SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ભગવાઈ-૯-૩૩/૪૬૪ પ્રમાણે કહેવા લાગી હે જાત ! તું અમારે ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનગમતો. આધારભૂત, વિશ્વાસપાત્ર, સંમત, બહુમત, અનુમત, આભરણની પેટી જેવો, રત્નસ્વરૂપ, રત્નના જેવો, જીવિતના ઉત્સવ સમાન અને દયને આનંદજનક એમજ પુત્ર છો. વળી ઉંબરાનાપુષ્પની પેઠે તારા નામનું શ્રવણ પણ દુર્લભ છે, તો તારું દર્શન દુર્લભ હોય એમાં શું કહેવું? માટે હે પુત્ર! ખરેખર અમે તારો એક ક્ષણ પણ વિયોગ ઇચ્છતા નથી. જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાંસુધી તું રહે. અને અમે કાલગત થયા પછી વૃદ્ધાવસ્થામાં કુલવંશતખ્તની વૃદ્ધિ કરીને નિરપેક્ષ એવો તું દીક્ષા ગ્રહણ કરી ગૃહવાસનો ત્યાગ કરી અનગારિકપણાને સ્વીકારજે.' ત્યાર પછી તે જમાલિ પોતાના માતા-પિતાને કહ્યું કે-“હે માતા-પિતા ! હમણાં મને જે તમે એ પ્રમાણે કહ્યું, કે-હે પુત્ર! તું અમારે ઈષ્ટ તથા કાંત એક પુત્ર છો-ઇત્યાદિ યાવતું અમારા કાલગત થયા પછી તું પ્રવ્રજ્યા લેજે.” પણ હે માતાપિતા ! એ પ્રમાણે, ખરેખર આ મનુષ્યભવ અનેક જન્મ, જરા, મરણ અને રોગરૂપ શરીર અને માનસિક દુઃખોની અત્યન્ત વેદનાથી અને સેંકડો વ્યસનોથી પીડિત, અધ્રુવ, અનિત્ય અને અશાશ્વત છે, તેમ સંધ્યાના રંગ જેવો, પાણીના પરપોટા જેવો, ડાભની અણી ઉપર રહેલા જલબિન્દુ જેવો, સ્વપ્નદર્શનના સમાન, વિજળીની પેઠે ચંચળ અને અનિત્ય છે. સડવું પડવું અને નાશ પામવો એ તેનો ધર્મ છે. પહેલાં કે પછી તેનો અવશ્ય ત્યાગ કરવાનો છે, તે કોણ જાણે છે કે-કોણ પૂર્વે જશે, અને કોણ પછી જશે? માટે ! હું તમારી અનુમતિથી પાવતુ પ્રવ્રજ્યા ગ્રહણ કરવાને ઇચ્છું છું. ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારને તેના માતા પિતાએ આ પ્રમાણે કહ્યું કે-“હે પુત્ર! આ તારું શરીર ઉત્તમ રૂપ, લક્ષણ વ્યંજન અને ગુણોથી યુક્ત છે, ઉત્તમ બલ, વીર્ય અને સર્વાસહિત છે, વિજ્ઞાનમાં વિચક્ષણ છે, સૌભાગ્ય ગુણથી ઉન્નત છે, કુલીન છે, અત્યન્ત સમર્થ છે, અનેક પ્રકારના વ્યાધિ અને રોગથી રહિત છે, નિરુપહત. ઉદાત્ત, અને મનોહર છે, પટુ એવી પાંચ ઇન્દ્રિયોથી યુક્ત અને ઉગતી યુવા સ્થાને પ્રાપ્ત થયેલું છે, અને એ સિવાય બીજા અનેક ઉત્તમ ગુણોથી ભરપૂર છે. માટે હે પુત્ર ! જ્યાં સુધી તારા પોતાના શરીરમાં રૂપ, સૌભાગ્ય તથા યૌવનાદિ ગુણો છે ત્યાં સુધી તેનો તું અનુભવ કર, અને અમો કાલગત થયા પછી વૃદ્ધાવ- સ્થામાં કુલવંશરૂપ તખ્તની વૃદ્ધિ કરીને નિરપેક્ષ એવો તું દીક્ષા લઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગારિકપણાને સ્વીકારજે. ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારે પોતાના માતા-પિતાને એ પ્રમાણે કહ્યું કે-હે માતા-પિતા ! તે બરોબર છે, પણ જે તમે મને એ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! આ તારું શરીર યાવત્ તું દીક્ષા લેજે.' પણ એ રીતે તો ખરેખર આ મનુષ્યનું શરીર દુઃખનું ઘર છે, અનેક પ્રકારના સેંકડો વ્યાધિઓનું સ્થાન છે, અસ્થિરૂપ લાકડાનું બનેલું છે, નાડીઓ અને સ્નાયુના સમૂહથી અત્યન્ત વિંટાએલ છે, માટીના વાસણની પેઠે દુર્બલ છે, અશુચિથી ભરપૂર છે, જેનું શુશ્રષા કાર્ય હમેશાં ચાલુ છે. જીર્ણ મૃતક અને જીર્ણ ઘરની પેઠે સડવું, પડવું અને નાશ પામવો-એ તેનો સહજ ધર્મો છે. વળી એ શરીર પહેલાં કે પછી અવશ્ય છોડવાનું છે. તો તે કોણ જાણે છે કે કોણ પહેલાં ઇત્યાદિ. ત્યારપછી તેના માતા-પિતાએ તે જમાલિ ક્ષત્રિયકુમારને કહ્યું કે હે પુત્ર ! આ તારે આઠ સ્ત્રીઓ છે, તે વિશાલ કુલમાં ઉત્પન્ન થયેલી અને બાળાઓ છે, તે સમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy