________________
૧૫૪
નાયાધમ કહાઓ - ૧ -૧૬/૧૭૬ અને શ્રેષ્ઠ મહેલ તથા શ્રીગૃહ ચારે તરફથી ખળભળીને સરસરાક્ કરતા ધરતી પર આવી પડ્યા. ત્યાર પછી પદ્મનાભ રાજા અમરકંકા રાજાધાનીને ખરાબ રીતે ભગ્ન થયેલી યાવતુ જાણીને, ભયભીત થઈને, દ્રૌપદી દેવીના શરણમાં ગયો. ત્યારે દ્રૌપદી દેવીએ પદ્મનાભ રાજાને કહ્યું- દેવાનુપ્રિય ! શું તું નથી જાણતો કે પુરુષોત્તમ કૃષ્ણ વાસુદેવનું વિપ્રિયકરીનેતમે મને અહીં લાવ્યા છો? જે થયું તે થયું,પણ હવે હે દેવાનુપ્રિય! તમે જાઓ. સ્નાન કરો, પહેરવાના અને ઓઢવાના વસ્ત્ર ભીના ધારણ કરો. પહેરેલા વસ્ત્રના છેડા નીચા રાખો અંતઃપુરની રાણીઓ આદિ પરિવારને સાથે લઈ લો. પ્રધાન અને શ્રેષ્ઠ રત્ન ભેટમાં લઈ લો. મને આગળ કરો. આ પ્રમાણે જઈને કૃષ્ણ વાસુદેવને બંને હાથ જોડીને તેમના પગમાં પડો. તેના શરણમાં જાઓ. દેવાનુપ્રિય ! ઉત્તમપુરુષ પ્રણિ પતિત વત્સલ હોય છે.
ત્યાર પછી પદ્મનાભ રાજાએ દ્રૌપદીના આ અર્થને સાંભળીને અંગીકાર કર્યો. કૃષ્ણ વાસુદેવાના શરણમાં ગયા. ત્યાં જઈને કષ્ણ વાસુદેવને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- “મેં આપ દેવાનુપ્રિયની ઋદ્ધિ જોઈ લીધી, પરાક્રમ જોઈ લીધું. હે દેવાનુપ્રિય ! હું તમને ખમાવું છું યાવતું ક્ષમા કરો. યાવતુ પુનઃ હું તેમ નહીં કરું આ પ્રમાણેકહીને તેણે હાથ જોડ્યા પગમાં પડ્યા તેણે પોતાના હાથે દ્રૌપદી દેવીને સોંપી દીધી. ત્યારે કૃષ્ણ વાસુદેવે પદ્મનાભને કહ્યું-“અરે પાનાભ ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર ! શું તું નથી જાણતો કે તું મારી બહેન દ્રૌપદી દેવીને જલ્દીથી અહીં લઈ આવ્યો છે? તો એમ થવા પર પણ હવે તને મારાથી ભય નથી-નિર્ભય થઇ જા.” એમ કહીને પદ્મનાભને છૂટો કર્યો. તેને છૂટકારો આપીને દ્રૌપદી દેવીને ગ્રહણ કરીને રથ પર આરૂઢ થઈને પાંચ પાંડવોની સમીપ આવ્યા. ત્યાં આવીને દ્રૌપદી દેવીને પોતાના હાથેથી પાંચે પાંડવોને દીધી. ત્યાર પછી પાંચ પાંડવોની સાથે છઠ્ઠા પોતે સ્વયં કૃષ્ણ વાસુદેવ છ રથોમાં બેસીને લવણ સમુદ્રની વચ્ચો વચ્ચે થઈને જ્યાં જમ્બુદ્વીપ હતો, જ્યાં ભરત ક્ષેત્ર હતું તે તરફ જવાને ઉદ્યત થયા.
૧૭૭] તે કાળ અને તે સમયમાં ધાતકીખંડમાં, પૂવધિભાગમાં, ચંપાનગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં કપિલ વાસુદેવ રાજા હતા. તે મહાન હિમ વાનની સમાન હતા. તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરીમાં પૂર્ણભદ્ર ઉદ્યાનમાં મૂનિ સવ્રત નામના અરિહંત સમોસર્યા હતા. કપિલવાસુદેવે તેમની પાસે ધમપદેશના સાંભળી તે સમયે મુનિસુવ્રત અરિહંતના ઉપદેશનું શ્રવણ કરતાં કરતાં કપિલ વાસુદેવે કૃષ્ણ વાસુદેવના શંખનો શબ્દ સાંભળ્યો.ત્યારે કપિલ વાસુદેવના ચિત્તમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો-“શું ધાતકીખંડ દ્વીપના ભારતવર્ષમાં બીજા વાસુદેવ ઉત્પન્ન થઈ ગયાછે?જેનાશંખનો શબ્દઆમફેલાઇરહ્યો છે, જેમ મારામુખનાવાયુથીપૂરિત થયો હોય, મેંવગાડ્યો હોય મુનિસુવ્રત અરિહંતકપિલવાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે કપિલ ! મારી પાસે ધર્મશ્રવણ કરતાં તને આવો વિચાર આવ્યો છે કપિલ વાસુદેવે કહ્યું. હા, સત્ય છે.” | મુનિસુવ્રત અરિહંતે પુનઃ કહ્યું-કપિલ વાસુદેવ! એમ ક્યારેય થયું નથી, થતું નથી. અને થશે પણ નહી કે એક જ ક્ષેત્રમાં, એકજ યુગમાં અને એકમજ સમયમાં બે તીર્થકર બે ચક્રવર્તી, બે વાસુદેવ, બે બલદેવ, ઉત્પન્ન થયા હોય, ઉત્પન્ન થતા હોય અથવા ઉત્પન્ન થવાના હોય. આ પ્રમાણે હે વાસુદેવ ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાંથી, ભારત ક્ષેત્રમાંથી, હસ્તિનાપુર નગરમાંથી પાંડુ રાજાની પુત્રવધૂ અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી દેવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org