SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ શ્રુતસ્કંઘ-૨, અધ્યયન-જ, ઉદેસો-૧ પ્રશંસા વચન) અપનીત વચન (અપ્રશંસાવચન), ઉપનીકઅપનીતવચન, અપનીતઉપનીત વચન, અતીત વચન, વર્તમાન વચન, અનાગત વચન, પ્રત્યક્ષ વચન, પરોક્ષ વચન. ઉક્ત સોળ વચનોને જાણી મુનિ જ્યાં એકવચન બોલવા યોગ્ય હોય ત્યાં એકવચન જ બોલે, યાવતુ જ્યાં પરોક્ષ વચન બોલવા યોગ્ય હોય ત્યાં પરોક્ષ વચન જ બોલે. એ પ્રમાણે- આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ નપુંસક છે, આ વાત એમજ છે અથવા અન્યથા જ છે, એ રીતે યથાર્થ નિર્ણય કરી મુનિએ ભાષાસમિતિ પૂર્વક, વિચારી-ધારીને, ભાષાના દોષો ટાળીને ભાષણ કરવું જોઈએ. મુનિએ ચાર પ્રકારની ભાષા જાણવી જોઈએ. તે આ પ્રમાણે- ભાષાનો પહેલો પ્રકાર છે સત્ય, જેમ ગાય ને ગાય અને અશ્વને અશ્વ કહેવો. બીજો પ્રકાર અસત્ય, જેમ ગાયને ઘોડો કહેવો. ત્રીજો પ્રકાર છે સત્યમૃષા અથતિ કંઈક સત્ય કંઈક અસત્ય, જેમ કે ઘોડા પર સવાર થઈને આવતા દેવદત્તને ઉંટ પર સવાર થઈને આવે છે.’ એમ કહેવું. ચોથો પ્રકાર છે. અસત્યામૃષા જે સત્ય, અસત્ય અથવા સત્યમૃષા ન કહી શકાય, જેમ પુસ્તક લઈ આવો. મુનિ આ ભાષાના ચાર પ્રકાર સમજે. હવે હું કહું છું- ભૂતકાલીન, વર્તમાન કાલીન અને ભવિષ્યત્ કાલીન-સર્વ અરિહંત ભગવંતોએ ભાષાના આ જ ચાર ભેદ કહેલ છે, કહે છે. અને કહેશે, આ ચાર ભેદ સમજાવ્યા છે, સમજાવે છે, સમજા- વશે. ચારેય પ્રકારની ભાષાના પુદ્ગલ અચિત્ત છે, વર્ણયુક્ત, ગંધયુક્ત, રસયુક્ત, સ્પર્શ યુક્ત છે, ચયઉપચય ધર્મવાળા છે અને નાના પ્રકારના પરિણમનવાળા કહેલ છે. [૪૬]સાધુ અને સાધ્વીએ જાણવું જોઈએ કે બોલ્યા પહેલાની ભાષા "એ અભાષા છે, બોલાતી ભાષા તે ભાષા છે, અને બોલ્યા પછીની ભાષા તે અભાષા છે. સાધુ અને સાધ્વી જાણે કે - આ જે સત્ય ભાષા છે, અસત્ય-ભાષા છે, સત્યમૃષા મિશ્ર) ભાષા છે અને અસત્યામૃષા ભાષા છે, એમાંથી પણ સાવદ્ય સક્રિય, કર્કશ, કટુ, નિષ્ફર, કઠોર, આસ્રવજનક, છેદકારી, ભેદકારી, પરિતાપ ઉત્પન્ન કરવાવાળી ઉપદ્રવ કરાવવાવાળી અને ભૂતો-પ્રાણીઓની ઘાત કરવા વાળી ભાષા છે, સત્ય હોવા છતાં પણ તે બોલવાની ઈચ્છા ન કરે. સાધુ અને સાધ્વીએ જાણવું જોઈએ કે સુક્ષ્મ બુદ્ધિથી વિચાર કરતાં જે ભાષા સત્ય હોય, અને જે ભાષા અસત્યામૃષા હોય, આ પ્રકારની નિરવઘ યાવતુ જે પ્રાણીઓની ઘાત કરવાવાળી ન હોય, તેનો જ વિચાર કરી બોલવી. સાધુ અથવા સાધ્વી કોઈ પુરુષને બોલાવે ત્યારે અને બોલાવવા પર સાંભળે નહિ ત્યારે આ પ્રમાણે ન કહે-અરે હોલ, ગોલ, ચાંડાલ, કુજાતિ ભિસ્તી, કૂતરા, ચોર, વ્યભિચારી, કપટી, જૂઠા, ઈત્યાદિ, અથવા તું આવો છે, તારા માબાપ આવા છે, તેવા છે, ઈત્યાદિ. આ પ્રકારની ભાષા પાપમય છે. સક્રિય છે યાવતુ ભૂત-ઘાતિની છે. એટલા માટે વિચારી સમજીને આવી ભાષાનો પ્રયોગ ન કરે. [૪૬૮]સાધુ અથવા સાધ્વી કોઈ પુરુષને બોલાવે ત્યારે અને બોલાવવા છતાં પણ તે સાંભળે નહિ ત્યારે એમ કહે-હે અમુક અથવા હે આયુષ્યનું, હે શ્રાવક, હે ધાર્મિક અથવા હે ધર્મપ્રિય, ઈત્યાદિ. આ પ્રકારની નિરવદ્ય યાવતું અહિંસક ભાષાનો વિચારી પ્રયોગ કરે. સાધુ કે સાધ્વી સ્ત્રીને સંબોધીને બોલાવે ત્યારે અથવા બોલાવતા ન સાંભળે ત્યારે આ પ્રમાણે ન કહે-અરી હોલી, અરી ગોલી આદિ. સાધુ અથવા સાધ્વી કોઈ સ્ત્રીને બોલાવે અને બોલાવતાં તે ન સાંભળે ત્યારે આ પ્રમાણે કહે- હે આયુષ્મતી, હે ભગિની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy