SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ ભગવાઈ-૩૪/૧/૧/૧૦૩૩ કોમાં તથા અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકોમાં પણ ઉપજાવવો. હે ભગવન્! જે અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક, જે મનુષ્યક્ષેત્રમાં મરણ મુદ્દાત કરી મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? બાકી બધું પૂર્વની પેઠે જાણવું. અને એ જ રીતે તેને પર્યાપ્ત બાદર તેજસ્કાયપણે પણ ઉત્પન્ન કરાવવો. જેમ પૃથિવીકાયિકોમાં કહ્યું છે તેમ ચારે ભેદથી વાયુકાયિકપણે અને વનસ્પતિકાયિકપણે પણ ઉપજાવવો. એ રીતે પર્યાપ્ત બાદર તેજસ્કાયિકને પણ સમયક્ષેત્રમાં સમુદ્યાત કરાવી એ જ વીશસ્થાનકોમાં ઉત્પન્ન કરાવવો. જેમ અપર્યાપ્તિનો ઉપપાત કહ્યો તેમ સર્વત્ર પણ પયપ્તિ અને અપ પ્ત બાદર તેજસ્વિકોને સમયક્ષેત્રમાં ઉત્પન્ન કરાવવા અને સમુઘાત કરાવવી. જેમ પૃથિવીકાયિકોનો ઉપપાત કહ્યો તેમ ચાર ભેદથી વાયુકાયિકો અને વનસ્પતિકાયિકોને પણ ઉપજાવવા. યાવતું- હે ભગવન્! જે પર્યાપ્ત બાદર વનસ્પતિ- કાયિક આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાન્તમાં મરણસમુદ્દાત કરી પશ્ચિમ ચરમાન્તમાં બાદર વનસ્પ તિકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે કે, કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? બાકી બધું તેમજ જાણવું. હે ભગવન્! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી- કાયિક આ રત્નપ્રભા પૃથિવીના પશ્ચિમ ચરમાન્તમાં સમુઘાત કરી પૂર્વ ચૂરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય ? બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે જેમ પૂર્વ ચરમાન્તમાં સર્વપદોમાં સમુદ્રઘાત કરી પશ્ચિમ ચર- માન્તમાં અને સમય ક્ષેત્રમાં ઉપપાત કહ્યો તથા જેનો સમયક્ષેત્રમાં સમુદ્યાતપૂર્વક પશ્ચિમચરમાન્તમાં અને સમયક્ષેત્રમાં ઉપપાત કહ્યો તેમ એજ ક્રમવડે પશ્ચિમ ચરમાન્તમાં અને સમયક્ષેત્રમાં સમુદ્રઘાતપૂર્વક પૂર્વ ચરમાન્તમાં અને સમયક્ષેત્રમાં ઉપપાત કહેવો. એ પ્રમાણે એ ગમવડે દક્ષિણના ચરમાન્તમાં સમુદ્ર ઘાતપૂર્વક ઉત્તરના ચરમાન્તમાં અને સમયક્ષેત્રમાં ઉપપાત કહેવો, અને એ જ રીતે ઉત્તર ચરમાન્તમાં અને સમયક્ષેત્રમાં સમુઘાત કરાવી દક્ષિણ ચરમાન્તમાં અને સમયક્ષેત્રમાં તેજ ગમવડે ઉપપાત કહેવો. હે ભગવન ! જે અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી કાયિક, શર્કરપ્રભાકૃથિવીના પૂર્વ ચરમાન્તમાં મરણસમુદૂઘાત કરીને શર્કરા પ્રજાના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય ? જેમ રત્નપ્રભાગૃથિવી સંબંધે કહ્યું તેમ આ સંબંધે સમજવું. એ રીતે અનુક્રમે થાવત્-પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક સુધી જાણવું. હે ભગવન્! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી કાયિક, શર્કરપ્રભાના પૂર્વ ચરમાન્તમાં મરણસમુદ્રઘાત કરી પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય? બે સમય કે ત્રણ સમયની બાકી પૂર્વવતુ જો એ રીતે પયપ્તિ બાદર તેજસ્કાયિક સંબંધે પણ જાણવું. બાકી બધું રત્નપ્રભાની જેમ સમજવું. જે પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકો સમયક્ષેત્રમાં સમુદ્રઘાત કરી બીજી પૃથિવીના પશ્ચિમ ચરમાન્તમાં ચારે પ્રકારના પૃથિવીકાયિકોને વિષે, ચારે પ્રકારના અષ્કાયિકોને વિષે, બે પ્રકારના તેજસ્કા- યિકોને વિષે, ચારે પ્રકારના વાયુકાયિકોને વિષે અને ચારે પ્રકારના વનસ્પતિકાયિકોને વિષે ઉત્પન્ન થાય છે તેઓને પણ બે સમયની કે ત્રણ સમયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy