________________
૩૨૨
વિવાગસૂર્ય-૧૮૩૨ યુક્ત કરતો હતો. ત્યારબાદ તે માંસના ટુકડા ઓમાંથી કેટલાંકને તેલથી તળતો, કેટલાંક ને અગ્નિપર ભૂજતો અને કેટલાંકને શૂળથી પકાવતો. આ રીતે મત્સ્ય માંસના રસોને, મૃગ માંસના રસોને, તેતર માંસના રસોને યાવતું મયૂરાને માંસના રસોને તથા બીજા ઘણાં લીલાશાક તે તૈયાર કરતો હતો, તૈયાર કરીને મહારાજ મિત્રના ભોજન મંડપમાં લઇ જઈને મહારાજ પાસે હાજર કરતો તથા તે શ્રીક રસોઇયો પોતે પણ પૂર્વોક્ત કોમળ ચામડીવાળા મત્સાદિ સમસ્ત જીવોના માંસ, રસ, લીલા શાક, કે જે શૂળથી પકાવેલા, તળેલા, ભૂજેલા થતા, તેની સાથે છ પ્રકાર ની સુરા આદિ મદિરાઓનું આસ્વાદનાદિ કરતો સમય વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર બાદ આ કમનેજ કરનાર, આ કમને જ પ્રધાન માનનાર તે શ્રીક રસોઇયો ઘણાં પાપ કર્મોનું ઉપાર્જન કરીને તેત્રીશ સો વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાળ માસમાં કાળ કરીને છઠ્ઠીનરકભૂમિમાં ઉત્પન્ન થયો. તે મચ્છીમારની સમુદ્રદત્તા પત્ની જાત નિન્દકા હતી. ગંગદત્તાની જેમ વિચાર કરીને, પતિને પૂછીને, માનતાઓ માનીને તથા દોહદની પૂર્તિ કરીને સમુદ્રદત્તા બાળકને જન્મ આપે છે. શૌરિકદર યક્ષની માનતા માનવાથી બાળક પ્રાપ્ત થયો હોવાથી માતપિતાએ તેનું નામ “શૌરિકદત્ત” રાખ્યું. યુવાવસ્થાને પ્રાપ્ત થયો. ત્યાર બાદ કોઈ વખતે સમુદ્રદત્ત કાળધર્મ પામ્યો, ત્યારે રૂદન, આક્રંદન અને વિલાપ કરતા શૌરિકદત્ત બાળકે અનેક મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીજનો તેમજ નોકરો સાથે સ્મશાન યાત્રા કાઢી અને દાહકર્મ તેજમ બીજી લૌકિક મૃતક્રિયાઓ કરી. કાલાન્તરમાં તે શૌરિકદત્ત પોતે માછીમારોનો નેતા બની ગયો. તે મહા અધર્મી, પાપી યાવતું તેને પ્રસન્ન કરવો બહુ મુશ્કેલ હતો. તેણે રૂપિયા, પૈસા અને ભોજનાદિ રૂપ વેતન લઇને કામ કરનાર અનેક પગારદાર માણસો રાખ્યા હતા, કે જેઓ નાની નૌકાઓ દ્વારા યમુના નદીમાં પ્રવેશ કરીને સરોવરનું પાણી ઉલેચી નાખી, દરિયાના પાણીમાં વારંવાર પરિભ્રમણ કરીને, થોરનું દૂધ નાખી પાણીને વિકૃત કરીને, વૃક્ષની શાખાઓથી તળાવના પાણીને ડોળીને, તળાવનું પાણી નાલિકાથી બહાર કાઢીને, તળાવના પાણીને વિશેષરૂપે પ્રવાહિત કરીને પ્રપંબુલ, જંભા , ગલ, ફૂટપાશ, વલ્કબંધ, સૂત્રબંધ અને પાશબંધ વિગેરે માછલા પકડ વાના સાધનોથી અનેક જાતિના કોમળ મસ્સો યાવતુ પતાકાતિપતાકા નામના મસ્સો ને પકડે છે અને પકડીને તેનાથી નૌકા ભરેછે, ભરીને નદીના કિનારા પર લાવે છે. લાવીને બહાર એક જગ્યા પર તેનો ઢગલો કરે છે, ત્યાર બાદ તેને ત્યાં તડકા માં સૂકાવવા માટે રાખે છે. આ રીતે રૂપિયા, પૈસા અને ધાન્યાદિ લઈને કામ કરનાર તેના બીજા પગાર દાર પુરષો તડકામાં સૂકાયેલા તે મત્સ્યોના માંસને શૂળમાં પરોવીને પકાવતા, તળતા અને ભૂજતાઅનેતેને રાજમાર્ગમાં વેચવામાટે રાખીનેતેના દ્વારાજ આજીવિકા કરતા સમય વ્યતીત કરી રહ્યાહતા.તદુપરાંત શૌરિકદત્ત પોતે પણ તે શૂળથી પકાવેલ બ્જેલ અને તળેલ મત્સ્યના માંસ સાથે વિવિધ પ્રકારની સુરાઓનું સેવન કરતો સમય વિતાવવા લાગ્યો.
તદન્તર કોઇ વખતે શૂળ દ્વારા પકાવેલા, તળેલા અને ભૂંજેલા મત્સ્ય માંસોનો આ હાર કરતા તે શૌરિકદર માછીમારના ગળામાં માછલીનો કાંટો લાગી ગયો, તેના કારણે તે મહાન વેદનાનો અનુભવ કરવા લાગ્યો. ત્યારે અત્યંત દુખી થયેલા શૌરિકદને પોતાના અનુચરો નોકરોને બોલાવીને આ વાત જાહેર કરાવી તે સાંભળીને ઘણાં વૈદ્યો અને વૈદ્યપુત્રાદિકો શૌરિકદત્તના ઘરે આવ્યા, આવીને ઔત્પાત્તિકી આદિ બુદ્ધિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org