________________
૨૭૭
• આશ્રય, અધ્યયન-૫ ભોગવ્યા સિવાય ન છુટા તેવું કર્મ છે.
૨૫-૨૯]એ પ્રમાણે આસવો કર્મરુપી રજથી જીવને મલિન કરે છે અને સમયે સમયે જીવને ચાર ગતિના કારણ રુપ સંસારમાં રખડાવે છે. તે અનંત અધર્મયુક્ત અને અમૃતપુણ્ય જીવો ધર્મને સાંભળતા નથી અને સાંભળીને પ્રમાદ કરે છે, તેઓ સર્વ ગતિમાં ભટકે છે. બહુ પ્રકારે ઉપદેશ પામ્યા છતાં મિથ્યાદ્રષ્ટિ અને બુદ્ધિહીન અને નિકાચિત કર્મથી બંધાયેલા મનુષ્યો ધર્મને સાંભળ્યા છતાં આચરે નહિ. સર્વ દુઃખોનો અંત લાવનારા, ગુણમાં મધુર એવા જિનવચન રુપી ઔષધ આપ્યા છતાં જેઓ તે પીવાને ઈચ્છતા નથી તેઓ શું કરી શકવાના છે ? જેઓ પાંચ આસ્રવ છાંડીને પાંચ સંવરને ભાવપૂર્વક પામે છે, તેઓ કર્મરુપી રજથી મુક્ત થઈને સિદ્ધિને પામે છે. અધ્યયન પ-આસ્રવઢાર-પની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
| આશ્રવધાર-ગુર્જરછાયાપૂર્ણ ]
કર સંવરદ્વાર પર
(અધ્યયન-સંવરદ્વાર ૧) ૩િ૦હે જંબૂ ! સર્વ દુઃખોના ક્ષયને માટે જે રીતે ભગવંતે કહ્યા છે તે રીતે હું પાંચ સંવરદ્વારને અથતુ આશ્રય-નિરોધ દ્વારોને અનુક્રમે કહીશ.
[૩૧]પહેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું દત્તાનુગ્રહણ (આજ્ઞા આપેલી વસ્તુજ લેવી) ચોથું બ્રહ્મચર્ય અને પાંચમું અપરિગ્રહત્વ.
[૩૨]પાંચ સંવર દ્વારોમાં પહેલું અહિંસા (સંવરદ્વાર) ત્રસ અને સ્થાવર જીવોને કલ્યાણકારી એવી આ અહિંસાને ભાવના સહિત તેના ગુણોના પરિચયપૂર્વક કહીશ.
[૩૩]હે સુવ્રતધારી જંબૂ ! જે સંવરો કહેવાયા છે તે સંવર આ પ્રકારે મહાવ્રત રૂપ છે લોકહિતને માટે શ્રેષ્ઠ વ્રત સ્વરૂપ છે. શ્રતમાં તેને સાગર સમાન કહ્યા છે. તપસંયમ-મહાવ્રત રૂપ છે. શ્રેષ્ઠ શીલ-ગુણરૂપ પણ છે, સત્ય અને આર્જવતા રૂપ છે. ચાર ગતિનું વર્જન થાય છે. સર્વે જિનેશ્વરોએ તે ઉપદેશેલ છે. કર્મ રજના વિદારક છે. સેંકડો ભવોનો નાશક છે. સેંકડો દુઃખોનો સંવરવડે મોક્ષ-છૂટકારો થાય છે સેંકડો સુખોનો પ્રવર્તક છે. કાપુરુષો વડે ધારણ કરવાને અશક્ય અને પુરુષો વડે સેવન-આચરણ કરવા યોગ્ય છે. નિવણ ગમન કે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર છે. તેવા પ્રકારના આ પાંચ સંવર દ્વારો છે. તેમાં પહેલું “અહિંસા” છે.
આ અહિંસા દેવ મનુષ્ય અને અસુર લોક ને માટે દ્વીપ સમાન છે. જીવોને માટે રક્ષણ-શરણ-ગતિ-પ્રતિષ્ઠા રૂપ છે. આ અહિંસાના નિવણ. નિવૃત્તિ, સમાધિ, શાંતિ કિર્તિ, રતી, વિરતી, મૃતાંગ, તૃપ્તિ, દયા, વિમુક્તિ શાન્તિ સમ્યક્ આરાધના, મહતી. બોધી, ધૃતિ, સમૃદ્ધિ, દ્ધિ, વૃદ્ધિ, સ્થિતિ, પુષ્ટિ, નંદા, ભદ્રા, વિશુદ્ધિ, લબ્ધિ, વિશિષ્ટ વૃષ્ટિ કલ્યાણ, મંગલ, પ્રમોદ, વિભૂતી, રક્ષા, સિદ્ધિ-આવાસ. અનાસ્ત્રવ, કેવલીનું સ્થાન, શિવ, સમિતિ, શીલ, સંયમ, શીલગૃહ, સંવર, ગુખી, અધ્યવસાય, ઉશ્રય, યજ્ઞ આયતન,જયણા,અપ્રમાદ,આશ્વાસ,વિશ્વાસ, અભય,સર્વજીવોની લક્ષ્મીનાઅનાઘાત, ચોક્ષા, પવિત્ર, શુચિ, પૂજા, વિમલા, પ્રકાશરૂપ નિર્મલતર વગેરે સાઈઠ નામો કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org