SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ભગવાઈ -પ-૭૨૫૭ [૨૫૭] હે ભગવન્! પરમાણુપુદ્ગલ, કાળથી ક્યાંસુધી રહે ? હે ગૌતમ! પરમાણુપુદ્ગલ, ઓછામાં ઓછું એક સમય સુધી રહે અને વધારેમાં વધારે અસંખ્ય કાળ સુધી રહે, એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશિક સુધીના સ્કંધ માટે સમજી લેવું, હે ભગવન્! એક આકાશ પ્રદેશમાં સ્થિત પુદ્ગલ, જ્યાં હોય તે સ્થાને અથવા બીજેસ્થાને કાળથી ક્યાંસુધી સકંપ રહે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય સુધી અને વધારેમાં, વધારે આવલિકાના અસંખ્યય ભાગ સુધી સકંપ રહે, એ પ્રમાણે યાવતું આકાશના અસંખ્યય પ્રદેશમાં સ્થિત પુદ્ગલ માટે પણ જાણવું. હે ભગવન્! એક આકાશ પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ કાળથી ક્યાંસુધી નિષ્કપ રહે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને વધારેમાં વધારે અસંખ્યય કાળ સુધી નિષ્ઠપ રહે, એ પ્રમાણે યાવતુ અસંખ્યય પ્રદેશાવગાઢ પુગલ માટે પણ જાણવું. હે ભગવન્! પુદ્ગલ એકગણું કાળું, કાળથી ક્યાં સુધી રહે ? હે ગૌતમ! જઘન્યથી એક સમય સધી અને વધારેમાં વધારે અસંખ્યય કાળસુધી રહે, એ પ્રમાણે યાવતું અનંત ગુણ કાળા પુલ માટે જાણવું, એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યાવતુ. અનંતગુણ રૂક્ષ માટે પુગલ માટે જાણવું, એ પ્રમાણે સૂક્ષ્મપરિણત પુદ્ગલ માટે અને બાદરપરિણત પુદ્ગલ માટે જાણવું. હે ભગવન્! શબ્દપરિણત પુદ્ગલ, કાળથી ક્યાં સુધી રહે ? હે ગૌતમ! ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અવલિકાના અસંખ્યય ભાગ સુધી રહે અશબ્દપરીણત પુદ્ગલ, જેમ એકગુણ કાળું પુદ્ગલ કહ્યું તેમ સમજવું. હે ભગવનું ! પરમાણપદૂગલને કાળથી કેટલું લાંબું અંતર હોય હે ગૌતમ ! ઓછામાં ઓછું એક સમય અને વધારેમાં વધારે અસંખ્યયકાળ સુધીનું અંતર છે. હે ભગવન્! દ્વિપ્રદે શિક સ્કંધને કાળથી કેટલું લાંબુ અંતર હોય? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું અંતર છે, એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશિકકંધ સુધી જાણી લેવું. હે ભગવનું ! એક પ્રદેશમાં સ્થિત સકંપ પુદ્ગલને કાળથી કેટલું લાંબુ અંતર હોય ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધીનું અંતર હોય એ પ્રમાણે યાવતુ અસંખ્ય પ્રદેશસ્થિત સ્કંધો માટે પણ સમજી લેવું. હે ભગવનું ! એક પ્રદેશમાં સ્થિતિનિકંપ પદુગલને કાળથી કેટલું લાંબું અંતર હોય છે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યય ભાગ, એ પ્રમાણે યાવતુ અસંખ્ય પ્રદેશસ્થિત સ્કંધો માટે પણ સમજી લેવું. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સૂક્ષ્મપરિણત અને બાદરપરિણતોને માટે જે તેઓની સ્થિતિ કાળ કહ્યો છે તેજ અંતરકાળ છે, એમ કહેવું. હે ભગવન્! શબ્દપરિણત યુગલને કાળથી કેટલું લાંબું અંતર હોય ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ અંતર હોય હે ભગવનું ! અશબ્દપરિણત પુદ્ગલને કાળથી કેટલું લાંબું અંતર હોય ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યય ભાગ અંત હોય. [૨પ૮] હે ભગવન્! એ દ્રવ્યસ્થાનાયું, ક્ષેત્રસ્થાનાયુ, અવગાહનાસ્થાનાયુ અને ભાવસ્થાનાયુ એ બધામાં કયું કોનાથી યાવતુ વિશેષાધિક છે? હે ગૌતમ! સર્વથી થોડું ક્ષેત્રસ્થાનવાયુ છે, તે કરતાં અસંખ્યગુણ અવગાહનાસ્થાનાયુ છે, તે કરતાં અસંખ્યગુણ દ્રવ્યસ્થાનાયું છે અને તે કરતાં ભાવસ્થાનાયુ અસંખ્ય ગુણ છે. [૨૫૯] ક્ષેત્ર, અગાહના. દ્રવ્ય અને ભાવસ્થાનાયાનું અલ્પબદુત્વ કહેવું, તેમાં Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy