________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧
૩૭
તેથી હે દેવાનુપ્રિય ! આપની પાસે મુંડિત થઇને, ગૃહત્યાગ કરીને સાધુત્વની પ્રવ્રજ્યા અંગીકા૨ક૨વા ઇચ્છે છે.અમે દેવાનુપ્રિયને શિષ્યભિક્ષા આપીએ છીએ.હૈ દેવાનુપ્રિય ! આપ શિષ્યભિક્ષા અંગીકાર કરો. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારના માતા પિતાદ્વારા આ પ્રમાણે કહેવા પર તે અર્થ ને સમ્યક્ પ્રકારથી સ્વીકાર કર્યો.
ત્યાર પછી મેઘકુમાર શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી ઈશાન દિશામાં ગયા.જઇનેસ્વયંજઆભૂષણમાળા,અને વસ્ત્ર ઉતાર્યા.ત્યારપછી મેઘકુમારની માતાએ હંસના લક્ષણવાળા વસ્ત્રમાં આભૂષણ માળા અને અહં કાર ગ્રહણ કર્યા. જલની ધારા, નિર્ગુડીના પુષ્પ અને ટૂટેલ મુક્તાવલી હારની સમાન આંસૂ ટપકાવતી, આક્રંદન કરતી અને વિલાપ કરતી કરતી આ પ્રમાણે કહેવા લાગી. હે લાલ ! પ્રાપ્ત ચરિત્રયોગમાં યતના કરવી. હે પુત્ર ! અપ્રાપ્ત ચારિત્રયોગને માટે ઘટના કરવી હે પુત્ર ! પરાક્રમ ક૨વો. સંયમ સાધનામાં પ્રમાદ ન કરવો અમારે માટે પણ આ જ માર્ગ થાય. આ પ્રમાણે કહીને મેઘ કુમારોના માતા પિતાએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને જે દિશા માંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા.
[૩૫] ત્યાર પછી મેઘકુમારે સ્વયં જ પંચમુષ્ઠિ લોચ કર્યા. લોચ કરીને શ્રમણ ભગવાન્ મહાવીર જ્યાં હતા ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવાન મહાવીરની જમણી તરફથી આરંભ કરીને પ્રદક્ષિણા કરી. ફરી વંદન નમસ્કાર કર્યા અને કહ્યું- ‘ભગવન્ ! આ સંસાર જરા અને મરણથી આદીપ્ત છે, હે ભગવન્ ! આ સંસાર આદીપ્ત-પ્રદીપ્ત છે. જેમ કોઇ ગાથાપતિ ઘરમાં આગ લાગવાપ૨ તે ઘરમાં જે અલ્પ ભારવાળી અને બહુમૂલ્ય વસ્તુ હોય છે તેને, ગ્રહણ કરીને સ્વયં એકાતમાં ચાલ્યો જાય છે. તે વિચારે છે કેઅગ્નિમાં બળવાથી બચાવેલ આ પદાર્થો મારે માટે આગળ-પાછળ હિતને માટે, સુખને માટે, ક્ષમાને માટે, કલ્યાણને માટે અને ભવિષ્યમાં ઉપયોગી થશે. એવીજ રીતે મારે પણ આત્મા રૂપી વસ્તુ છે, જે મને ઈષ્ટ છે, કાન્ત છે, પ્રિય છે, મનોજ્ઞ છે અને અતિશય મનોહર છે. આ આત્માને હું ભસ્મ થતાં બચાવી લઈશ, તો તે સંસારનો ઉચ્છેદ ક૨ના૨ થશે. તેથી હું ઈચ્છું કે દેવાનુપ્રિય ! આપ સ્વયંજ મને પ્રવ્રુજિત કરો-સ્વયંજ મને મુંડિત કરો-સ્વયંજ પ્રતિલેખન આદિની શિક્ષા આપો. સ્વયંજ સૂત્ર-અર્થ પ્રદાન કરીને શિક્ષા આપો. સ્વયંજ જ્ઞાનાદિક આચાર, ગોચરી, વિનય, વૈનયિક, ચરણ, કરણ, સંયમ યાત્રા અને માત્રા આદિ રૂપ ધર્મનું પ્રરૂપણ કરો.
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને સ્વયંજ પ્રવ્રજ્યા પ્રદાન કરી અને સ્વયંજ યાવત્ આચાર ગોચર આદિ ધર્મની શિક્ષા આપી કે-હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે પૃથ્વી પર યુગ માત્ર દૃષ્ટિ રાખીને ચાલવું જોઇએ. આ પ્રમાણે નિર્જિવ ભૂમિપર ઉભા રહેવું જોઇએ.આપ્રમાણેભૂમિનુંપ્રમાર્જનકરીનેબેસવું જોઇએ.આ પ્રમાણે સામયિ કનું ઉચ્ચારણ કરીને શરીરનું પ્રમાર્જન કરીને શયન કરવું જોઇએ. પ્રમાણે વેદના આદિ કારણોથી નિર્દોષ આહા૨ ક૨વો જોઇએ આ પ્રમાણે હિત, મિત અને મધુર ભા ષણ કરવું જોઇએ. આ પ્રમાણે અપ્રમત્ત અને સાવધાન થઇને પ્રાણ [વિકલેન્દ્રિય] ભૂત [વનસ્પતિ કાય]જીવ[પંચેન્દ્રિય]અને સત્વ [શેષએકેન્દ્રિય]ની રક્ષા કરીને સંયમનું પાલન કરવું જોઇએ આ વિષયમાં જરા માત્ર પણ પ્રમાદ ન કરવો જોઇએ. ત્યાર પછી મેઘકુમારે શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી આ પ્રમાણેનો ધર્મનો ઉપદેશ સાંભળીને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org