________________
[૨૪૨]
नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ
૯ | અનુત્તરોવવાઇય દસાઓ
નવમુંઅંગસૂત્ર-ગુર્જરછાયા
વર્ગ-૧
-:અધ્યયન-૧-૧૦:
[૧]તે કાળે અને તે સમયેમાં રાજગૃહ નામનું નગર હતું તે નગરમાં શ્રેણિક રાજા હતા, તેમને ચેલણા નામની રાણી હતી. ગુણશીલ નામનું ઉઘાન હતું. તે કાળે અને તે સમયમાં રાજગૃહમાં આર્યસુધર્મસ્વામી પધાર્યા.પરિષદઆવી.ધર્મદેશના સાંભળીને પરિષદ્ પાછી ફરી. આર્ય જંબુસ્વામી શ્રી સુધર્માસ્વામીને વંદન-નમસ્કાર કરીને પૂછવા લાગ્યા-અહો ભગવન્ ! શ્રમણ યાવત્ મોક્ષને પ્રાપ્ત થયેલ ભગવાન મહાવીર સ્વામીએ આઠમાં અંગ અતકૃતદશાંગ સૂત્રનો આ પ્રમાણે અર્થ કહેલ છે, તો નવમાં અંગ અનુત્તરોવવાઈયદશાંગનો શું અર્થ કહેલ છે ? ત્યારે તે સુધર્મસ્વામી જંબૂ સ્વામીને આ પ્રમાણે કહેવા લાગ્યા. હે જંબૂ ! નવમાં અંગ અનુતરોવવાઈયદશાંગ સૂત્રના ત્રણ વર્ગ કહેલ છે. હે ભન્તે ! અનુત્તરોવ વાઈયદશાંગ સૂત્રના પ્રથમ વર્ગના કેટલા અધ્યયનો પ્રરૂપ્યાં છે ? પ્રથમ વર્ગના દશ અધ્યયનો પ્રરૂપેલા છે, તો આ પ્રમાણે જાલિ મયાલિ, ઉવયાલિ, પુરુષસેન, વારિષણ, દીર્ઘદાન્ત, લષ્ટદાંત, વેહલ્લ, વેહાયસ,અભય કુમાર.પ્રથમ અધ્યયનનો ભગવાને શો અર્થ પ્રરૂપ્યો છે ?
હે-જંબૂ ! તે કાળે અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તે નગર ધન-વૈભવ ભવન અને જનસમૂહથી સંપન્ન હતું. ગુણશીલ ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક રાજા હતા. ધારિણી રાણી હતી. એકદા ધારિણી દેવીએ સ્વપ્રમાં સિંહને જોયો. સ્વપ્ર જોઈને જાગ્રત થાય છે યાવત્ જાલિકુમારનો જન્મ થાય છે. મેઘકુમારની જેમ જાલિકુમારનું વર્ણન સમજવું. જાલિકુમારના આઠ કન્યાઓથી સાથે લગ્ન થાય છે યાવત્ સુખનો અનુભવ કરતો વિચરે છે. સ્વામી સમોસર્યા શ્રેણિક નીકળ્યા મેઘકુમારની જેમ જાલીકુમાર નીકળ્યા દીક્ષા લીધી. અગ્યાર અંગનો અભ્યાસ કરે છે. સ્કન્ધક મુનિની જેમ ગુણરત્ન તપોકર્મ આદરે છે વગેરે સર્વે સંદક મુનિની માફક જાણવું. પ્રભાત પછી ભગવાનને પૂછીને સ્થવિર સાધુઓની સાથે વિપુલ પર્વત ઉપર ચડે છે. સંલેખના કરે છે. વિશેષ એકે સોળ વર્ષની શ્રામણ્યપર્યાયને પાળીને અને કાળના અવસરે કાળ કરીને ઉપર ચન્દ્રમાં, સૂર્ય આદિ તથા સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર ઈત્યાદિ બાર દેવલોક અને નવ ગ્રેવેયકથી પણ ઉપર જઈને વિજય નામક અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org