SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન, હસો-૪ (અધ્યયન ૯-ઉદેસો ૪) [૩૧૮-૩૧૯] ભગવાનું મહાવીર નીરોગી હોવા છતાં પણ અલ્પાહાર કરતા હતા. ભગવાનનું શરીર સ્વભાવતઃ નીરોગ હતું. તેમને રોગ ન થાય અથવા થાય તો પણ તેઓ ઔષધની અભિલાષા કરતા નહિ. જુલાબ, વમન, શરીર પર તેલનું મર્દન, સ્નાન, હાથ-પગાદિ દબાવવા, દાંત સાફ કરવા ઈત્યાદિ ક્રિયાઓનો દેહાધ્યાસથી રહિત ભગવાને ત્યાગ કર્યો હતો. [૩૨૦-૩૧૪] ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત ભગવાન અલ્પભાષી થઈ વિચરતા હતા. ક્યારેક ક્યારેક શીયાળામાં છાયામાં બેસી ધ્યાન કરતા. ઉનાળામાં તાપના સન્મુખ ઉત્કટ આસને બેસતા અને આતાપના લેતા હતા. શરીર નિવહિ માટે તેઓ લૂખા-સુખા ભાત, બોરનો ભૂકો, અડદના બાકળાનો આહાર કરતા આ ત્રણ વસ્તુઓ ભગવાને ૮ મહિના સુધી વાપરી હતી. ભગવાન ક્યારેક પંદર દિવસ સુધી અને ક્યારેક એક માસ સુધી જલ પણ પીતા ન હતા. ક્યારેક બે માસ કરતાં કંઈક અધિક સમય સુધી, ક્યારેક છ માસ સુધી આહાર-પાણીનો ત્યાગ કરી રાત-દિવસ ઈચ્છા રહિત થઈ વિચરતા હતા. પારણામાં સદા નીરસ ભોજન કરતા હતા. ભગવાન પોતાની સમાધિનો વિચાર કરી, નિષ્કામ ભાવથી ક્યારેક છઠ કરી, ક્યારેક અઠમ કરી, ક્યારેક ચાલુ કરી અને ક્યારેક પાંચ ઉપવાસ કરી પારણું કરતા હતા. 1 [૩૨૫] હેય-ઉપાદેય તત્ત્વને જાણી ભગવાનને સ્વયં પાપ કર્મનું આચરણ કર્યું નહિ, બીજા પાસે કરાવ્યું નહિ અને પાપ કર્મ કરનારને અનુમોદન આપી નહિ. [૩૨-૩૩] ભગવાન ગામ કે નગરમાં જઇ બીજા માટે બનાવેલ આહારની ગવેષણા કરતા હતા અને સુવિશુદ્ધ આહારનું મન, વચન, કાયાને સંયત કરી સેવન કરતા હતા. ભિક્ષા લેવા જતાં ભગવાનને રસ્તામાં ભૂખ્યા કાગડા વગેરે પક્ષીઓ. અથવા બીજા રસના લોલુપ પક્ષીઓ જમીન ઉપર ભેગા થયેલા દેખાય તો ભગવાન તેમને કંઈ પણ અડચળ નહિ આપતા ચાલ્યા જતા. તથા ત્યાં કોઈ બ્રાહ્મણ, શાક્યાદિ શ્રમણો, ભિખારી, અતિથી, ચાંડાલ, બિલ્લી, કૂતરાને અથવા બીજા કોઈ પ્રાણીને સામે ઉભેલા જોઈ તેઓની આજીવિકામાં બાધા નહિ નાખતાં, તેને અપ્રીતીકર નહિ થતાં, કોઈ પણ પ્રાણીની હિંસા નહિ કરતાં, ધીરેથી નિકળી ભિક્ષાની ગવેષણા કરતા હતા. ભિક્ષામાં પ્રાપ્ત થયેલો આહાર, દૂધ ઘીથી યુક્ત હોય કે રૂખો-સૂખો હોય, ઠંડો-વાસી હોય, ઘણાં દિવસના અડદ હોય યા જુનાં ધાન્યનો હોય, યા જવાદિનો હોય, તે પણ મળે યા ન મળે તો પણ ભગવાન સમભાવ ધારણ કરતા. [૩૩૨] ભગવાન કષયોદયથી રહિત હતા, આસક્તિથી રહિત હતા. તેથી શબ્દ તેમજ રૂપાદિ ઇન્દ્રિયોમાં વિષયોમાં જરા પણ મૂર્છા ન રાખતા ધ્યાનમાં લીન રહેતા. હતા. છદ્મસ્થ હોવા છતાં પણ સંયમમાં પ્રબળ પુરુષાર્થ કરતા ભગવાને એકવાર પણ પ્રમાદનું સેવન કર્યું નહોતું ૩િ૩૩] શ્રમણ ભગવાન મહાવીર સ્વયં તત્ત્વને જાણી સ્વયંબુદ્ધ થયા. પોતાના આત્માની શુદ્ધિથી મન વચન, કાયાને સંયમિત કરી, માયાદિ કષાયોના વિજેતા બન્યા. તેઓ જીવન પર્યત સમિતિયુક્ત રહ્યા. [૩૪૩ મતિમાન માપન મહાવીરે આ વિધિનું વારંવાર આચરણ કર્યું છે. બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy