SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ભગવઈ - દાન/૩/૨૮૪ માટે જાણવું. અને વેદનીયને નીચેના બે સંજ્ઞી અને અસંજ્ઞી બાંધે અને ઉપરનો નોસંજ્ઞીનો અસંશી ભજન અને આયુષ્યને નીચેના બે ભજનાએ બાંધે અને ઉપરનો ન બાંધે. હે ભગવન્! શું ભવસિદ્ધિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ?, અભવસિદ્ધિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? કે નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! ભવસિદ્વિક ભજનાએ બાંધેઅભવસિદ્ધિક જ્ઞાનાવરણ કર્મ બાંધે અને નોભવસિદ્ધિક ને નોઅભવસિદ્ધિક ન બાંધે, એ પ્રમાણે આયુષ્ય સિવાયની સાતે કર્મપ્રવૃત્તિઓ માટે જાણવુિં આયુષ્ય કર્મ માટે નીચેના બે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક ભજનાએ બાંધે અને ઉપરનો નોભવસિદ્ધિક અને નોઅભવસિદ્ધિક અથ, સિદ્ધ, તે ન બાંધે. હે ભગવન્! શું ચક્ષુદર્શની, અચક્ષુ- દર્શની, અવધિદર્શની અને કેવલદર્શની જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! હેઠળના ત્રણ ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શની એ ત્રણ ભજનાએ બાંધે તથા ઉપરનો-કેવલદની તે ન બાંધે, એ પ્રમાણે વેદનીય સિવાયની સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું, વેદનીયકર્મને નીચેના ત્રણ બાંધે છે ને કેવલદર્શની કદાચ બાંધે અને કદાચ ન બાંધે. હે ભગવન્! શું પયપ્તક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? અપર્યાપ્તક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? કે નોપયપ્તિ નોઅપતિ જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! પયપ્તિ જીવ ભજનાએ જ્ઞાનાવરણીય કર્મ બાધે, અપયપ્તિ જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે અને નોપયપ્તિ નો અપર્યાપ્ત એટલે સિદ્ધ જીવ જ્ઞાનાવરણીય કર્મ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને વર્જીને સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું અને આયુષ્યને નીચેના બે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભજનાએ બાંધે અને ઉપરનો નોપયપ્તિનો અપર્યાપ્તિસિદ્ધ ન બાંધે. હે ભગવન્! શું ભાષક જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે ? કે અભાષક બાંધે? હે, ગૌતમ ! એ બન્ને જીવ જ્ઞાનાવરણ કર્મ ભજનાએ બાંધે, એ પ્રમાણે વેદનીયવર્જીને સાતે કર્મપ્રવૃતિઓ માટે જાણવું અને વેદનીય કર્મ ભાષક બાંધે તથા અભાષક વેદનીય કર્મને ભજનાએ બાંધે. હે ભગવન્! શું પરિત્ત-એક શરીરવાળો જીવ, જ્ઞાનાવરણ કર્મ બાંધે ? અપરિત્ત જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે ? કે નોપરિત્ત નોઅપરિત્ત જીવ જ્ઞાનાવરણ કમી બાંધે ? હે ગૌતમ ! પરિત્ત જીવ, ભજનાએ જ્ઞાનાવરણ કર્મ બાંધે, અપરિત્ત જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે અને નોપરિત્તનોઅપરિત્ત એટલે સિદ્ધ જીવ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને વર્જીને સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું. અને પરિત્ત તથા અપરિત્ત એ બને પણ આયુષ્ય કર્મને ભજનાએ બાંધે છે અને નોપરિત્ત નોઅપરીત્ત બાંધતો નથી. તે ભગવન ! શું આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવલજ્ઞાની જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! હેઠળના ચાર ભજ- નાએ બાંધે છે, નોપરિત્ત નો અપરીત્ત બાંધતો નથી. હે ભગવન્! શું આભિ- નિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અવવિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની કે કેવલજ્ઞાની જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિ- જ્ઞાની અને મન:પર્યવજ્ઞાની ભજનાએ બાંધે છે અને કેવલજ્ઞાની બાંધતો નથી, એ પ્રમાણે વેદનીયને વર્જીને બાકીની સાત કર્મપ્રવૃતિઓ માટે જાણી લેવું અને વેદનીય કર્મને હેઠળના ચાર બાંધે છે અને કેવળજ્ઞાની ભજનાએ બાંધે છે. હે ભગવન્! શું મતિઅજ્ઞાની, મૃતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની જ્ઞાનાવરણીય કર્મ બાધે ? હે ગૌતમ ! આયુષ્યને વર્જીને સાતે કર્મપ્રકૃતિઓ બાંધે અને આયુષ્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy