________________
અધ્યયન-૮
૨૦૭ વડે યાવતુ ક્ષયોપશમ વડે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે અવધિજ્ઞાનથી પૂર્વ દિશાએ લવણ સમુદ્રમાં હજાર યોજન પ્રમાણ ક્ષેત્ર જાણે છે અને દેખે છે. એમ દક્ષિણ અને પશ્ચિમ દિશાએ પણ જાણવું, ઉત્તર દિશાએ યાવતું ચુલહિમવંત વર્ષધર પર્વતને જાણે છે અને દેખે છે. અધોદિશામાં રત્નપ્રભાપૃથ્વીના ચોરાશીહજારવરસની સ્થિતિવાળા લોલુ પાશ્રુત નામના નરકાવાસને જાણે છે અને દેખે છે.
પિ૪]ત્યાર બાદ તે રેવતી ગૃહપત્ની અન્ય કોઈ દિવસે મત્ત-ઉન્મત્ત થયેલી, યાવતુ ઉત્તરીય ઉપરનાં વસ્ત્રને કાઢી નાખતી જ્યાં પોષધશાલા છે અને જ્યાં મહા શતક શ્રમણોપાસક છે, ત્યાં આવે છે. આવીને મહાશતક શ્રમણોપાસકને પૂર્વ પ્રમાણે કહે છે. યાવતુ તેણે બીજી વાર અને ત્રીજી વાર એ પ્રમાણે કહ્યું ત્યારે મહાશતકે પોતાના અવવિજ્ઞાનનો પ્રયોગ કર્યો, અને અવધિજ્ઞાન વડે જાણ્યું. જાણીને તેણે રેવતી ગૃહપત્નીને આ પ્રમાણે કહ્યુંઃ અપ્રાર્થિત ની પ્રાર્થના કરનાર હે રેવતી! તું ખરેખર સાત રાતની અંદર અલસક રોગ વડે પીડિત થઈ, આર્તધ્યાનની અત્યંત પરવશતાથી દુખી થયેલી અસમાધિને પ્રાપ્ત થઈને મરણ પામીને, રત્નપ્રભા પૃથ્વીના લોલુપાચ્યત નરકમાં ચોરાશી હજાર વરસની સ્થિતિવાળા નૈરયિકોમાં નારકપણે ઉત્પન્ન થઈશ.
મહાશતક શ્રમણોપાસકના એપ્રમાણેકહેવા પર તે રેવતી ગૃહપત્ની બોલીઃ “મહા શતક શ્રમણોપાસક મારા ઉપર ગુસ્સે થયેલ છે. મહાશતક શ્રમણોપાસક મારા ઉપર હીનવિરક્ત થયો છે હું નથી જાણતી કે હું ક્યાં પ્રકારના મૃત્યુથી મરાઈશ.” એમ વિચારી ભયભીત થઈ, ત્રાસ પામી, ગભરાઈ, ઉદ્વિગ્ન થઈ, અને અત્યંત ભય પામીને ધીમે ધીમે પાછી ચાલી ગઈ. પાછી જઈને જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવી, આવીને અપ હત થયેલી છે મનની ઈચ્છા જેની એવી તે યાવતુ ઉદાસ થઈ, ચિત્તામગ્ન થઈ ગઈ. ત્યાર પછી રેવતી ગૃહપત્ની સાત રાતની અંદર અલસક વ્યાધિ વડે પીડિત થઈ આર્તધ્યાનની અત્યંત પરા ધીનતા વડે દુઃખી થઈ કાલ સમયે કોલ કરીને રત્નપ્રભા નરકપૃથ્વીના લોલુ પામ્યુત નરકમાં ચોરાશી હજાર વરસની સ્થિતિવાળા નૈરયિકોમાં નારક રૂપે ઉત્પન્ન થઈ.
પિપીતે કાલ તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા, યાવતુ પરિષદ ધર્મદિશના સાંભળી અને વંદન-નમસ્કાર કરી પાછી ગઈ. ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું : હે ગૌતમ ! અહીં રાજગૃહ નગરમાં મારો અન્ત- વાસી શિષ્ય મહાશતક નામે શ્રમણો પાસક પોષધશાલામાં છેલ્લી મારણાન્તિક સંલે ખના વડે કૃશ થયેલાં શરીરવાળો અને જેણે ભાત પાણીનું પ્રત્યાખ્યાન કર્યું છે એવો, કાલની દરકાર નહિ કરતો વિચરે છે. તે મહાશતકની પત્ની રેવતી મદોન્મત્ત થયેલી યાવતુ ઉપરનાં વસ્ત્રને કાઢી નાખતી પૌષધ શાલામાં મહાશતક પાસે આવી, આવીને મોહોન્માદને ઉત્પન્ન કરનારી વાતો અને તે આ પ્રમાણે બોલીઃ “હે મહાશતકા' ઈત્યાદિ પૂર્વ તુ કહી લેવું,
ત્યારે મહાશતક શ્રમણોપાસક ગુસ્સે થઈ ગયો, તેણે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો અને અવધિજ્ઞાન વડે જાણીને રેવતી ગૃહપત્નીને કહ્યું: તોહે ગૌતમ ! અપશ્ચિમ-મારણા ' બ્લિક સંલેખના વડે જેનું શરીર ક્ષીણ થયું છું અને ભક્તપાનનું જેણે પ્રત્યાખ્યાન કર્યું છે
એવો શ્રમણોપાસકને સત્ય, તથ્ય અને સદ્દભૂત હોવા છતાં પણ અનિષ્ટ, અનિચ્છનીય, અપ્રિય,અમનોજ્ઞ, અમનામ-અમનોહર શબ્દ વડે બીજાને કહેવું તે યોગ્ય નથી, માટે હે દેવાનુપ્રિય ! તું જા અને મહાશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહે કેઃ હે દેવાનુપ્રિય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org