SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુત-૨, અધ્યયન-૩, ઉદ્દેસો-૧ ૮૩ રાજાના મરી જવા પર અરાજકતા હોય, જ્યાં કોઈ રાજા જ ન હોય, જ્યાં ઘણા રાજા હોય, જ્યાં યુવરાજ જ હોય-રાજ્યાભિષેક ન થયો હોય, જ્યાં બે રાજ્યોમાં વેર હોય અથવા જ્યાં વિરોધિઓનું રાજ્ય હોય. સાધુ કે સાધ્વી ભલે ચક્કર ખાઈને જાય પરંતુ એવા પ્રદેશની વચ્ચેથી ન જાય. કેવળી ભગવાન કહે છે કે ત્યાં જવાથી કર્મબંધનની સંભાવના છે. ત્યાંના જ્ઞાનીજન મુનિને ‘આ ચોર છે’. ઈત્યાદિ પહેલાની જેમ જ કહેવું જોઈએ. તેથી મુનિ એવો દેશ છોડી બીજા નિરૂપદ્રવ દેશમાં વિહાર કરે. [૪૫૧]એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વીને માર્ગમાં લાંબી અટવી આવી પડે તો તેને જાણવું જોઈએ કે આ અટવી એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસમાં પાર કરી શકાશે, અથવા પાર નહિ કરી શકાય ? જો બીજો માર્ગ હોય તો આ પ્રકારની અનેક દિનોમાં પાર કરી શકાય તેવી અટવીમાં થઈને જવું ન જોઈએ. કેવળી કહે છે કે ત્યાં જવું તે કર્મબંધનનું કારણ છે. ત્યાં જતાં વચ્ચે વાસ કરવો પડે કારણ કે વર્ષા આવી જાય તો પ્રાણી લીલ ફુગ, બીજ, હરિત અને સચિત્ત જલ તથા કીચડ થઈ જશે. તેથી સાધુઓનો આ પૂર્વોપવૃષ્ટિ આચાર છે કે એવી અનેક દિનોમાં પાર કરી શકાય તેવી અટવીમાં થઈને ગમન ન કરે, પણ બીજા માર્ગથી યતના પૂર્વક વિચરે. [૪૫૨]સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે માર્ગમાંથી નૌકાથી પાર કરી શકાય તેટલું પાણી હોય. - એવી સ્થિતિમાં સાધુ જે નૌકાના વિષયમાં એમ સમજે કે આ નૌકા ગૃહસ્થે સાધુના નિમિત્તે ખરીદેલી, કે ઉધાર લીધેલી, કે નૌકા બદલે નૌકા લીધેલી, કે સ્થળમાંથી જળમાં ઉતારેલી છે, કે જલમાંથી સ્થળમાં કાઢી છે, ભરેલીને પાણી ઉલેચી ખાલી કરેલ છે. ફસાયેલીને બહાર ખેંચી કાઢી છે, એવા પ્રકારની નૌકા ભલે પછી ઉ૫૨ કે નીચે કે તીર્દી ચાલવાવાળી હોય, તે પછી ભલે એક યોજન, અર્ધયોજન અથવા તેનાથી ઓછી કે વધારે જવાવાળી હોય, તો પણ તેવી નૌકા પર સાધુ-સાધ્વીએ આરૂઢ થવું ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જાણે કે આ નૌકા પહેલે પાર જવાની છે એમ જાણીને પોતાના ઉપકરણ લઈને એકાંતમાં જાય, એકાંતમાં જઈને પોતાના ઉપકરણનું પ્રતિલેખન કરે, પ્રતિલેખન કરીને તે એકત્ર કરે, એકત્ર કરીને મસ્તકથી લઈ પગ પર્યંત સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરે, ત્યારબાદ આગાર રાખી આહારના પ્રત્યાખ્યાન કરે અને પછી એક પગ જલમાં અને એક પગ સ્થળમાં રાખી યતનાપૂર્વક નૌકા ઉપર ચઢે. [૪૫]સાધુ કે સાધ્વી નૌકા પર ચઢે ત્યારે નૌકાના આગલા ભાગથી ન ચઢે અથવા નૌકામાં સૌથી આગળ ન બેસે. પાછળના ભાગથી નૌકા પર ન ચઢે અને મધ્યમાંથી પણ ન ચઢે. પરંતુ ચઢવાના રસ્તેથી જ ચઢે. ત્યારબાદ નૌકા બાજુના ભાગને પકડી-પકડીને, આંગળીથી વારંવાર સંકેત કરીને, શરીરને ઉંચુ-નીંચું કરીને જુએ નહીં. તે નૌકા ૫૨ સ્થિત કોઈ નૌકામાં બેઠેલો સાધુને કદાચિત આ પ્રમાણે કહે કે- ‘હે આયુષ્માન શ્રમણ ! આ નૌકાને આગળ ખેંચો કે પાછળ ખેંચો કે ચલાવો અથવા દોરડાઓ ખેંચો. આ સાંભળીને મુનિ લક્ષ ન આપે, મૌન રહે. નૌકામાં બેઠેલા મુનિને નાવિક કે નૌકાપથિક કોઈ કહે-તમે નૌકાને આગળ પાછળ ખેંચવામાં કે ફેંકવામાં અથવા દોરડાથી ખેંચવામાં સમર્થ ન હો તો નૌકાનું દોરડું લાવી આપો. અમે પોતે જ નૌકાને આગળ પાછળ ખેંચી લેશું તેવા પ્રકારના કથનનું મુનિ અનુમોદન ન કરે અને મૌન રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy