SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ સેવો આવવાથી તેના અંગોથી પરસેવો ઝરવા લાગ્યો, શોકની અધિકતાથી તેનું શરીર કંપવા લાગ્યું તે તેજરહિત થઈ ગઈ તેનું મુખ અથવા વચન દીનતાવાળું થયું. હસ્તતલ વડે મસળેલી કમળની માળાની જેમ તે ઝાંખી થઈ ગઈ. તત્ક્ષણ એટલે “હું દીક્ષા ગ્રહણ કરું” એવું વચન સાંભળ્યું તે જ વખતે તેનું શરીર પ્લાન થઈ ગયું. તે લાવણ્ય રહિત થઈ, કાંતિ રહિત થઈ, લક્ષ્મી (શોભા) રહિત થઈ, એકદમ શરીર દુર્બળ થઈ જવાથી તેના પહેરેલા અલંકારો અત્યંત ઢીલા થઈ ગયા, હાથે પહેરેલા ઉજ્વલ વલય સરી જઈને ભૂમિપર પડી ગયા અને ચૂર્ણરૂપ થઈ ગયા. તેનું ઉત્તરીય વસ્ત્ર નીકળી ગયું, તેનો સુકોમળ કેશ કલાપ વિખરાઈ ગયો, મૂછના વશથી ચિત્ત નાશ પામવાને લીધે તેનું શરીર-ગુરુભારવાળું થયું. પરશુવડે કાપેલી ચંપકલતાની જેમ તથા મહોત્સવ પૂર્ણ થયે ઈન્દ્રધ્વજની જેમ શ્રી વિહીન થઈ ગઈ, શરીરના સાંધા જેના શિથિલ થઈ ગયા છે. એવી તે ધારિણી દેવી સર્વ અંગોવડે “ઘસ” શબ્દ પૂર્વક પૃથ્વીતલ ઉપર પડી ગઈ. ત્યાર પછી તે ધારિણી દેવી સંભ્રમની સાથે શીઘ્રતાથી સુવર્ણ કળશના મુખથી નીકળેલી શીતળ જળની નિર્મળ ધારાવડે સિંચન કરાઈ. તેથી તેનું શરીર શીતળ થઈ ગયું. ઉલ્લેપ તાલવૃંત અને વીંઝ નકથી ઉત્પન્ન થયેલા તથા જલકણ સહિત વાયરાવડે અંતઃપુરના પરિવાર જનોએ આશ્વાસન પમાડી ત્યારે તે દેવી મોતીના દાણા જેવી પડતી અશ્રુધારા વડે પોતાના સ્તનોને ભીંજવવા લાગી. તે દયનીય વિમનસ્ક અને દીન થઈ ગઈ. તે રુદન કરતી, કંદન કરતી, પસીના તેમજ લાળ ટપકાવતી, દયમાં શોક કરતી અને વિલાપ કરતી મેઘ કુમારને આ પ્રમાણે કહેવા લાગી [૩૨] હે પુત્ર! તું અમારે એક જ પુત્ર છે. તું અમને ઈષ્ટ છે, કાન્ત છે, પ્રિય છે, મનોજ્ઞ છે, મણામ છે, ઘેર્ય તેમજ વિશ્વાસનું સ્થાન છે. કાર્ય કરવામાં સમ્મત છે, ઘણાં કાર્યોમાં ઘણો માનલો છે. અનુમત છે. આભરણના કરંડીયા સમાન છે, મનુષ્ય જાતિ માં ઉત્તમ હોવાથી તું રત્ન છે, જીવનના ઉચ્છુવાસ સમાન છે, અમારા હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનાર છે, ગૂલરના ફૂલની સમાન તારા નામનું શ્રવણ કરવું પણ દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ ક્યાં રહી ! હે પુત્ર ! અમે ક્ષણભર પણ તારો વિયોગ સહન કરવા ઈચ્છતા નથી. તેથી હે પુત્ર! પહેલાં તો અમે જ્યાં સુધી જીવિત છીએ, ત્યાં સુધી મનુષ્ય સંબંધી વિપુલ કામ ભોગોને ભોગવ. જ્યારે અમે મૃત્યુ પામી જઈએ અને તું પરિપક્વ ઉંમરનો થઈ જાય અને તારી યુવાવસ્થા પૂર્ણ થઈ જાય કુલવંશ- રૂપ તંતુનું કાર્ય વૃદ્ધિને પ્રાપ્ત થઈ જાય, જ્યારે સાંસારિક કાર્યની અપેક્ષા ન રહે, ત્યારે તું પ્રવજ્યા અંગી કાર કરી લેજે. ત્યારે માતાપિતાના દ્વારા આ પ્રમાણે કહેવા પર મેઘકુમારે કહ્યું - “હે માતા-પિતા ! આપ મને જે કહો છો કે હે પુત્ર! તું અમારો એક જ પુત્ર છે. યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરી લેજે-તે ઠીક છે. પરંતુ હે માતા-પિતા ! આ મનુષ્ય ભવ ધ્રુવ નથી. નિયત નથી. અશાશ્વતછે ઉપદ્રવોથી વ્યાપ્ત છે. ચંચળ છે, અનિત્ય છે. તૃણની અણી પર લટકતા પાણીના બંદની સમાન છે. સંધ્યા સમયના વાદળની સમાન છે, સ્વપ્ન દર્શનની સમાન છે, સડવાનો પડવાનો અને નાશ થવાનો સ્વભાવ છે, તેમજ આગળ અથવા પાછળ અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. હે માતા પિતા ! કોણ જાણે છે કે કોણ પહેલા જશે અ કોણ પછી જશે? તેથી હે માતા પિતા! હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy