SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ નાયાધમ કહાઓ- ૧/-/૧૨/૧૪૪ દ્વારા પ્રરૂપિત ભાવોને નથી જાણતા તેથી મારા માટે તે શ્રેયસ્કર છે કે હું જિતશત્રુ રાજાને સતુ તત્ત્વરૂપ તથ્ય, અવિતથ અને સદ્ભૂત જિનેન્દ્ર પ્રરૂપિત ભાવોને સમજાવું અને તે વાતને અંગીકાર કરાવું. સુબુદ્ધિ અમાત્યે આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને વિશ્વાસપાત્ર પુરુષ પાસેથી ખાઈના માર્ગના વચ્ચેની કુંભારની દુકાનેથી નવાઘડાઓનો સમૂહ લીધો. ઘડા લઈને જ્યારે કોઈ વિરલ મનુષ્ય ચાલતા હતા. અને જ્યારે લોકો પોતપોતાના ઘરે વિશ્રામ લેવા લાગ્યા, એવા સંધ્યાકાળના અવસરે જ્યાં ખાઈનું પાણી હતું ત્યાં આવ્યા. આવીને ખાઈનું તે પાણી ગ્રહણ કરાવ્યું. તેને નવા ઘડામાં ગળાવ્યું. નંખાવીને તે ઘડાને લાંછિત-મુદ્રિત કરાવ્યા પછી સાત રાત દિવસ તેને રહેવા દીધો. સાત રાત્રિ-દિવસ પછી તે પાણીને બીજીવાર કોરા ઘડામાં ગળાવ્યું તેમાં તાજી રાખ નંખાવી. અને પાછો તે ઘડાને લાંછિત-મુદ્રિત કરાવી દીધો. સાત રાત્રિ દિવસ તેને રહેવા દીધો. ત્રીજી વાર નવીન ઘડામાં તે પાણી નંખાવ્યું. યાવતુ સાત રાત દિવસ તેને રહેવા દીધું. આ પ્રમાણે આ ઉપાયથી વચવચમાં ગળાવ્યું વચ્ચે વચ્ચે કોરા ઘડામાં નંખાવ્યું. અને વચ્ચે-વચ્ચે રખાવેલ તે પાણી સાત સાત રાત્રિ-દિવસ રાખી મૂકવામાં. આવ્યું. ત્યાર પછી પરિણત થતું તે ખાઈનું પાણી સાત સપ્તાહમાં ઉદકરત્ન બની ગયું, તે સ્વચ્છ, પથ્ય, આરોગ્યકારી, જાત્ય હલકું થઈ ગયું. મનોજ્ઞ વર્ણથી યુક્ત, ગંધથી યુક્ત, રસથી યુક્ત અને સ્પર્શથી યુક્ત આસ્વાદન કરવા યોગ્ય યાવતું દરેક ઈન્દ્રિયો તથા ગાત્રને અતિ આલ્હાદ ઉત્પન્ન કરનાર થઈ ગયું. ત્યાર પછી સુબુદ્ધિ અમાત્ય તે ઉદક રત્નની પાસે પહોંચ્યો. પહોંચીને હથેલીમાં લઇને તેનું આસ્વાદન કર્યું. આસ્વાદન કરીને તેને મનોજ્ઞ વર્ણથી યુક્ત, ગંધથી યુક્ત, રસથી યુક્ત અને સ્પર્શથી યુક્ત આસ્વાદન કરવા યોગ્ય યાવતુ દરેક ઈન્દ્રીયને અને ગાત્રને અતિશય આહ્માદજનક જાણીને હષ્ટતુષ્ટ થયો. પછી તે પાણીને સુસ્વાદિષ્ટ બનાવનાર દ્રવ્યોથી સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવ્યું. સ્વાદિષ્ટ બનાવીને પછી જિતશત્રુ રાજાના કર્મચારીને બોલાવીને કહ્યું‘દેવાનુપ્રિય! તમે આ ઉદકરત્ન લ્યો. તેને લઈને રાજાના ભોજન સમયે તે પાણી આપવું.’ ત્યાર પછી પાણીગૃહનાકર્મચારીઓએ જિતશત્રુ રાજાના ભોજન સમયે ઉપસ્થિત કર્યું. ત્યાર પછી જિતશત્રુ રાજા તે વિપુલ અશનઆદિનું આસ્વાદન કરતો વિચરતો હતો. જમ્યા પછી અત્યંત સ્વચ્છ થઈને તે જલરત્નનું પાન કરવાથી રાજાને વિસ્મય થયો. તેણે ઘણા રાજા, ઈશ્વર, આદિને યાવતું કહ્યું, “અહો દેવાનુપ્રિયો ! આ પાણી સ્વચ્છ છે. યાવતુ સમસ્ત ઈન્દ્રિયો અને ગાત્રને આહ્વાદ ઉત્પન્ન કરનાર છે. ત્યારે ઘણા રાજા, ઈશ્વર આદિ યાવતું આ પ્રમાણે કહેવા લાગ્યા-સ્વામિન્! આપ જેમ કહો છો તે તેમજ છે.પછી તિશત્ર રાજાએ જલગૃહના કર્મચારીને બોલાવ્યો. બોલાવીને તેને પૂછ્યું દેવાનુ પ્રિય ! આ જલરત્ન તમે ક્યાંથી મેળવેલ છે? ત્યારે જલગૃહના કર્મચારીએ કહ્યું “સ્વામિન્! મને તે પાણી સુબુદ્ધિ અમાત્ય પાસેથી મળેલ છે.” “અહો સુબૂદ્ધિ! કયા કારણે તમે મારા ઉપર અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનોજ્ઞ અને અમણામ છો. જેથી મારા માટે હંમેશા ભોજન સમયે આ ઉદકરત્ન મોકલતાં નથી ? દેવાનુપ્રિયાઆ ઉદકરત્નતમે ક્યાંથી મેળવેલ છે?” સ્વામિનું! આ તે ખાઇનું જ પાણી છે. ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું- હે સ્વામિનું! તે સમયે મેં આપને પુદ્ગલોનું પરિણમન કહેલ હતું. પરંતુ તેના પર આપને શ્રદ્ધા ન હતી. ત્યારે મને આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન્ન થયો-યાવતું સદ્ભૂત જિનભાષિત ભાવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy