક્રમથી કાળ ધર્મને પ્રાપ્ત થયા. હે દેવાનુપ્રિય ! આ છે મેઘ અણગારના ઉપકરણ. [૪૧] ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી, નમસ્કાર કર્યા. વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું. મેઘ અણગાર કાળના અવસરે કાળ કરીને કઈ ગતિમાં ગયા ? અને કયા સ્થાને ઉત્પન્ન થયા ? હે ગૌતમ ! તે મેઘમુનિ સમાધિને પ્રાપ્ત થઇને, ઉપર ચંદ્ર,સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષચક્રથી ઘણાં યોજન,ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન, ઘણાં લાખો યોજન, કરોડો યોજન, ઘણાં ક્રોડાક્રોડી યોજન ઓળંગીને ઉપર જઇને સૌધર્મ, યાવત્ અચ્યુત, દેવલોકને તથા ત્રણસો અઢાર નવર્ગીવેયકના વિમાનોને ઓળંગીને વિજય નામના મહાવિમાનમાં દેવ રૂપ ઉત્પન્નથયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy