SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ શતક-૧૩, ઉદસો-૪ ગૌતમ! વિમલા દિશાની, આદિમાં રુચક છે, તે જ્યક થકી નીકળે છે, તેની આદિમાં ચાર પ્રદેશ છે, તે બે પ્રદેશના વિસ્તારવાળી છે, ઉત્તરોત્તર વૃદ્ધિ રહિત તે દિશા લોકને આશ્રયી અસંખ્યાતપ્રદેશાત્મક છે. બાકી બધું આગ્નેયી દિશાને વિષે કહ્યું છે તેમ જાણવું. પરન્તુ એટલો વિશેષ છેકેતેશ્યકનેઆકારેકહેલી છે.એપ્રમાણે તમા(અધો)દિશા પણ જાણવી. [પ૭૫]હે ભગવન્! આ લોક કેવા કહેવાય છે? હે ગૌતમ ! આ લોક પંચાસ્તિ કાયરુપ કહેવાય છે.ધમસ્તિકાય,અધમીતિકાય. યાવતુ પુલાસ્તિકાય. ધમસ્તિ કાય વડે જીવોની શી પ્રવૃત્તિ થાય. હે ગોતમ ! ધમસ્તિકાય વડે જીવોનું આગમન, ગમન, ભાષા,ઉન્મેષ મનોયોગ,વચનયોગઅનેકાયયોગપ્રવર્તે છે, તે સિવાય બીજા તેવા પ્રકારના ગમનશીલ ભાવો છે, તે સર્વ ધમસ્તિકાયથી પ્રવર્તે છે, અધમસ્તિકાય વડે જીવ ની શી પ્રવૃત્તિ થાય? હે ગૌતમ ! અધમસ્તિકાય વડે જીવોનું ઉભા રહેવું, બેસવું, સુવું અને મનને સ્થિર કરવું વગેરે પ્રવર્તે છે, તે સિવાય બીજા સ્થિર ભાવો છે તે સર્વે અધ મસ્તિકાય થકી પ્રવર્તે છે, હે ભગવન્! આકાશાસ્તિકાયવડે જીવોની અને અજીવોની શી પ્રવૃત્તિ થાય? હે ગૌતમ!આકાશાસ્તિકાય જીવ અને અજીવ દ્રવ્યોનો આશ્રયરુપ છે. [પ૭૬]એક(પરમાણું-)થી કે બે(પરમાણું) થી પૂર્ણ એક આકાશપ્રદેશની અંદર સો પરમાણુંઓ પણ સમાય,અને સો ક્રોડ(પરમાણુઓ) વડે પૂર્ણ એક આકાશ પ્રદેશમાં હજાર ક્રોડ(પરમાણું) પણ સમાય.” કેમકે અવગાહનાલક્ષણ આકાશાતિ કાય છે. fપ૭૭ હે ભગવન્! જીવાસ્તિકાયવડે જીવોનું શું પ્રવર્તે ? હે ગૌતમ ! અનન્ત, આભિનિબોધિકના પયયો, અને અનન્ત શ્રુતજ્ઞાનના પયયોના-ઈત્યાદિ જેમ બીજા શતકના અસ્તિકાય ઉદ્દેશકમાં કહ્યું છે તેમ અહિં કહેવું, યાવતુ તે ઉપયોગને પ્રાપ્ત થાય છે, કેમકે ઉપયોગલક્ષણ જીવ છે.હે ભગવન! પુદ્ગલાસ્તિકાય વડે શું પ્રવર્તે?હે ગૌતમ! પુદ્ગલાસ્તિકાયવડે જીવોને ઔદારિક, વેક્રિય આહારક, તૈજસ, કામણ, શ્રોત્રેન્દ્રિય. ઘોણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય,મનોયો, વચનયોગ, કાયયોગ અને શ્વાસોચ્છવા સનું ગ્રહણ પ્રવર્તે છે, કેમકે ગ્રહણલક્ષણ પુદ્ગલાસ્તિકાય છે. હે ભગવનું ! ધમસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયેિલો હોય? હે ગૌતમ ! જઘન્યપદે ત્રણ પ્રદેશોવડે, અને ઉત્કૃષ્ટપદે છ પ્રદેશોવડે. કેટલા અધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયેિલા હોય? હે ગૌતમ! જઘન્યપદે ચાર અને ઉત્કૃષ્ટ પદે સાત પ્રદેશોવડે. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયેિલો હોય? હે ગૌતમ ! આકાશા- તિકાયના સાત પ્રદેશોવડે. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશો વડે આશયલો હોય ? હે ગૌતમ! જીવાસ્તિકાયના અનન્તપ્રદેશોવડે. કેટલા પુદ્ગલાતિ કાયના પ્રદેશોવડે સ્પશયેિલો હોય? હે ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના અનન્તપ્રદેશોવડે. કેટલા અદ્ધારમયોવડે સ્પેશયલો હોય? કદાચિત્ કાલના સમયોવડે સ્પેશીયલો હોય અને કદાચિત સ્પશથિલો ન હોય. જો સ્પર્શ કરાયેલો હોય તો અવશ્ય અનન્તસમયોવડે. હે ભગવનું ! અધમસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પેશીયલો હોય ? હે ગૌતમ ! જઘન્યપદે, ચાર, અને ઉત્કૃષ્ટપદે સાત. કેટલા અધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલો હોય ? હે ગૌતમ ! જઘન્યપદે ત્રણ અને ઉત્કૃષ્ટપદે છે.બાકી ધમસ્તિ કાયના પ્રદેશની પેઠે કહેવું. હે ભગવન! આકાશાસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલો હોય ? હે ગૌતમ કદાચિત સ્પર્શ કરાયેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy