________________
૧૪૬
નાયાધમ્મ કહાઓ- ૧૪-૧J૧૭૨ સૌભાગ્ય અને રૂપથી સુશોભિત છે અને શ્રેષ્ઠપુરુષોમાં અને રૂપથી સુશોભિત છે અને શ્રેષ્ઠ પુરુષોમાં ગંધહસ્તી સમાન છે. તેમાંથી કોઈ તારા દ્ધયને પ્રિય હોય તો વરણ કરીલે. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદી પણ હજાર શ્રેષ્ઠ રાજાઓની મધ્યમાં થઈને, તેઓનું અતિક્રમણ કરતી-કરતી, પૂર્વકત નિયાણાથી પ્રેરિત થતી જ્યાં પાંચ પાંડવો હતા, ત્યાં તે આવી. ત્યાં આવીને તેણીએ તે પાંચે પાંડવોને પંચરંગી કુસુમદામથી ચારે તરફથી વેષ્ટિત કરી દધા. વેષ્ટિત કરીને કહ્યું -મેં આ પાંચે પાંડવોને વરણ કર્યા છે. ત્યાર પછી તે વાસુદેવ પ્રભુતિ બહુ હજાર રાજાઓએ ઊંચા-ઊંચા શબ્દોથી વારંવાર ઉદ્ઘોષણા કરતાં કહ્યું-“અહો ! રાજવરકન્યા દ્રૌપદીએ સારું વરણ કર્યું.’ એ પ્રમાણે કહીને તેઓ સ્વયંવરમંડપથી બહાર નીકળ્યા. નીકળીને પોતપોતાના આવાસોમાં ચાલ્યા ગયા.
- ત્યાર પછી ધૃષ્ટદ્યુમ્ન કુમારે પાંચ પાંડવોને, રાજવરકન્યા દ્રૌપદીને ચારઘંટા વાળા અશ્વરથ પર આરૂઢ ક્યાં અને કાંપિલ્યપુરની મધ્યમાં થઈને યાવતુ પોતાના ભવન માં પ્રવેશ કર્યો. ત્યાર પછી દ્રુપદ રાજાએ પાંચે પાંડવોને અને રાજવરકન્યા દ્રોપદીને પટ્ટ પર આસીન કર્યા. આસીન કરીને ચાંદી અને સોનાના કળશોથી સ્નાન કરાવ્યું. અગ્નિહોમ કરાવ્યો. પછી પાંચે પાંડવોને દ્રૌપદીની સાથે પાણિગ્રહણ કરાવ્યું. ત્યાર પછી દ્રપદ રાજાએ રાજવરકન્યા દ્રૌપદીને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું આઠ કરોડ હિરણ્ય આદિ યાવતુ આઠ પ્રેષણ કારિણી દાસ ચેટિકા. તે સિવાય અન્ય પણ ઘણું ધન કનક આદિ યાવતુ પ્રદાન કર્યું. ત્યાર પછી દ્રુપદ રાજાએ વાસુદેવ પ્રભૂતિ રાજાઓને વિપુલ અશન, આદિથી સત્કાર કરીને વિદાય કર્યા.
[૧૭૩] ત્યાર પછી પાડુ રાજાએ તે વાસુદેવ પ્રભૂતિ ઘણા હજાર રાજાઓને હાથ જોડીને યાવતું આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિયો ! હસ્તિનાપુર નગરમાં પાંચ પાંડવો અને દ્રૌપદીનો કલ્યાણકારક મહોત્સવ થશે. તેથી દેવાનુપ્રિયો ! તમે અમારા પર અનુ ગ્રહ કરીને બધા યથા સમયનવિલંબ કર્યા વિના પધારજો.” ત્યાર પછી તે વાસુદેવ આદિ સર્વ નૃપતિગણ અલગ અલગ યાવતુ ગમન કરવાને માટે ઉદ્યત થયા. ત્યાર પછી પાંડુ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને આદેશ આપ્યો- તમે જાઓ અને હસ્તિનાપુર નગરમાં પાંચ પાંડવોને માટે પાંચ ઉત્તમપ્રાસાદ બનાવડાવે. તે પ્રાસાદ ઘણા ઊંચા અને સાત મજ્જાના હોવા જોઈએ. યાવતુ તે ખુબ સુંદર હોવા જોઈએ. ત્યાર પછી પાંડુરાજા પાંચે પાંડવો અને દ્રોપદીની સાથે અશ્વસેના, ગજસેના આદથી પરિવૃત થઈને કાંપિલ્ય પુર નગરથી નીકળ્યા. નીકળીને જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવી પહોંચ્યા.
ત્યાર પછી પાંડુ રાજાએ તે વાસુદેવ આદિ રાજાઓનું આગમન જાણીને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને તેમને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હસ્તિનાપુર નગરની બહાર વાસુદેવ આદિ ઘણા હજાર રાજાઓને માટે આવાસ તૈયાર કરાવો. જે અનેક સેંકડો સ્તંભોથી યુક્ત હોય, ઇત્યાદિ તે ત્યાર પછી તે વાસુદેવ વગેરે ઘણા હજાર રાજાઓ હસ્તિનાપુર નગરમાં આવ્યા. ત્યારે પાંડુરાજા તે વાસુદેવ આદિ રાજાઓનું આગમન જાણીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને દ્રુપદ રાજાની જેમ તેની સામે જઈને તેમનો સત્કાર કર્યો યાવતુ તેઓને યથાયોગ્ય આવાસ આપ્યો. ત્યાર પછી પાંડુ રાજાએ હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કૌટુ મ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે વિપુલ અશનાદિ તૈયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org