________________
૧૯૦
ઉવાસગ દસાઓ - ૨/૨૨
આજે આ નીલકમલ જેવી યાવત્ તલવાર વડે તારા ટુકડેટુકડા કરી નાખીશ. જેથી હે દેવાનુપ્રિય! તું આર્તધ્યાનની -અત્યંત પરાધીનતાથી પીડિત થઈ અકાળમાં જ જીવનથી રહિત થઈ જશે. ત્યારબાદ તે પિશાચરૂપ દેવે આ પ્રમાણે કહેવા છતાં તે કામદેવ શ્રમણોપાસક ભયભીત થયા સિવાય,-ત્રાસ પામ્યા વગર, ઉદ્વેગરહિત,-ક્ષોભરહિત, અચલિત, અસંભ્રાન્ત, નિશ્ચલ, તૃષ્ણીક મૌન રહી ધર્મધ્યાનમાં સ્થિર રહે છે.
[૨૨]ત્યારે તે પિશાચરૂપ દેવ, કામદેવ શ્રમણોપાસકને નિર્ભય યાવત્ ધર્મધ્યાન માં સ્થિર જુએ છે. જોઈને બીજી વાર પણ કામદેવને એ પ્રમાણે કહે છે, અપ્રાર્થિતની પ્રાર્થના ક૨ના૨ હે કામદેવ! જો તું આજે શીલવ્રત વગેરેનો ત્યાગ નહિ કરે તો તું યાવત્ જીવનથી મુક્ત થઈશ. ત્યારબાદ તે દેવ બીજી વાર ત્રીજીવાર પણ પ્રમાણે કહે છે. તો પણ કામદેવ ભયભીત થયા સિવાય યાવત્ ધર્મધ્યાનમાં સ્થિર રહે છે.
[૨૩]ત્યાર બાદ તે પિશાચરૂપ દેવ કામદેવ શ્રમણોપાસકને નિર્ભીક રહેલો જુએ છે. જોઈને ગુસ્સે થઈ ત્રિવલીયુક્તભમર લલાટ ઉપર કરીને કામદેવ શ્રમણોપાસકના નીલકમળ જેવી યાવત્ તલવાર વડે ટુકડે-ટુકડા કરે છે. ત્યાર પછી તે કામદેવ શ્રમણો પાસક આ તીવ્ર દુસ્સહ વેદનાને સમ્યક્ પ્રકારે યાવત્ સહન કરે છે. ત્યાર બાદ પણ તે પિશાચરુપ દેવ, કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને જ્યારે તે કામદેવશ્રમણોપાસકને નિર્પ્રન્થ-પ્રવચથી ચલાયમાનકરવાને ક્ષોભપમાડવાને, અન્યથા પરિણામ કરવાને શક્તિમાન થતો નથી. ત્યારે શ્રાન્ત થયેલો- ધીમેધીમે પાછા ફરે છે. પાછો ફરી પોષધશાલાથી બહાર નીકળે છે. બહાર નીકળે છે. બહાર નીકળીને દિવ્ય પિશાચના રૂપનો ત્યાગ કરે છે. ત્યાગ કરીને એક મોટું હાથીનું રૂપ વિકુર્વે છે. તેના સાત અંગ પૃથ્વી પર લાગેલાં હતાં. તે સમ્યક્ સંસ્થિત સુંદર આકૃતિવાળો હતો. પૂરા દિવસે જન્મેલા, આગળથી ઊંચો અને અને પાછળથી વરાહના જેવો હતો. અજાના જેવું પેટ પાળો, અલમ્બ કુક્ષિ- લાંબા હોઠ અને સૂંઢવાલો, અને મુકુલાવસ્થાને પ્રાપ્ત થયેલા મલ્લિકા મોગરાનાં પુષ્પની પેઠે સ્વચ્છ અને ધોળા દાંતવાળો હતો. તેનાં દાંતો સુવર્ણની કોશી ખોળીમાં પ્રવિષ્ટ હતા. તે સૂંઢનો અગ્રભાગ કંઈક નમાવેલ ધનુષની પેઠે-ચેષ્ટા વાળો અને -સંકુચિત હતો. તેના પગો કાચબાની જેમ પરિપૂર્ણ હતા. વીશ નખવાળો સંગત અને પ્રમાણયુક્ત પુચ્છવાળો એવો હાથી હતો.
મન્દોન્મત્ત અને મેઘની પેઠે ગર્જના કરતો હતો. મન અને પવનને તેનો વેગ હતો. એવો દિવ્ય હાથીનું રૂપ તે દેવ વિકુર્વે છે. વિકુર્તીને કામદેવ શ્રમણોપાસકને કહે છે, હે કામદેવ! ઈત્યાદિ તેમ જ કહે છે જેમ પિશાચરૂપે કહ્યું હતું, યાવત્ શીલ વગેરેને ભાંગીશ નહિ તો આજે તને સૂંઢથી ગ્રહણ કરીશ, ગ્રહણ કરીને પોષધાશાલાથી બહાર લઈ જઈશ. લઈને ઉ૫૨ આકાશમાં ફેંકીશ. ફેંકીને તીક્ષ્ણ દાંતરૂપી મુશળો વડે ગ્રહણ કરીશ. ગ્રહણ કરીને નીચે પૃથ્વીના તલ ઉપર ત્રણ વાર પગો વડે રોળીશ. જે રીતે તું આર્ત ધ્યાનની દુર્ઘટ પરાધીનતાથી પીડિત થયેલો અકાળે જીવનથી મુક્ત થઈશ. હસ્તી રૂપ દેવ એ પ્રમાણે કહ્યું તો પણ કામદેવ શ્રમણોપાસક ભય પામ્યો નહિ.
[૨૪]ત્યારબાદ તે હસ્તીરૂપ દેવ કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને બીજી વાર અને ત્રીજીવાર પણ કામદેવ શ્રમણોપાસકને એ પ્રમાણે કહે છેઃ હે કામદેવ! ઈત્યાદિ પૂર્વવત્ વધુ કહેવું યાવત્ તે પણ તેમજ નિર્ભય જ રહે છે. ત્યાર પછી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org