SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ નાયાધમ્મ કહાઓ - ૧/-/૧/૩૯ [૩૯] ત્યાર પછી તે મેઘ અણગારે કોઈ એક સમય શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- “ભગવન્! હું આપની અનુમતિ મેળવીને એક માસની મર્યાદાવાળી ભિક્ષુ પ્રતિમાને અંગીકાર કરીને વિચારવાની ઈચ્છા કરું છું. ભગવાને કહ્યું- દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. પ્રતિબન્ધ ન કરો શ્રમણ ભગવાન મહાવીર દ્વારા અનુમતિ મેળવેલ એવા મેઘ અણગાર એક માસની ભિક્ષપ્રતિ માને અંગીકાર કરીને વિચારવા લાગ્યા. એક માસની ભિક્ષુપ્રતિમાને યથાસૂત્ર કલ્પ અનુ સાર, માર્ગ અનુસાર સમ્યક પ્રકારે કાયાથી ગ્રહણ કરી, નિરંતર સાવધાન રહીને તેનું પાલન કર્યું. શોધન કર્યું. પાર કરી, કીર્તન કર્યું. આ પ્રમાણે યથાયોગ્ય રૂપે કાયાથી સ્પર્શ કરીને, પાલન કરીને શોધિત કરીને, પાર કરીને તેમજ કીર્તન કરીને ફરી ભગવાન મહા વીરને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું. ભગવંત ! આપની અનુમતિ પ્રાપ્ત કરીને હું બે માસની બીજી ભિક્ષ પ્રતિમાને અંગીકાર કરીને વિચારવા ઈચ્છું છું. ભગવાને કહ્યું - દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો પ્રતિબંધ ન કરો. જે પ્રમાણે પહેલી પ્રતિમામાં છે તે પ્રમાણે બીજી પ્રતિમા બે માસની, ત્રીજી પ્રતિમાં ત્રણ માસની, ચોથી ચાર માસની, પાંચમી પાંચ માસની, છઠ્ઠી છ માસની, સાતમી સાત માસની, આઠમી સાત અહોરાત્રિની, નવમી સાત અહો રાત્રિની દશમી પણ સાત અહોરાત્રિની અને અગીયારમી તથા બારમી પ્રતિમા એક એક અહોરાત્રિની કહેવી જોઈએ. ત્યાર પછી મેઘ અણગારે બારે ભિક્ષુપ્રતિમાઓને સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરીને, યાવતું ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યો. આ પ્રમાણે કહ્યું ભગવાન હું આપની આજ્ઞા મેળવીને ગુણરત્ન સંવત્સર નામક તપ કર્મ અંગીકાર કરીને વિચારવા ઇચ્છું છું. ભગવાન બોલ્યા- હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ગુણરત્ન સંવત્સર નામક તપમાં તેર માસ સત્તર દિવસ ઉપવાસના હોય છે અને તોતેર દિવસ પારણાના હોય છે, આ પ્રમાણે સોળ માસમાં આ તપનું અનુષ્ઠાન કરવામાં આવે છે. ત્યાર પછી મેઘ અણગાર પહેલા માસમાં નિરંતર ચતુર્થ ભક્ત સાથે વિચારવા લાગ્યા. દિવસમાં ઉત્કટ આસનથી રહેતા અને સૂર્યની આતાપના લેવાની ભૂમિમાં આતાપના લેતા. રાત્રિમાં પ્રાવરણ રહિત થઈને વીરાસનથી સ્થિત રહેતા. આ પ્રમાણે બીજા મહિને નિરંતર છઠ્ઠ ભક્ત તપ, ત્રીજા મહિને અઠ્ઠમ ભક્ત, ચોથા મહિને દશમ ભક્ત તપ કરતા વિચરવા લાગ્યા. પાંચમા માસમાં બાર-બારનો નિરંતર તપ કરવા લાગ્યા. આ પ્રમાણે છઠ્ઠા માસમાં છ-છ ઉપવાસની, યાવતું સોળમાં માસમાં સોળ-સોળ ઉપવાસની, નિરંતર તપશ્ચર્યા કરતાં વિચરવા લાગ્યા. ત્યાર પછી મેઘ અણગારે ગુણ રત્ન સંવત્સરક નામના તપઃકર્મનું પાલન સૂત્રના અનુસારે યાવતુ સમ્યક્ પ્રકારથી કાયા દ્વારા સ્પર્શ કર્યું, યાવતું કીર્તિત કર્યું. શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા, યાવતું. વિચિત્ર પ્રકારના તપ કર્મ કરીને આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. [૪૦] ત્યાર પછી તે મેઘ અણગાર તે ઉરાલ, વિપુલ-, સશ્રીક-, ગુરુદ્વારા પ્રદત્ત બહુમાન પૂર્વકગ્રહીત,કલ્યાણકારી,નીરોગતાજનક શિવમુક્તિનું કારણ,ધન્ય, માંગલ્ય -ઉદગ્ર-ઉદાર- ઉત્તમ- અને મહાન પ્રભાવવાળા તપકર્મથી શુષ્કનીરસ શરીર વાળા, ભૂખ્યા, રુક્ષ, માંસ રહિત અને લોહી રહિત થઈ ગયા ઉઠતા-બેસતાં તેનાં હાડકા ખખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy