SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૪, ઉદેસો-૮ ૩૩૧ છે? હા ગૌતમ! એમ છે. હે ભગવાન! શા હેતુથી એમ કહેવાય છે? એક એક અવ્યા. બાધ દેવ એક એક પુરુષની એક એક પાંપણ ઉપર દિવ્ય દેવધિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભાવ અને દિવ્ય નાટ્યવિધિને બતાવી શક્વા સમર્થ છે, પરંતુ તે પુરુષને સ્વલ્પ દુઃખ થવા દેતો નથી, તેમ તેના અવયવનો છેદ પણ કરતો નથી. એવી સૂક્ષ્મતાપૂર્વક બતાવી શકે છે, તે હેતુથી કહેવાય છે. એ “અવ્યાબાધ’ [૬૨]હે ભગવન્! દેવના ઈન્દ્ર અને દેવના રાજા શક (કોઈ) પુરુષના માથાને હાથવડે કાપી નાખી કમંડલુમાં નાખવા સમર્થ છે? હા, સમર્થ છે. તે તે વખતે કમંડલમાં કેવી રીતે નાંખે? તે શક્ર માથાને છેદીને, ભેદી ભેદીને, કૂટી ફૂટીને અને ચૂર્ણ કરી કરીને કમંડલુમાં નાંખે, અને ત્યાર પછી તુરતજ મેળવે- એટલું સૂક્ષ્મ કરી કમંડલમાં નાંખે, તેના અવયવોનો છેદ કરે તો પણ તે પુરુષને જરા પણ પીડા ઉત્પન્ન ન થાય. [૩૦]હે ભગવનુશું એમ છે કે તે જુભક દેવો તે કુંભક(સ્વચ્છન્દચારી)દેવો છે? હા, ગૌતમ! એમ છે. હે ભગવન્! ક્યા હેતુથી હે ગૌતમ! હંમેશા પ્રમોદવાળા, અત્યન્ત કીડાશીલ, કંદર્પને વિષે રતિવાળા અને મૈથુન સેવવાના સ્વભાવવાળા હોય છે, જે તે દેવોને ગુસ્સે થયેલો જુએ છે, તે પુરુષો ઘણો અપયશ પામે છે, તથા જેઓ તે દેવોને તુષ્ટ થયેલા જુએ છે તેઓ ઘણો યશ પામે છે, માટે હે ભગવન્. જૈભક દેવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમાં દશ પ્રકારના. અન્નકૂંભક, પાનકૂંભક, વસ્ત્રજંભક, ગૃહજુંભક, ભય નર્જુભક, પુષ્પાજંભક, વિદ્યાર્જુભક, અને અવ્યક્ત ભક. તેઓ ચિત્ર, વિચિત્ર, યમક અને સમક પર્વતોમાં તથા કાંચનપર્વતોમાં વસે છે. હે ભગવન્! જંભક દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે? હે ગૌતમ! એક પલ્યોપમની. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે -એમ કહી ભગવાનું ગૌતમ યાવત્ વિહરે છે. શતક ૧૪-ઉદ્દેસા ૮ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] ( ઉદસા-૯) [૩૧]હે ભગવન્! ભાવિતાત્મા અનગાર જે પોતાની કર્મ લેશ્યને જાણતો નથી, અને જોતો નથી. તે સરુપી-સશરીરી અને કર્મ-લેશ્યાહિત જીવને જાણે અને જુએ? હા, ગૌતમ તેમજ છે. હે ભગવન્! રુપી- સકલેશ્ય-પુદ્ગલસ્કન્ધો પ્રકાશિત થાય છે. ? હા, ગૌતમી તેવા પુદ્ગલસ્કન્ધો પ્રકાશિત થાય છે. હે ભગવન્! રુપવાળા અને કર્મને યોગ્ય અથવા કર્મસંબન્ધી લેશ્યાના જે પુદ્ગલો પ્રકાશિત થાય છે, યાવત્ પ્રભાસિત થાય છે તે કેટલા છે? હે ગૌતમ! ચંદ્ર અને સૂર્યના વિમાનોથી જે આ બહાર નીકળેલી લેશ્યાઓ છે તેઓ અવભાસિત થાય છે, પ્રભાસિત થાય છે, એ પ્રમાણે હે ગૌતમી એ બધા રુપયુક્ત, કર્મને યોગ્ય વેશ્યાવાળા પુદ્ગલો પ્રકાશિત થાય છે. [૩૨]હે ભગવન્! શું નૈરયિકોનું આત-સુખકારક પુદ્ગલો હોય છે કે અનાત્તદુઃખકારક પગલો હોય છે ? હે ગૌતમાં તેઓને આત્ત પુદ્ગલો નથી પણ અનાત્ત પુદ્ગલો હોય છે. હે ભગવન્! શું અસુરકુમારને આત્ત-સુખકારક પુદ્ગલો હોય છે કે અનાત્ત પુગલો હોય છે ? હે ગૌતમ! તેઓને આત્ત પુદ્ગલો હોય છે, પણ અનાત્ત પુદ્ગલો હોતા નથી. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમાર સુધી જાણવું. હે ભગવન્! શું પૃથિવીકાયિકોનો પ્રશ્ન હે ગૌતમ! તેઓને આત્ત પુદ્ગલો પણ હોય છે, અને અનાત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy