SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩ ૩૦૭ નષ્ટ કરી ઘો, લૂંટી લ્યો અને લૂંટીને તેના ચોર સેનાપતિ અલગ્નસેનને જીવતાં જ પકડીને મારી સામે ઉપસ્થિત કરો. કોટવાળ મહાબલ રાજાની આ આજ્ઞાને લોખંડને કુસૂલક આદિથી મુક્ત કવચને ધારણ કરનારા અનેક પુરુષોને સાથે લઈને હાથમાં ઢાલ બાંધેલા યાવતુ ક્ષિપ્રત્યે વગાડવાથી અને મહાનું ઉત્કૃષ્ટ આનન્દમય મહાધ્વનિ સિંહનાદ આદિ શબ્દો દ્વારા સમુદ્રની મધ્યમાંથી નીકળીને શાલા ટવી ચોરપલી તરફ ગયો. ત્યાર પછી અગ્નિસેન ચોરસેનાપતિના ગુપ્તચર પુરુષોને આ સારીએ વાતનો પત્તો લાગી ગયો, તેથી તે શાલાટવી ચોરપલ્લીમાં જ્યાં અભગ્ન સેન ચોરસેનાપતિ હતો ત્યાં ગયા. બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી અભગ્નસેનને સમાચાર આપ્યા અગ્નિસેનને જીવતો. ત્યાર બાદ અભગ્નસેન ચોર સેનાપતિએ પોતાના ગુપ્તચરોની વાત સાંભળી તથા વિચાર કરીને પાંચસો ચોરોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! તે કોટવાળ ચોરપલ્લી સુધી પહોંચે તે પહેલાં જ તેને રસ્તામાં રોકી દેવા જોઈએ તે જ આપણે માટે યોગ્ય લાગે છે. અભગ્નસેનની આ વાતને ચોરોએ “એમ જ થવું જોઈએ” એમ કહીને સ્વીકારી, ત્યાર પછી અભગ્નસેન સેનાપતિએ પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિય વસ્તુઓને તૈયાર કરાવી તથા પાંચસો ચોરો સાથે, સ્નાનાદિથી તિવૃત્ત થઈ, ખરાબ સ્વપ્નાદિના ફળને નિષ્ફળ બનાવવા માટે મસ્તક પર તિલક તથા અન્ય માંગ લિકો કરીને, ભોજનશાળામાં તે મદિરાઓનું રુચિ અનુસાર આસ્વાદન, વિસ્વા દન, આદિ કરવાનું શરૂ કર્યું. ભોજન બાદ ઉચિત સ્થાન પર આવીને આચમન કર્યું અને મુખના લેપાદિને દૂર કરીને પાંચસો ચોરો સાથે ભીના ચામડા પર આરોહણ કર્યું. ત્યાર બાદ દ્દઢ બંધનોથી બાંધેલા અને લોખંડના કુસૂલક આદિથી યુક્ત કવચને ધારણ કરીને થાવત્ અસ્ત્ર-શસ્ત્રોથી સુસજ્જિત થઈને, હાથમાં ઢાલ લઈને યાવતું મહાનું ઉત્કૃષ્ટ અને સિંહનાદ આદિના શબ્દો દ્વારા આકાશને ગુંજાયમાન કરતા અગ્નિસેને શાલાટવી ચોર પલ્લીથી દિવસના ચોથા પ્રહરમાં પ્રસ્થાન કર્યું અને ખાદ્ય પદાથોને સાથે લઈને વિષમ અને ગાઢ વનમાં રહીને તે, કોટવાળની પ્રતીક્ષા કરવા લાગ્યો. ત્યારબાદ તે કોટવાળ જ્યાં અગ્નિસેન ચોર સેનાપતિ હતો. ત્યાં આવે છે, આવીને તેની સાથે યુદ્ધમાં જોડાઈ જાય છે પરન્તુ અભગ્નસેન ચોર સેનાપતિ દ્વારા મદન અને પ્રતિષેધ થવા પર તેજહીન, બળહીન, વીર્યહીન, તેમજ પુરુષાર્થ અને પરાક્રમથી રહિત થયેલો તે કોટવાળ શત્રુસેનાને પરાજિત કરવી અશક્ય સમજીને પાછો પરિમ તાલ નગરમાં મહાબળ રાજા પાસે જાય છે અને બન્ને હાથ જોડી મસ્તક પર અંજલિ કરી આ પ્રમાણે કહે છે - સ્વામિનું! અભગ્નસેન ચોર સેનાપતિ ઊંચા નીચા,દુર્ગમ અને ગહન વિનમાં પર્યાપ્ત ખાદ્ય તથા પેય સામગ્રી સાથે રહેલો છે, તેથી મોટા અશ્વબળ, ગજબળ, યોદ્ધાઓના બળ અને રથબળ, અરે! શું નિવેદન કરે! ચતરંગિણી સેનાના બળથી પણ તે સામેના યુદ્ધમાં જીવતો પકડી શકાશે નહીં. તે સામ નીતિ - ભેદ-નીતિથી, ઉપપ્રદાન નીતિથી અથવા વિશ્વાસુ બનાવીને પકડી શકાશે. જ્યારે કોટવાળે આ પ્રમાણે કહ્યું ત્યારે મહાબળ રાજા અલગ્નસેનના જે આભ્યન્તર જનો હતા અને જે અંગ -રક્ષકોને તે મસ્તકના કવચ સમાન માનતો હતો તેમનો તથા મિત્ર તથા મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી અને નોકર વર્ગને ધન, સુવર્ણ, રત્ન અને ઉત્તમ સારભૂત દ્રવ્યો તથા રૂપિયા, પસાવડે તેનાથી જુદા કરવાનો પ્રયત્ન કરે છે અને અગ્નિસેન ચોર સેનાપતિને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy