________________
-
-
શ્રુતસ્કંધ-૨, વર્ગ-૧, અધ્યયન-૧
૧૭૫ સન,અવસગ્નવિહારિણી, કુશીલા. કુશીલવિહારિણી, યથા છંદા, યથાછંદવિહારિણી, સંસકતા, સંસક્તવિહારિણી થઇને, ઘણાં વર્ષો સુધી ગ્રામય પયયનું પાલન કરીને, અર્ધમાસની સંલેખના કરીને, આત્મા ને ક્ષીણ કરીને ત્રીસ ભક્ત અનશનને છેદીને, તે પાપસ્થાનની આલોચના અને પ્રતિ ક્રમણ કર્યા વિના કાળસમયે કાળ કરીને ચમચંચા રાજધાનીમાં કાલવતંસક નામના વિમાનમાં, ઉપપાત સભામાં, દેવશય્યામાં. દેવદૂષ્ય વસ્ત્રથી અંતરિત થઈને અંગુલની અસંખ્યાતમા ભાગની અવગાહના દ્વારા કાલી દેવીના રૂપે ઉત્પન્ન થઈ.
- ત્યાર પછી કાલી દેવી તત્કાલ ઉત્પન્ન થઈને સૂર્યાભિદેવની જેમ યાવતુ પાંચ પતિથી યુક્ત બની ગઈ. ત્યાર પછી તે કાલી દેવી ચાર હજાર સામાનિક દેવો તથા અન્ય ઘણા કાલાવતુંસક નામના ભવનમાં નિવાસ કરનાર અસુરકુમાર દેવોનું તથા દેવીઓનું અધિપતિત્વ કરતી થકી રહેવા લાગી. આ પ્રમાણે હે ગૌતમ! કાલી દેવીએ તે દિવ્ય દેવઋદ્ધિ પ્રાપ્ત કરી. યાવતું ઉપભોગમાં આવવા યોગ્ય બનાવી છે. “ભગવન! કાલી દેવીની કેટલી કાલની સ્થિતિ કહી છે? “હે ગૌતમ! અઢી પલ્યોપમની સ્થિતિ કહી છે. ગૌતમ - ભગવન! તે કાલી દેવી તે દેવલોકથી અનંતર ઍવીને ક્યાં ઉત્પન્ન થશે ? ભગવાન - હે ગૌતમ! તે મહાવિદેહ ક્ષેત્રથી સિદ્ધ થશે.’
(વર્ગઃ ૧- અધ્યયન ૨-રાજી) [૨૨૧] જો યાવતુ સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર જિનેશ્વરે પ્રથમ વર્ગ ના પ્રથમ અધ્યયનનો પૂવક્ત અર્થ ફરમાવેલો છે તો પ્રથમ વર્ગના બીજા અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે ?” “હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તેમાં ગુણશીલ ચૈત્ય હતું. સ્વામી સમોસય. પરિષદ નીકળી યાવતું પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં રાજી નામક દેવી ચમચંચા રાજધાનીથી કાલી દેવીની જેમ ભગવાનને વાંદવા આવી. નાટ્યવિધિ બતાવીને યાવતુ પાછી ચાલી ગઇ. તે સમયે ગૌતમે તેણીનો પૂર્વભવ પૂછડ્યો. ભગવાને કહ્યું, “હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આમલકલ્યા. નામની નગરી હતી. આમ્રશાલવન ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતો. રાજી નામક ગાથાપતિ હતો. તેને રાજીશ્રી ભાયી હતી. રાજી તેમની પુત્રી હતી. પાર્થ નાથ પ્રભુ સમોસય.જે રાજી પુત્રી વન્દન કરવા નીકળી.કાલીની જેમ સંયમ લઈને શરીર બાકુશિકા બની ગઇ. ઇત્યાદિ સર્વવૃત્તાન્ત કાલી સમાન જાણવું યાવત્ અંતે સિદ્ધ થશે.”
(વર્ગઃ ૧- અધ્યયન-૩-રજની). [૨૨૨] જો બીજા અધ્યયનનો પૂર્વોક્ત અર્થ કહ્યો તો ત્રીજા અધ્યનનો શું અર્થ ફરમાવેલ છે ?” “આ પ્રમાણે હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહનગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. જેમ રાજીના સંબંધમાં કહ્યું તે જ પ્રમાણે રજનીનું પણ જાણવું. વિશેષતા એ કે આમકલ્પા નગરીમાં રજની ગાથાપતિની રજની શ્રી તેની ભાય હતી. રજની દારિકાપુત્રી હતી. શેષ સર્વ વૃત્તાન્ત પૂર્વવત, સમજવો.
( વર્ગ ૧- અધ્યયન-૪-વિદત). [૨૩] તે જ પ્રમાણે વિદ્યુતનું વૃત્તાન્ત પણ સમજવું. આમલકલ્પા નગરી, વિદ્યુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org