SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧, ઉદેસો-૧ આહારનો અભિલાષ થાય છે. હે ભગવન્! પૃથિવીકાયિકો શેનો આહાર કરે છે. હે ગૌતમ ! તેઓ દ્રવ્યથી અનંત પ્રદેશવાળાં દ્રવ્યનો આહાર કરે છે. ઈત્યાદિ બધું નૈરયિકોની પેઠે કહેવું અને યાવતુ-તેઓ વ્યાઘાત ન હોય તો છએ દિશામાંથી આહાર લે છે, જો વ્યાઘાત હોય તો કદાચિત્ ત્રણ દિશામાંથી, ચાર દિશામાંથી અને પાંચ દિશામાંથી આહાર લે છે. વર્ણથી કાળાં, નીલાં, પીલાં, લાલ અને શુક્લ દ્રવ્યોનો આહાર કરે છે. ગંધથી સારા અને નરસાગંધવાળાનો રસથી તિક્તાદિ બધા રસવાળાનો અને સ્પર્શથી કર્કશાદિ બધા સ્પર્શવાળાનો આહાર કરે છે. બાકી પૂર્વવત્ જાણવું. હે ભગવન્! તેઓ કેટલા ભાગનો આહાર કરે અને કેટલા ભાગનો સ્પર્શ કરે-આસ્વાદ લે-ચાખે? હે ગૌતમ ! તેઓ અસંખ્યય ભાગનો આહાર કરે અને અનંત ભાગને ચાખે. યાવતું- હે ભગવન્! તેઓએ ખાધેલા પગલો કેવે રૂપે વારંવાર પરિણામ પામે ? હે ગૌતમ ! સ્પર્શેન્દ્રિય-વિવિધ પ્રકારે સ્પર્શેન્દ્રિયપણે-પરિણામ પામે. બાકી બધું નૈરયિકોની પેઠે જાણવું. યાવતુ-અચલિતકર્મને નિર્જરતા નથી. એ પ્રમાણે યાવતુ જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, તથા વનસ્પતિકાયિક સુધી જાણવું. વિશેષ એ કે, જેની જે સ્થિતિ હોય તે કહેવી. અને વિવિધપણે ઉચ્છવાસ જાણવો. બેઈદ્રિયાવાળા જીવોની સ્થિતિ કહીને. તેઓનો ઉચ્છવાસ વિમાત્રાએ કહેવો. બેઈદ્રિવાળા જીવોનો આહારવિષયક (પૂર્વવતુ) પ્રશ્ન કરવો. હે ગૌતમ ! અનાભોગનિવિર્તિત આહાર તો પૂર્વની પેઠે જાણવો, તેમાં જે આભોગનિવિર્તિત આહાર છે તેનો અભિલાષ વિમાત્રાએ અસંખ્યયસામયિક અંતર્મુહૂર્ત થાય છે. બાકી બધું તેજ પ્રમાણે જાણવું યાવતુ-અનંતભાગને ચાખે છે. હે ભગવન્! જે પગલોને બેઇઢિયજીવો આહારપણે ગ્રહણ કરે છે તો શું તેઓ તે બધા પુદ્ગલોને ખાઈ જાય છે, કે બધાને નથી ખાતા? હે ગૌતમ ! બેઈદ્રિય જીવોનો આહાર બે પ્રકારનો કહ્યો છે, રોમાહાર-ફુવાદ્વારા લેવાતો આહાર પ્રક્ષેપાપહાર-મુખમાં પ્રક્ષેપાઈને થતો આહાર તેમાં તેઓ જે પુલોને રોમાહારપણે રહે છે તે બધા સંપુર્ણપણે ખાવામાં આવે છે. અને જે પુદ્ગલો પ્રક્ષેપાહારપણે લેવાઈ છે તેમાંનો અસંખ્ય ભાગ ખાવામાં આવે છે અને બીજા અનેક ભાગો ચખાયાવિના, તેમજ સ્પશયિા વિના જ નાશ પામે છે. હે ભગવન્! એ નહીં ચખાએલા અને નહીં સ્પર્શાએલા પુદ્ગલોમાં કયા કયા પુદ્ગલો અલ્પ, બહુ, તુલ્ય, અને વિશેષાધિક છે ? હે ગૌતમ ! નહીં ચખાએલા પુદ્ગલો સૌથી થોડા છે અને નહીં સ્પશએલા પુદ્ગલો અનંતગુણા છે. હે ભગવાન્ ! બેઈદ્રિય જીવો જે પુદ્ગલોને આહારપણે લે છે, તે મુદ્દગલો તેઓને વારંવાર કેવે રુપે પરિણામે છે ! હે ગૌતમ ! તે પુદ્ગલો તેઓને વિવિધતાપૂર્વક જિલ્વેદ્રિયપણે અને સ્પશેઠિયપણે વારંવાર પરિણામે છે. હે ભગવન્! બેઈદ્રિયજીવોને પૂર્વે આહરેલા પુગલો પરિણામ્યાં? હે ગૌતમ ! એ બધું પૂર્વ પ્રમાણેજ કહેવું યાવતુ-ચલિતકર્મને નિર્ભર છે. ત્રણ ઈદ્રિયવાળા અને ચાર ઈદ્રિયવાળા જીવોની સ્થિતિમાં ભેદ છે. બાકી બધું પૂર્વ પ્રમાણે છે. યાવતું અનેક હજાર ભાગો સુંઘાયા વિના, ચખાયા વિના અને સ્પર્શાયા. વિનાજ નાશ પામે છે. હે ભગવન્! એ નહી સુંઘાએલા નહીં ચખાએલા અને નહીં સ્મશયેિલા પુદ્ગલોમાં કયા કોનાથી થોડા, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા નહીં સુંઘાએલા પુદ્ગલો છે તેથી અનંતગુણાં નહીં ચખાએલા અને તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy