SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ આયારી-ર૩/૪૫૯ લેતો અથવા કોઈ પથિક જતો હોય તો તેના હાથના સહારે જાય અને ફરી યતના પૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે રસ્તામાં ઘઉં આદિ ધાન્ય અથવા ગાડીઓ, રથ કે સ્વચક્ર- પરચક્ર (ફોજના પડાવ) આદિ હોય અને તે રસ્તો રોકાયેલો હોય તો બીજા માર્ગેથી યતનાપૂર્વક જાય. પરંતુ સીધે માર્ગ ન જાય. કદાચિત બીજો માર્ગ ન હોવાથી તે માર્ગે જવું પડે અને સેનામાંથી કોઈ કહે હે-આયુષ્મનું ! આ સાધુ સેનાનો માર્ગ રોકી રહ્યો છે. માટે હાથ પકડી એક તરફ ખેંચી હટાવી દો. અને કોઈ હાથ પકડી ખસેડી મૂકે તો મુનિ પ્રસન્ન કે અપ્રસન્ન ન થાય. રાગ-દ્વેષ ન કરે. તેની ઘાત પણ ન ઈચ્છે, અને તેવો પ્રયત્ન પણ ન કરે, પોતાના ચિત્તને સમાધિમાં મગ્ન રાખે ને એક ગામથી બીજે ગામ જાય. ૪િ૬૦]સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે માર્ગમાં સામે કોઈ પથિક મળે તે પ્રતિ પથિક સાધુને પૂછે-આયુષ્યનું શ્રમણ ! આ ગામ કે રાજધાની કેવી છે? અહિંયા ઘોડો, હાથી, ભિક્ષાજવી મનુષ્ય કેટલા છે? આ ગામમાં ભોજન પાણી મનુષ્યો અને ઘઉં આદિ ધાન્યોની પ્રચુરતા છે કે ભોજન, પાણી મનુષ્યો તથા ધાન્યની કમી છે તે પથિક એવા પ્રશ્નો પુછે તો સાધુ તેવા પ્રશ્નોના જવાબ ન આપે. તેમ વગર પૂછ્યું કંઈ ન કહે સાધુ અને સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરવાનો આ આચાર છે યતના પૂર્વક તેનું પાલન કરવું જોઈએ. અધ્યયનઃ ૩-ઉદેસોઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન ૩-ઉદેસોઃ૩) [૪૬૧]એક ગામથી બીજે ગામ જતાં સાધુ સાધ્વી માર્ગમાં કોઈ ટેકરા અથવા ગુફા વગેરે યાવત્ પર્વત પર બનેલા ઘર, પ્રાસાદ, તળેટીમાં બનેલા ઘર અથવા ભૂગૃહ, વૃક્ષો નીચે બનેલા ઘર, પર્વતગૃહ, વૃક્ષ, ચૈત્યસ્વપૂ યાવતુ ભવન-ગૃહ આદિ જોઈને હાથ ઊંચાનીચા કરી, આંગળી આદિથી ઈશારા કરી, નીચે ઝુકી, ઊંચા થઈ જુએ નહી, યતનાપૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે માર્ગમાં કચ્છ (નદી કિનારાનો નીચે પ્રદેશ), ઘાસની વીડ, તળેટી, નદી આદિથી ઘેરાયેલા પ્રદેશ, નિર્જલ પ્રદેશ, નિર્જનભૂમિમાં રહેલ કિલ્લો, વન અથવા ઝાડીમાં રહેલા કિલ્લો, પહાડો, પહાડો પર બનેલ કિલ્લો, કૂપ તળાવો દૂહો, નદીઓ, વાવડીઓ, પુષ્કરિણીઓ, દીધિંકાઓ ગુંજલિકા, સરોવરો, સરોવરની પંક્તિઓ, આદિને હાથ ઊંચા કરી કરીને વાવત નીચે નમી અથવા ઊંચા થઈ ન જુએ. એવું કેવળ જ્ઞાનીનું કથન છે કે એમ કરવામાં કર્મ બંધનું કારણ છે. પૂર્વોક્ત સ્થળોને આ પ્રમાણે જોવાથી ત્યાં રહેલા મૃગ, પશુ, પક્ષી, સર્પ, સિંહ, જલચર, સ્થલચર, ખેચર અથવા સત્વ ત્રાસ પામશે. રક્ષા માટે ખેતરની વાડ અથવા ઝાડી વગેરેનો આશ્રય લેવાની ઈચ્છા કરશે. આ શ્રમણ અમને ભગાડવા ઈચ્છે છે એમ સમજશે. માટે સાધુનો આ જ પૂવૉલિખિત આચાર છે કે તે હાથ ફેલાવી ફેલાવીને ન જુએ. ન ઈશારા કરે. પરંતુ યતના પૂર્વક આચાર્ય ઉપાધ્યાયની સાથે પ્રામાનુગ્રામ વિચરે. [૪૨]સાધુ, આચાર્ય કે ઉપાધ્યાયની સાથે અને સાધ્વી પ્રવતિની આદિ સાથે, એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે, આચાર્ય-ઉપાધ્યાય અથવા પ્રવતિનીના હાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy