________________
૧૬o
નાયાધમ્મ કહાઓ - ૧/-/૧૭/૧૮૪ આ કાલિક-દ્વીપ દેખાઈ રહ્યો છે.તે સમયે તેકુક્ષિધાર,કર્ણધાર,આદિ તે નિયમિકની વાત સાંભળીને અને સમજીને હૃષ્ટતું ર થયા. પછી દક્ષિણ દિશાના અનુકૂલ વાયુથી જ્યાં કાલિક દ્વીપ હતો, ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને લંગર નાંખ્યું. લંગર નાખીને નાની નૌકા દ્વારા કાલિક દ્વીપમાં ઉતર્યા.
તે કાલિક દ્વીપમાં તેમણે ઘણી ચાંદીની ખાણ, સોનાની ખાણ, રત્નોની ખાણ, હીરાની ખાણ, અને ઘણા અશ્વ જોયા. તે આકીર્ણ હતા. તેનો વેઢ ઉત્તમ જાતિના ઘોડા સમાન જાણવું. તે ઘોડા નીલ વર્ણવાળી રેણના સમાન વર્ણવાળા અને શ્રોસિસૂત્રક હતા. તે અશ્વોએ તે વણિકોને જોયા. અને તેમની ગંધ સુંઘી ગંધ સુંધીને તેઓ ભયભીત થયા. ત્રાસને પ્રાપ્ત થયા, ઉદ્વિગ્ન થયા. તેથી તેઓ કેટલાય યોજન દૂર ભાગી ગયા. ત્યાં તેઓને ઘણાજ ગોચર પ્રાપ્ત થયા. ખૂબ ઘાસ અને પાણી મળવાથી તેઓ નિર્ભય અને નિરુદ્વેગ થયા અને સુખપૂર્વક ત્યાં ચરવા લાગ્યા. ત્યારે તે નૌકાવણિકોએ આપસમાં આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિયો ! આપણે ઘોડાનું શું પ્રયોજન છે? અહીં ઘણી જ ચાંદીની ખાણ, સોના ની ખાણ, રત્નોની ખાણ અને હીરાની ખાણો છે. તેથી આપણે સોના-ચાંદીથી, રત્નોથી અને હીરાથી જહાજ ભરી લેવું તે શ્રેયસ્કર છે. તેઓએ સુવર્ણથી, ચાંદીથી, હીરાથી, ઘાસથી, અન્નથી, કાષ્ટોથી અને મીઠા પાણીથી પોતાનું જહાજ ભરી લીધું. ભરીને દક્ષિણ દિશાના અનુકૂલ વાયુથી જ્યાં ગંભીર પોતવહનપટ્ટન હતું, ત્યાં આવ્યા. આવીને જહાજને લંગર નાંખ્યું. ગાડી-ગાડા તૈયાર કર્યો. તૈયાર કરીને લાવેલા તે હિરણ્ય, સુવર્ણ યાવતુ હીરાનેનાનીનૌકાઓ દ્વારા સંચાર કર્યો. જ્યાં હસ્તીશીષ નગર હતું, ત્યાં પહોંચ્યા. હતિશીષ નગરની બહાર અગ્ર ઉદ્યાનમાં સાર્થને રોક્યો. ગાડા-ગાડી ખોલ્યા. પછી બહુમૂલ્ય ઉપહાર લઈને હસ્તિશીષ નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કનકકેતુ રાજાની પાસે આવ્યા. તે ઉપહાર રાજાની સમક્ષ રાખી દીધો. ત્યારે તે રાજા કનકકેતુએ તે સાંયત્રિક નૌકાવણિકોના તે બહુમૂલ્ય ઉપહારનો યાવતું સ્વીકાર કર્યો.
[૧૮૫] રાજાએ તે સાંયાત્રિક નૌકાવણિકોને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! તમે લોકો ગ્રામોમાં યાવતુ આકરોમાં ફરો છો અને વારંવાર પોતવાહન દ્વારા લવણસમુદ્રમાં અવગાહન કરો છો. ક્યાંય તમે કોઈ આશ્ચર્યજનક વસ્તુ જોયેલી છે ?' ત્યારે સાંયાત્રિક નૌકાવણિકોએ રાજાને કહ્યું-દેવાનુપ્રિય!અમેલોકો હતિશીર્ષ નગરના નિવાસી છીએ. ઈિત્યાદિ પૂર્વવતુ જાણવું. યાવતુ અમે કાલિક દ્વીપ સુધી ગયા. તે દ્વીપમાં ઘણીજ ચાંદીની ખાણો યાવતુ અનેક પ્રકારના ઘોડા છે, તે ઘોડા કેવા છે? નીલ વર્ણવાળા રેણુની સમાન અને શ્રોસિસૂત્રકની સમાન શ્યામ વર્ણવાળા હતા. યાવતુ તે ઘાડાઓ અમારી ગંધથી. પણ અનેક સો યોજન દૂર ચાલ્યા ગયા. તેથી દેવાનુપ્રિય ! અમે કાલિક દ્વીપમાં તે ઘોડાઓને આશ્ચર્યભૂત જોયા છે. ત્યારે કનકકેતુ રાજાએ સાંયાત્રિકોની પાસેથી આ અર્થ સાંભળીને તે સાંયાત્રિકોને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે મારા કૌટુમ્બિક પુરુષોની સાથે જાઓ અને કાલિક દ્વીપના તે ઘોડા અહીં લઈ આવો.'
ત્યાર પછી કનકકેતુ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. અને તેને કહ્યું‘દેવાનુપ્રિયો ! તમે ! સાંયાત્રિક વણિકોની સાથે જાઓ. કાલિક દ્વીપથી મારા માટે ઘોડા લઈ આવો. ત્યાર પછી કૌટુમ્બિક પુરષોએ ગાડી ગાડા તૈયાર કર્યો. તૈયાર કરીને તેમણે ઘણી વીણાઓ, વલ્લકી, ભ્રામરી, કચ્છભી, ભંભ, પભ્રામરી આદિ વિવિધ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org