SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ નાયાધમ કહાઓ - ૧-૧૬/૧૮૧ [૧૮૧] ત્યાર પછી દ્રૌપદી દેવી શિબિકા ઉપરથી નીચે ઉતરી. યાવતુ દિક્ષિત. થઈ. તે સુવ્રતા આયનેિ શિષ્યાના રૂપમાં સોંપાણી. તેણીએ અગ્યાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી તે છઠ્ઠભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત ને દ્વાદશ ભક્ત આદિ કરતી થકી વિચરવા લાગી. [૧૮૨] ત્યાર પછી એક વાર કોઈ સમયે સ્થવિર ભગવંત પાંડુમથુરા નગરીના * સહસ્સામ્રવન ઉદ્યાનમાંથી નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિચરણ કરવા લાગ્યા. તે કાળ અને તે સમયમાં અરિહંત અરિષ્ટનેમિ જ્યાં સુરાષ્ટ જનપદ હતું, ત્યાં આવ્યા. આવીને સુરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે સમયે ઘણા લોકો પરસ્પર એમ કહેવા લાગ્યા કે-દેવાનુપ્રિયો ! તીર્થકર અરિષ્ટનેમિ સુરાષ્ટ્ર જનપદમાં યાવતું વિચારી રહ્યા છે. ત્યારે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારોએ ઘણા લોકો પાસેથી આ વૃત્તાન્ત સાંભળ્યો. સાંભળીને એક બીજાને બોલાવ્યા અને કહ્યુંસ્થવિર ભગવંતને પૂછીને તીર્થકર અરિષ્ટનેમિને વંદન કરવાને માટે જવું તે આપણા માટે શ્રેયસ્કર છે. તેઓ જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતને વિંદન કર્યા,નમસ્કાર.કહ્યું-ભગવંતુ.આપની આજ્ઞા મેળવીને અમે અરિહંત અરિષ્ટ નેમિને વંદના કરવાના હેતુથી જવાની ઈચ્છા કરીએ છીએ.” સ્થવિરે કહ્યું- દેવાનુપ્રિયો ! જેમ સુખ ઉપજે તેમ કરો.” નિરંતર માસખમણનું તપશ્ચરણ કરતા થકા, એક ગ્રામથી બીજા ગ્રામ જતાં, યાવતુ જ્યાં હસ્તિકલ્પનગર હતું, ત્યાં પહોંચ્યાં. પહોંચીને હસ્તિકલ્પનગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં યાવતું રહ્યા. - ત્યાર પછી યુધિષ્ઠિર સિવાયના ચારે અણગારોએ માસખમણના પારણાના દિવસે, પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કર્યો, બીજી પ્રહરમાં ધ્યાન કર્યું. શેષ વર્ણન ગૌતમ સ્વામી ની જેમ જાણવું, વિશેષ એ કે તેઓએ યુધિષ્ઠિર અણગારની આજ્ઞા લીધી-પછી તેઓ. ભિક્ષાને માટે ફરી રહ્યા હતાં, ત્યારે તેઓએ ઘણાં લોકો પાસેથી સાંભળ્યું કે- દેવાનું પ્રિયો ! તીર્થકર અરિષ્ટનેમિ ગિરનાર પર્વતના શિખરપર, એક માસના નિર્જલ ઉપવાસ કરીને, પાંચસો છત્રીસ સાધુઓની સાથે, કાલધર્મને પ્રાપ્ત થઈ ગયા યાવતુ સિદ્ધ બુદ્ધ થઈને સમસ્ત દુઃખોથી મુક્ત થઈ ગયા. ત્યારે યુધિષ્ઠિર સિવાય તે ચારે અણગાર ઘણા લોકોની પાસેથી આ અર્થ સાંભળીને હસ્તીકલ્પ નગરથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં સહસ્ત્રાપ્રવન હતું, જ્યાં યુધિષ્ઠિર અણગાર હતા, ત્યાં પહોંચ્યા.પહોંચીને આહારપાણીની પ્રત્યુપેક્ષણા કરી. પ્રત્યુપેક્ષ ણા કરીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. પછી એષણાઅનેષણાની આલોચના કરી. આલોચના કરીને આહાર પાણી બતાવ્યા. બતા વીને યુધિષ્ઠિર અણગારને કહ્યું- હે દેવાનુપ્રિય! યાવતુ કાળધર્મને પ્રાપ્ત થયા છે.તેથી હે દેવાનુપ્રિય ! અમારે માટે શ્રેયસ્કર છે કે ભગવાનના નિવણના વૃત્તાન્ત સાંભળ્યા પહેલાં ગ્રહણ કરેલ આહાર-પાણીને પરઠવીને ધીરે-ધીરે શત્રુંજ્ય પર્વત પર આરૂઢ થઈએ અને સંલેખના કરીને ઝોષણાનું સેવન કરીને, અને મૃત્યુની આકાંક્ષા ન કરતા થકા વિચરીએ.' શત્રુંજ્ય પર્વત પર આરૂઢ થયાં. આરૂઢ થઈને યાવતું મૃત્યુની અપેક્ષા ન કરતાં વિચરવા લાગ્યા. ત્યાર પછી તે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારોએ સામાયિકથી લઈને ચૌદ પૂર્વોનો અભ્યાસ કરીને ઘણાં વર્ષો સુધી શ્રમણ્યપર્યાય પાળીને, બે માસની સંલેખના કરી આત્માની ઝોષણા કરીને જે પ્રયો જનથી નગ્નતા, મુંડતા આદિ અંગીકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy