SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ આયા-૧૯૪૩૪૩ મુમુક્ષુ સાધક પણ આ રીતે આચરણ કરે છે. એમ હું કહું છું. અધ્યયન ૯ઉસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન ૯-ગુર્જરછાયાપૂર્ણ શ્રુતસ્કંધ-૧-ગુર્જરછાયાપૂર્ણ 5 શ્રતસ્કંધ-૨E (અધ્યયન ૧-પિંડેસરા-ચૂલિકા-૧) ઉસો-૧ - [૩૩પ ભિક્ષા ગ્રહણ કરવાના ઉદ્દેશ્યથી કોઈ સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે. અને તે સમયે તેઓને એવો ખ્યાલ આવે કે આ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રસજ પ્રાણિઓ અથવા લીલફુગના જીવોના સંસર્ગવાળો છે, બીજોથી અથવા દૂવ ડિાભ આદિ લીલોતરીથી મિશ્રિત છે, સચિત્ત જલથી ભીનો છે અથવા સચિત્ત રજથી ભરેલો છે; તો તેવા પ્રકારના અશુદ્ધ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર-પાણીને, જો કે તે આિહાર ગૃહસ્થના હાથમાં અથવા તો પાત્રમાં સ્થિત હોય, અપ્રાસુક સિચિત્ત અને અનેષણીય આિધાકર્મ આદિ માની મળવા છતાં પણ સાધુસાધ્વી ગ્રહણ ન કરે. કદાચિત્ અસાવધાનીના કારણે પૂર્વોક્ત પ્રકારનો બીજ આદિથી સંસક્ત અને જીવોથી યુક્ત આહાર લેવાઈ ગયો હોય તો તે આહારને લઈને એકાંતમાં જાય અને એકાંતમાં જઈને જ્યાં લોકોનું આવાગમન ન હોય એવા ઉદ્યાનમાં, ઉપાશ્રયમાં, ઈડા, પ્રાણિઓ, બીજે, હરિતકાય, ઓસ, જલ, ઉરિંગ, પંચવણ લીલગ, સચિત્ત જલવાળી માટી અને મર્કટ (કરોળિયા) ના જાળા આદિથી રહિત ભૂમિમાં જીવોથી ભેળસેળવાળા આહારાદિ પદાર્થોને અલગ કરી-કરીને ઉપરથી પડેલા ખાઈ ન શકે અને પાણી પી ન શકે તો મેલનાં ઢગલામાં, ફોતરાંના ઢગલામાં, છાણાના ઢગલામાં અથવા એવી જાતના કોઈ બીજા નિર્દોષ સ્થાનમાં જઈને તે સ્થાનની વારંવાર પ્રતિલેખના અને પ્રમાર્જના કરીને યતનાપૂર્વક પરઠવી દે. [૩૩] સાધુ અથવા સાધ્વી ભિક્ષાને માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જે શાલિબીજ આદિ ઔષધિઓનાં વિષયમાં એમ જાણે કે આ પ્રતિપૂર્ણ છે. એની યોનિ નષ્ટ થઈ નથી, આ દ્વિદલ કરેલ નથી, ઉપરથી ચીરી-ફાડી નથી, તિર્થી કાપી નથી, અચિત્ત થયેલ નથી તથા ચિત્ત છે, આવી અણછેદાયેલી તરૂણ વનસ્પતિ કે મગ વગેરેની શીંગો શસ્ત્રનો પ્રહાર પામેલી ન હોય અગર હજુ તોડી કકડા કરેલ ન હોય, તેવી ફલીને અપ્રાસુક અનેષણિક જાણીને પ્રાપ્તિ થવા પર પણ ગ્રહણ ન કરે. [૩૩૭] સાધુ અથવા સાધ્વી યાવતું ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જે ઔષધિઓના વિષયમાં એમ જાણે કે આમાં શસ્ત્ર પરિણત થઈ ચુક્યું છે, તેની યોનિ નષ્ટ થયેલ છે, એના બે ભાગ કરેલ છે. તિછ કાપેલી છે, અચિત્ત થઈ ચુકી છે, તે ઔષધિઓને તથા મગ આદિની કાચી-શીંગોને અચિત્ત તેમજ ભાંગેલી જોઇને પ્રાસક અને એષણિક સમજીને. પ્રાપ્ત થવા પર ગ્રહણ કરે. સાધુ અથવા સાધ્વી યાવતું ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy