________________
૧૪
વિવાગસૂર્ય - ૧/૫/૨૮
દિવસનો ત્રીજો ભાગ બાકી રહેશે ત્યારે શૂળી પર ચઢાવ વાથી કાળ માસમાં કાળ કરીને રત્નપ્રભા નામક પ્રથમ નરક ભૂમિમાં ઉત્પન્ન થશે, તેમજ પ્રથમ અધ્યયનમાં કહેલા મૃગાપુત્રના સંસાર ભ્રમણની જેમ સંસાર ભ્રમણ કરશે. ત્યાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં ભૃગરૂપે જન્મ લેશે. ત્યાં જાળમાં ફસાવીને મારનાર શિકારીઓ દ્વારા મારી નાખવા પર તે આ હસ્તિનાપુર નગરમાં શ્રેષ્ઠ કુળમાં પુત્રરૂપે જન્મ ધારણ કરશે. ત્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત ક૨શે અને કાળ કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે, ત્યાંથી આવીને મહાવિ દેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં અણગાર વૃત્તિને ધારણ કરીને સંયમા રાધના દ્વારા કર્મોનો ક્ષય કરીને સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. મોક્ષે જશે.
અધ્યયનઃ ૫ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અઘ્યયનઃ ૬ નંદિસેણ
[૨૯] હૈ જંબૂ ! તે કાળ અને તે સમયમાં મથુરા નગરી હતી. ત્યાં ભંડીર ઉદ્યાન હતું. તેમાં સુદર્શન યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં શ્રીદાસ રાજા રાજ્ય કરતો હતો, તેની બંધુશ્રી રાણી હતી. તેમનો સર્વાંગ સંપૂર્ણ અને પરમ સુન્દર યુવરાજ પદથી અલંકૃત નન્દિવર્ધન નામનો પુત્ર હતો. શ્રીદાસ રાજાને સામ, ભેદ, દંડ અને દાનનીતિમાં નિપુણ સુબંધુ મંત્રી હતો. તે મંત્રીનો બહુમિત્રી પુત્ર નામનો એક બાળક હતો, જે સર્વાંગ સંપન્ન અને રૂપવાન હતો તથા તે શ્રીદાસ રાજાને ચિત્ર નામનો, અલંકારી નાઇ-હતો. તે રાજાનું અનેક પ્રકારે અલંકારિક કર્મ કરતો હતો. તે રાજાજ્ઞાથી સર્વસ્થાનોમાં, સર્વભૂમિકાઓ તથા અન્તઃપુરમાંપ્રતિબંધરહિત ગમનાગમનકરતો હતો.તેકાળઅનેતેસમયમાં શ્રમણ ભગવાનમહાવીર પધાર્યા, પરિષદ્ અને રાજા નીકળ્યાં યાવત્ પાછા ચાલ્યા ગયા.
તે સમયે ભગવાનમહાવીરસ્વામીના પ્રધાન શિષ્ય ગૌતમસ્વામી ભિક્ષાર્થે ગમન કરતાં યાવત્ રાજમાર્ગમાં પધાર્યા. ત્યાં તેમણે હાથીઓ, ઘોડાઓ અને પુરુષોને જોયા તથા તે પુરુષોની વચ્ચે રહેલા યાવત્ નરનારીઓથી ઘેરાયેલા એક પુરુષને પણ જોયો. રાજપુરુષો તેને ચત્ત્તર - અગ્નિની સમાન તપેલા લોહમય સિંહાસન પર બેસાડે છે, બેસાડીને કોઇ જસતના રસથી ભરેલા, કોઇ સીસાના રસથી ભરેલા અને કોઇ કળકળ શબ્દ કરતા ગરમ પાણીથી ભરેલા અને ક્ષારયુક્ત તેલથી પૂર્ણ, અગ્નિની સમાન તપેલા લોખંડના ઘડાઓથી અભિષેક કરી રહ્યાછે. ત્યાર બાદ તેને લોખંડની સાણસીથી પકડીને અગ્નિની સમાન તપેલા લોખંડનો અઢારસો હાર, નવસરો હાર તથા મુકુટ પહેરાવે છે. આ જોઇને ગૌતમસ્વામીને પૂર્વવત્ વિચાર ઉત્પન્ન થયો.
હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જંબુદ્રીપ નામના દ્વીપમાં સ્થિત ભારત વર્ષ ક્ષેત્રમાં સિંહાપુર નગર હતું. ત્યાં સિંહરથ રાજા રાજ્ય કરતો હતો. તેને દુર્યોધન નામનો એક કારાગૃહ રક્ષક - જેલર હતો, જે અધર્મો યાવત્ મુશ્કેલીઓથી પ્રસન્ન થનાર હતો. તેને ત્યાં અનેક પ્રકારની લોહમય કુંડીઓ હતી જેમાંથી કેટલીક પિગા બેલા ગરમ તામ્રથી પૂર્ણ હતી, કેટલીક જસતના ગરમ રસથી પરિપૂર્ણ હતી, સીસાથી પરિપૂર્ણ હતી, કેટલીક ચૂનામિશ્રિત ઊકાળેલા જળથી ભરેલી અને કેટલીક ક્ષારયુક્ત તેલથી ભરેલી હતી કે જે અગ્નિ ૫૨ જ મૂકેલી રહેતી હતી. દુર્યોધન નામના તે જેલર પાસે અનેક ઊંટોના પૃષ્ઠભાગ સમાન મોટા મોટા અનેક મટકા હતાં. તેમાંથી કેટ લાંક ઘોડાના મૂત્રથી ભરેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org