SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આયારો-ર૩૨૫૩ નાવમાં બેઠેલા પથિકો, નાવમાં બેઠેલા મુનિને કહેઆયુષ્યનું શ્રમણ ! આ નાવને હલેસાથી પાટિયાથી, વાંસથી, વળીથી અથવા દોરડાથી, ચાટવા આદિથી ચલાવો કો મુનિ આ કથનનો સ્વીકાર ન કરે. મૌન રહે. કોઈ નાવિક, નૌકામાં બેઠેલા મુનિને કહેનાવમાં ભરાયેલા પાણીને હાથથી, પગથી વાસણથી, પાત્રથી અથવા કોઈ સાધનથી ઉલેચી નાંખો. સાધુ તે કથનનો સ્વીકાર ન કરે. પરંતુ મૌન રહે. કોઈ નૌકામાં બેઠેલા મુનિને કહે આ છિદ્રથી પાણી ભરાઈ રહ્યું છે, તેને તમે હાથથી, પગથી, ભુજાથી, જાંઘથી, પેટથી, શરીરથી અથવા શરીરના કોઈ પણ અવયવથી, અથવા વસ્ત્રથી, માટીથી ડાભથી અથવા કુરૂવિંદ-કમલપત્રથી ઢાંકી દો બંધ કરી દે તે કથનનો સાધુ સ્વીકાર ન કરે, પરંતુ મૌન રહે. સાધુ અથવા સાધ્વી નૌકાના છિદ્રમાંથી ભરાતું પાણી જોઈને અને તે પાણીથી નૌકા હાલકડોલક દેખી નાવિક અથવા બીજા કોઈ પાસે જઈને એમ ન કહે કે આયુષ્મનુ ગાથાપતિ ! તારી આ નાવના છિદ્રમાંથી પાણી ભરાઈ રહ્યું છે અને નાવ ડૂબી રહી છે પોતે ગભરાય નહિ અને બીજા ગભરાઈ જાય તેવા વચન ન કહે પરંતુ તે સંકટ સમયે જરા માત્ર ગભરાયા વિના, ચિત્ત સંયમમાં રાખીને આત્મ સ્વરૂપમાં રમણ કરતો, મોહ ત્યાગીને સમાધિમાં લીન થાય. આ સઘળો નૌકામાં બેઠેલા મુનિનો આચાર બતાવ્યો છે તેનું સારી રીતે પાલન કરે પછી યતના પૂર્વક નૌકામાંથી ઉતરવા યોગ્ય પાણીમાં પૂર્વોક્ત વિધિનુસાર ઉતરે. સાધુ અને સાધ્વીનો આચાર છે. મુમુક્ષુ જ્ઞાનાદિથીયુક્ત થઈને સદા તેનું પાલન કરે, એમ હું કહું છું. અધ્યયન ૩ઉદેસોઃ ૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન ૩-ઉદેસી ૨) [૫૪]નૌકામાં રહેલા કોઈ નૌકામાં બેઠેલા મુનિને કહે - આયુષ્માનું શ્રમણ ! તમે આ છત્ર યાવતું ચર્મ છેદનક ને પકડો, આ વિવિધ પ્રકારનાં શસ્ત્રો ધારણ કરો અથવા આ બાળકને પાણી આદિ આપો, તો મુનિ આ કથન ન સ્વીકારે. ને મૌન રહે. [૫૫]કદાચિતુ નૌકામાં રહેલા કોઈ વ્યક્તિ નૌકામાં બેઠેલ કોઈ બીજી વ્યક્તિને કહે-આયુષ્મન ! આ મુનિ નાવનો બોજો વધારનાર છે તેથી તેને બાહુથી પકડી પાણીમાં ફેંકી દીઓ. આ પ્રકારના શબ્દ સાંભળીને તેનો આશય સમજી જો મુનિ વસ્ત્રધારી હોય તો, શીધ ભારે વસ્ત્રો અલગ કરી હળવા વસ્ત્રો શરીર પર ધારણ કરે, તેમજ મસ્તક પર વીંટી લીએ. પૂર્વોક્ત તૈયારી કર્યા પછી જાણે દૂર કમ લોક મારી પાસે પહોંચ્યા છે, તેઓ બાહુથી પકડી પાણીમાં ફેકે તે પહેલાજ મુનિ તેને કહી દેહે આયુષ્મનું ગૃહસ્થો ! મને બાહથી પકડી નાવમાંથી પાણીમાં ન ફેંકો, હું પોતેજ નાવમાંથી પાણીમાં ઉતરી જાઉં છું. એમ કહે છતાં પણ તે અજ્ઞાની કદાચિત એકાએક બળપૂર્વક બાહુમાં પકડી પાણીમાં ફેંકી દે તો પણ મુનિ પ્રસન્ન કે અપ્રસન્ન થાય નહિ. સંકલ્પ કે વિકલ્પ પણ કરે નહિ. તેમજ તે અજ્ઞાની જનોનો ઘાત કે વધ કરવા તૈયાર થાય નહિ. શાન્ત ચિત્ત રાખી ગભરાયા વિના સમાધિ પૂર્વક પાણીમાં યતનાથી પ્રવેશ કરે ૪૫તે સાધુ સાધ્વી પાણીમાં તણાતા હોય ત્યારે હાથથી હાથ કે પગથી પગ કે શરીરથી શરીરનો સ્પર્શ ન કરે. સાધુ જલ-કાયના જીવોની વિરાધનાથી બચવા માટે યતનાપૂર્વક પાણીમાં તણાય. સાધુ કે સાધ્વી જલમાં તણાતાં હોય ત્યારે ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy