SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ નાયાધમ્મ કહાઓ- ૧/-/૧/૨૦ પહોંચેલ છે તેથી ચિંતિત થઈ રહ્યા છે, એનું કઈ કારણ હોવું જોઈએ. મારે શ્રેણિક રાજાને આ વાત પૂછવી યોગ્ય છે. અભયકુમાર આ પ્રમાણે વિચાર કરે છે, અને વિચાર કરીને જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે. આવીને બંને હાથ જોડીને મસ્તક પર આવર્ત કરીને અંજલિ કરીને જય વિજયથી વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહે છે. હે તાત! આપ અન્ય સમયે મને આવતા જોઈને આદર કરતા, યાવતુ નિમંત્રણ કરતા. પરંતુ હે તાત! આજે મને આદર આપતા નથી. યાવતું આસન પર બેસવાને માટે નિમંત્રણ કરતા નથી અને મનનો સંકલ્પ નષ્ટ થઈ જવાને કારણે કાંઈક ચિંતા કરી રહ્યા છો તો આ વિષયમાં કાંઈક કારણ હોવું જોઈએ તો હે તાત! આપ આ કારણને છુપાવ્યા વિના, ઇષ્ટ પ્રાપ્તિમાં શંકા રાખ્યા વિના, અપલાપ કર્યા વિના, દબાવ્યા વિના જેવું હોય તેવું સત્ય તેમજ સંદેહ રહિત કહો પછી હું તે કારણના અન્ત સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ. ત્યારપછી શ્રેણિક રાજાએ અભય કુમારને આ પ્રમાણે કહ્યું પુત્ર ! તમારી નાની માતા ધારિણી દેવીના ગર્ભને બે માસ વ્યતીત થવા છે અને તૃતીય માસ ચાલી રહ્યો છે. તેને દોહદ કાળના સમયે આ પ્રમાણેનો દોહદ ઉત્પન્ન થયેલ છે-યાવતુ પોતાના દોહદને પૂર્ણ કરે છે. ત્યારે હે પુત્ર! હું ધારિણી દેવીના આ અકાળ દોહદના પૂર્તિના ઉપાયને જાણી શકતો નથી. તેથી મારા મનનો સંકલ્પ નષ્ટ થઈ ગયો છે, અને હું ચિંતા કરું છું. મેં એ પણ ન જાણ્યું કે તું આવ્યો છે તેથી હે પુત્ર! ચિંતા કરી રહ્યો છું. અભયકુમાર શ્રેણિક રાજા પાસેથી આ અર્થ સાંભળીને અને સમજીને હૃષ્ટ તુષ્ટ અને આનંદિત દય થયો તેણે શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું હે તાત! આપ ભગ્ન-મનોરથ થઈને ચિંતા ન કરો હું તેવો કોઈ ઉપાય કરીશ જેથી મારી નાની માતા ધારિણી દેવીના આ પ્રકારના આ અકાળ દોહદના મનોરથની પૂતિ થાય. ત્યાર પછી શ્રેણિક રાજા અભય કુમારના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થયા, તે અભય કુમારનો સત્કાર કરે છે સન્માન કરે છે. વિદાય આપે છે. ૨૧] ત્યાર પછી તે અભયકુમાર શ્રેણિક રાજાની પાસેથી નીકળે છે, નિકળીને જ્યાં પોતાનું ભવન છે, ત્યાં આવે છે, આવીને સિંહાસન ઉપર બેસે છે. ત્યાર પછી તે અભય કુમારને આ પ્રકારનો આ આંતરિક સંકલ્પ ઉત્પન્ન થયો, દિવ્ય ઉપાય વિના. કેવળ માનવીય ઉપાયથી મારી નાની માતા ધારિણી દેવીના અકાળ દોહદના મનોરથની પૂતિ થવી શક્ય નથી. સૌધર્મ કલ્પમાં રહેનાર દેવ મારો પૂર્વનો મિત્ર છે. જે મહાન ઋદ્ધિ નો ધારક યાવતું મહાન સુખ ભોગવનાર છે. તો મારા માટે તે શ્રેયસ્કર છે. કે હું પૌષધ શાળામાં પૌષધ ગ્રહણ કરીને બ્રહ્મચર્ય ધારણ કરીને મણિ-સુવર્ણઆદિના અલંકારોનો ત્યાગ કરીને, માલા વર્ણક, અને વિલેપનનો ત્યાગ કરીને, શસ્ત્ર મૂસલ આદિ છોડીને, એકાકી અને અદ્વિતીય થઈને, ડાભના સંથારા પર સ્થિત થઈને, અઠ્ઠમની તપસ્યા ગ્રહણ કરીને, પહેલાના મિત્ર દેવનું મનમાં ચિંતન કરૂં. એમ કરવાથી તે પૂર્વનો મિત્ર દેવ મારી લઘુમાતા ધારિણી દેવીના આ પ્રકારના આ અકાળ મેઘો સંબંધી દોહદને પૂર્ણ કરી દેશે. અભયકુમાર આ પ્રમાણે વિચાર કરીને જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે. આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કરે છે પ્રમાર્જન કરીને ઉચ્ચાર પ્રસ્ત્રવણ ભૂમિનું પ્રતિલેખન કરે છે. ડાભના સચારાનું પ્રતિલેખન કરે છે. બેસીને અઠ્ઠમ ભક્ત તપને ગ્રહણ કરે છે. પૌષધ યુક્ત થઈને બ્રહ્મચર્ય અંગીકાર કરીને યાવતુ પહેલાના મિત્ર દેવનું મનમાં પુનઃ પુનઃ ચિંતન કરે છે. ત્યાર પછી અભયકુમારને અઠ્ઠમ ભક્ત તપ પ્રાયપૂર્ણ થવા આવ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy