SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ * : શતક-૧૦, ઉદેસો-૧ ૨૪૫ જાણવું, યાવતું આકાશાસ્તિકાયના પ્રદેશો અને અદ્ધાસમય. વિદિશાઓમાં જીવો નથી, માટે સર્વત્ર દેશવિષયક ભાંગો જાણવો. હે ભગવન્! યાખ્યા (દક્ષિણ દિશા) શું જીવરૂપ છે-ઈત્યાદિ પૂર્વવતુ પ્રશ્ન. હે ગૌતમ ! એન્દ્રી દિશા સંબધે કહ્યું તેમ સર્વ અહીં જાણતું. જેન આગ્ન દિશા સંબધે કહ્યું તે પ્રમાણે નૈઋતી દિશા માટે જાણવું. જેમાં એન્ટ્રી દિશા સંબધે કહ્યું તેમ વારુણી (પશ્ચિમ) દિશા માટે જાણવું. વાયવ્યદિશાને આગ્નેયીની પેઠે જાણવું. એન્દ્રીની પેઠે સોમ્યા અને આગ્નેયીની પેઠે ઐશાની દિશા જાણવી. તથા વિમલા-ઊધ્વદિશામાં જેમ આગ્નેયીમાં જીવો કહ્યા તેમ જીવો અને એન્ટ્રીમાં અજીવો કહ્યા તેમ અજીવો જાણવા. એ પ્રમાણે તમા-અધોદિશા-ને વિષે પણ જાણવું, વિશેષ એ છે કે, તમાદિશામાં અરપિઅજીવો છ પ્રકારના છે, કારણ કે ત્યાં અદ્ધાસમય નથી. ૪િ૭૬] હે ભગવન્! શરીરો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! શરીરો પાંચ પ્રકારના કહ્યા છે, ઔદારિક, (વેક્રિય, આહારક, તૈજસ) યાવતુ કામણ. હે ભગવનું ! ઔદારિક શરીર કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! અહિં સર્વ અવગાહના સંસ્થાન’ પદ અલ્પબદુત્વ સુધી કહેવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. શતકઃ ૧૦-ઉદેસાઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ છે (- ઉદેશક ૨:-). [૭૭] રાજગૃહ નગરમાં યાવત્ (ગૌતમ) એ પ્રમાણે બોલ્યા- હે ભગવનું ! કષાયભાવમાં-રહીને આગળ રહેલાં રૂપોને જોતા, પાછળના, પડખેના, ઊંચેના, અને નીચેના રૂપોને અવલોકતા સંવૃત અનગારને શું એયરપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? હે ગૌતમ !એપિથિકી ક્રિયા ન લાગે, પણ સાંપરાયિકી ક્રિયા લાગે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેના ક્રોધ, માન, માયા અને લોભ ક્ષીણ થયા હોય તેને એયપિથિકી ક્રિયા લાગે-ઈત્યાદિ સપ્તમ શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતું તે સંવૃત અનગાર સૂત્ર વિરુદ્ધ વર્તે છે ત્યાં સુધી કહેવું. હે ભગવન્! અકષાયભાવમાં-રહીને આગળના રૂપોને જોતા, યાવતુ અવલોકતા સંવૃત અનગારને શું એયરપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? હે ગૌતમ ! એય પથિકી ક્રિયા લાગે, પણ સાંપરાયિકી ક્રિયા ન લાગે.એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! “જેના ક્રોધ, માન, માયા અને લોભ ક્ષીણ થયા છે તેને એયપથિકી ક્રિયા લાગે છે-ઈત્યાદિ પૂર્વવતુ. [૪૭૮ હે ભગવન! યોનિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની. શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. એ પ્રમાણે અહીં સમગ્ર યોનિપદ કહેવું. [૪૭૯] હે ભગવન્! વેદના કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. એ પ્રમાણે અહીં સંપૂર્ણ વેદનાપદ કહેવું. યાવતું- હે ભગવન્! નૈરયિકો શું દ:ખપૂર્વક વેદના વેદે છે, સુખપૂર્વક વેદના વેદે છે કે સુખ-દુઃખ શિવાય વેદના વેદે છે? હે ગૌતમ નૈરયિકો ત્રણે રીતે વેદતા વેદે છે. [૪૮૪] હે ભગવન્! જે અનગારે માસિક ભિક્ષુ પ્રતિમાને સ્વીકારેલી છે, અને હમેશાં શરીરના મમત્વનો ત્યાગ કર્યો છે ઈત્યાદિ માસિક ભિક્ષુ પ્રતિમાનો સંપૂર્ણ વિચાર અહિં દશાશ્રુતસ્કંધમાં બતાવ્યા પ્રમાણે યાવતું બારમી પ્રતિમા સુધી જાણવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy