SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ શતક-૩, ઉદેસી-૧ વિશેષ એ કે, તેઓ પોતાના બનાવેલ રૂપોથી અનેક અસુરકુમારો અને અસુરકુમારી ઓથી-સંખેય દ્વીપ સમુદ્રોને ભરી શકે છે. હે ભગવન્! જો અસુરેંદ્ર અસુરરાજ ચમરના લોકપાલ દેવો એટલી મોટી ઋદ્ધિવાળા છે અને યાવતુ તેઓ એટલું વિકુવણ કરી શકે છે, તો અસુરેંદ્ર અસુરરાજ ચમરની પટ્ટરાણી દેવીઓ કેવી મોટી ઋદ્ધિવાળી છે અને તેઓ કેટલું વિદુર્વણ કરે છે? હે ગૌતમ ! અસુરેંદ્ર અસુરરાજ ચમરની પટ્ટરાણી દેવીઓ મોટી ઋદ્ધિવાળી છે, અને યાવતુ-મોટા પ્રભાવવાળીઓ છે. તેઓ ત્યાં પોતપોતાના ભવનો ઉપર, પોતપોતાના હજાર સામાનિક દેવો ઉપર, પોતપોતાની મિત્રરૂપ મહત્તરિકા દેવીઓ ઉપર અને પોતપોતાની સમિતિનું સ્વામીપણું ભોગવતી રહે છે. યાવતુતે પટ્ટરાણીઓ એવી મોટી ઋદ્ધિવાળીઓ છે. તે સંબંધેની બીજી બધી હકીકત લોકપાલોની પેઠે કહેવી. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. [૧૫૪ એમ કહી ગૌતમ અગ્નિભૂતિ અણગારે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી, જે તરફ તૃતીય ગૌતમ વાયુભૂતિ અનગાર હતા તે તરફ જવાનું કર્યું અને ત્યાં જઈને તે અગ્નિભૂતિ અનગારે વાયુભૂતિ અનગારને આ પ્રમાણે કહ્યું કે - હે ગૌતમ! એ પ્રમાણે નિશ્ચિત છે કે, અસુરેંદ્ર અસુરરાજ ચમર, એવી મોટી ઋદ્ધિવાળો છે, ઇત્યાદિ બધું ચમરથી માંડીને તેની પટ્ટરાણીઓ સુધીનું અપૃષ્ટ વ્યાકરણ- રૂપ વૃત્તાંત અહીં કહેવું. ત્યારપછી અગ્નિભૂતિ અનગારે પૂર્વ પ્રમાણે કહેલી, ભાષેલી, જણાવેલી અને પ્રરૂપેલી એ વાતમાં તે ગૌતમ વાયુભૂતિ અનગારને શ્રદ્ધા બેસતી નથી, વિશ્વાસ આવતો નથી અને એ વાત તેઓને રૂચતી નથી. હવે એ વાતમાં અશ્રદ્ધા કરતા, અવિશ્વાસ આણતા અને એ વાત તરફ અણગમાવાળા તે ગૌતમ વાયુભૂતિ અનગાર પોતાના આસનથી ઉઠી શ્રમણ ભગવંત મહાવીર તરફ ગયા અને ત્યાં જઈ તેઓની પર્યાપાસના કરતા આ રીતે બોલ્યા- હે ભગવનું ! ગૌતમ અગ્નિભૂતિ અનગારે મને સામાન્ય પ્રકારે કહ્યું, વિશેષ પ્રકારે કહ્યું, જણાવ્યું અને પ્રરૂપ્યું કે “અસુરેદ્ર, અસુરરાજ ભોગવે છે. ઇત્યાદિ બધું પટ્ટરાણીઓ સુધીનું વૃત્તાંત અહીં પૂરેપુરુ કહેવું” એ તેજ પ્રમાણે કેવી રીતે છે ? હે ગૌતમ' વગેરે આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે તે ગૌતમ વાયુભૂતિ અનગારે તને જે સામાન્ય પ્રકારે કહ્યું, વિશેષ પ્રકારે કહ્યું, જણાવ્યું અને પ્રખ્યું કે, હે ગૌતમ! અસુરેદ્ર, અસુરરાજ ચમર મોટી ઋદ્ધિવાળો છે, ઈત્યાદિ બધું તેની પટ્ટરાણીઓ સુધીનું વૃત્તાંત અહીં કહેવું” એ વાત સાચી છે અને હું પણ એમજ કહું છું, ભાખું છું, જણાવું છું, અને પ્રરૂપું છું કે અસુરેંદ્ર, અસુરરાજ ચમર મોટો ઋદ્ધિવાળો છે ઇત્યાદિ તેજ રીતે યાવતુ-પટ્ટરાણીઓ સુધીની હકીકતવાળો બીજો ગમ કહેવો. અને એ વાત સાચી છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્એમ કહી ગૌતમ વાયુભૂતિ અનગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી અને જે તરફ ગૌતમ અગ્નિભૂતિ અનગાર છે ત્યાં આવી, તેઓને વાંદી, નમી, ‘તેઓની વાત ન માની’ તે માટે તેઓની પાસે વારંવાર વિનયપૂર્વક સારી રીતે ક્ષમા માગે છે. [૧૫] ત્યારપછી તે ગૌતમ વાયુભૂતિ અનગાર, ગૌતમ અગ્નિભૂતિ નામના અનગારની સાથે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવ્યા, અને ત્યાં તેઓની પર્ફપાસના કરતા આ પ્રમાણે બોલ્યા કે હે ભગવનું ! જો અસુરરાજ ચમર એવી મોટી ઋદ્ધિવાળો છે અને યાવતુ-એટલું વિકવેણ કરી શકે છે, તો ભગવન્! વૈરોચનંદ્ર બલિ, [5] For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy