________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬
૧૩૯ પછી સાગરદત્તે તે ભિખારી પુરષના ઊંચા સ્વરથી રોવાના શબ્દો સાંભળીને અને સમજીને કૌટુમ્બિક પુરુષોને કહ્યું ‘દેવાનુપ્રિયો ! આ ભિખારી પુરુષ કેમ જોર જોરથી રદન કરે છે? ત્યારે કમ્બિક પરષોએ આ પ્રમાણે કહ્યું સ્વામિન્ ! તે કોરાનો ટૂકડો અને ઘડાનો ટૂકડો એક તરફ ફેંકી દેવાથી તે જોર-જોરથી રડી રહ્યો છે. ત્યારે સાગરદત્ત સાર્થવાહે તે કૌટુમ્બિક પુરુષોને કહ્યું- દેવાનુપ્રિયો! તમે તે ભિખારીના શકોરાના ટૂકડાને અને ઘટને એક તરફ ન ફેંકો પરંતુ તેની પાસે રાખી દો, જેથી તેને પ્રતીતિ રહે આ સાંભળીને તે ટૂકડા તેની પાસે રાખી દીધા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરષોએ તે ભિખા રીને અલંકારકર્મ કરાવ્યાં. પછી શતપાક અને સહસ્ત્રપાક તેલથી અભંગન કર્યું. અભ્ય ગન થઈ ગયા પછી સુવાસિત ગંધદ્રવ્યના ઉબટનથી તેના શરીરનું ઉબટન કર્યું. પછી ગરમ પાણીથી,સુગંધીપાણીઅને શીતલ પાણીથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને બારીક અને સુકોમળ ગંધકષાય વસ્ત્રથી શરીર લૂછ્યું. પછી હંસ લક્ષણ વસ્ત્ર પહેરાવ્યાં. વસ્ત્ર પહેરાવીને તેને સર્વ અલંકારોથી અલંકૃત કર્યો. ભોજન કરાવીને સાગરદત્ત સાર્થવાહની પાસે લઈ ગયા.
ત્યાર પછી સાગરદત્ત સાર્થવાહ સુકુમાલિકા દારિકાને સ્નાન કરાવ્યું યાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત કરી, તે ભિખારી પુરુષને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિય ! આ મારી પુત્રી મને ઈષ્ટ છે. તેને હું તને તારી ભાવના રૂપે આપું છું. તમે આ કલ્યાકારિણીને માટે કલ્યાણકારી થાઓ ! ત્યાર પછી તે દ્રમુક પુરુષે સાગરદત્તની વાત સ્વીકાર કરી. સ્વી. કાર કરીને સુકુમાલિકા દારિકાની સાથે વાસગૃહમાં પ્રવેશ કર્યો અને સુકુમાલિકા દારિ કાની સાથે શય્યામાં સૂતો. તે સમયે તે દ્રમક પુરુષ સુકુમાલિકાનો તેવા પ્રકારના અંગ સ્પર્શનો અનુભવ થયો. શેષ વૃત્તાન્ત સાગર દારકની જેમ જાણી લેવું યાવતું. નીકળીને તેણે પોતાના પેલા શકોરાના ટૂકડા અને ઘડાનો ટૂકડો ગ્રહણ કરીને જે તરફથી આવ્યો હતો, તે તરફ ચાલ્યો ગયો. એ એવો ગયો કે જેમ કોઈ કસાયખાનેથી છૂટેલ હોય યા મારનાર પુરુષની પાસેથી છૂટકારો પામીને ભાગ્યો હોય ! તે દ્રમક પુરુષ ચાલ્યો ગયો એમ વિચારીને સુકુમાલિકા ભગ્ન મનોરથ થઈને યાવતું ચિંતા કરવા લાગી.
- ત્યાર પછી ભદ્રાસાર્થવાહીએ બીજા દિવસે પ્રભાત થવા પર દાસચેટીને બોલાવી. બોલાવીને કહ્યું, ઇત્યાદિ પૂર્વવતુ જાણવું, યાવતુ દાસચેટીએ સાગરદત્ત સાર્થવાહને આ અર્થ નિવેદન કર્યું. ત્યારે સાગરદત્ત તેવી રીતે સંભ્રાન્ત થઈને વાસગૃહમાં આવ્યો. આવીને સુકમાલિકાને ગોદમાં બેસાડીને આ પ્રમાણેકહ્યું- હે પુત્રી ! તું પૂર્વકૃત યાવતુ પાપકર્મને ભોગવી રહી છે. તેથી બેટી!ભગ્ન મનોરથ થઈને યાવતુ ચિંતા ન કરો. હે પુત્રી! તું મારી ભોજન શાળામાં તૈયાર થયેલ વિપુલ, આહારને શ્રમણો આદિને દાન દેતી રહે.” ત્યારે સુકુમાલિકા દારિકાએ તે વાતનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને વિપુલ આહાર દાન દેતી રહેવા લાગી. તે કાળ અને તે સમયમાં ગોપાલિકા નામની બહુશ્રુત આર્યા, પધારી. તેવી રીતે તેણીના સંઘાડાઓ યાવતુ સુકુમારિકાના ઘરમાં પ્રવેશ કર્યો. આહાર વહોરાવીને આ પ્રમાણે કહ્યું- હે આયાઓ ! સાગરને માટે અનિષ્ટ છું યાવતુ અમનોજ્ઞ છું સાગર મારું નામ પણ સાંભળવા ઈચ્છતો નથી યાવતુ પરિભોગ પણ નથી ઈચ્છતો જેને જેને મને આપવામાં આવે તેને તેને હું અનિષ્ટ યાવતું અમનોજ્ઞ બનું છું. હે આયાઓ ! તમે બહુ જ્ઞાની છો. યાવતું આપે કોઈ મંત્ર-તંત્ર આદિ પ્રાપ્ત કરેલ છે ? જેથી હું સાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org