SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આયારો-૧૯/૨/૨૭૬ [૨૭-૨૭૮] પૃથ્વીકાય, અપકાય, તે સ્કાય, વાયુકાય, લીલ, ફૂગ, બીજ તથા અન્ય વનસ્પતિકાય અને ત્રસકાયને સર્વ પ્રકારથી જાણી આ સર્વિમાં જીવ છેચેતના છે, એવું જાણી તેની હિંસાનો ત્યાગ કરી ભગવાન વિચારવા લાગ્યા. સ્થાવર જીવ ત્રસરૂપમાં અને ત્રસજીવ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. અથવા સર્વ સંસારી જીવ સર્વ યોનિઓમાં ઉત્પન્ન થવાના સ્વભાવવાળા છે. અજ્ઞાની જીવ પોતપોતાના કમનુિસાર પૃથક પૃથક યોનિઓને ધારણ કરે છે. [૨૭૯-૨૮૧] ભગવાને વિચારપૂર્વક જાણ્યું હતું, કે દ્રવ્ય ઉપધિ અને ભાવ ઉપધિના કારણે અજ્ઞાની જીવ કમાંથી લેપાય ને દુખ પામે છે. તેથી ભગવાને કર્મના રહસ્યને સારી રીતે જાણી કર્મના કારણરૂપ પાપનો ત્યાગ કરી દીધો હતો. ઈયપ્રિત્યય અને સામ્પરાયિક બંને પ્રકારની ક્રિયાઓને જાણી તથા કર્મો આવવાના આસવને અને હિંસાદિ પાપોને તેમજ યોગને પૂર્ણરૂપે જાણી સમસ્ત ભાવોના જ્ઞાતા. ભગવાને અદ્વિતીય સંયમાનુષ્ઠાનનું કથન કર્યું છે. ભગવાન સ્વયે નિષ્પાપ અહિંસામાં પ્રવૃત્ત થયા. તેમણે પાપમય વ્યાપાર છોડી દીધો અને બીજાને પણ ન કરવાનું સમજાવ્યું જેણે સ્ત્રીઓને સમસ્ત કમનું મૂળ જાણી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છોડી દીધી છે તે જ સાચા પરમાર્થદર્શી છે. ભગવાને એવું જ કર્યું છે. તેથી તે વાસ્તવમાં પરમ તત્વના જ્ઞાતા થયા. [૨૮૨}ભગવાન આધાકર્મી આહારને કર્મબંધનું કારણ જાણી સેવન નહિ કરતા. કોઇ પણ પાપકર્મનું આચરણ નહિ કરતા ભગવાન સ્વાસુક આહાર જ ગ્રહણ કરતા : [૨૮] કોઈ વસ્ત્ર આપે તો ભગવાન તેનું સેવન ન કરતાં અચેલક જ રહેતા અને પોતાના કરપાત્ર સિવાય બીજા પાત્રમાં આહાર કરતા ન હતા. તે માન-અપમાનનો વિચાર કર્યા વિના દૈન્યરહિત થઇ ભોજનનાં સ્થાનમાં ભિક્ષા લેવા જતાં. [૨૮૪] ભગવાન આહારાદિના પરિમાણને જાણતા હતા. દૂધ દહીં આદિ રસોમાં આસક્ત ન હતા, રસવાળા પદાર્થોને લેવાની પ્રતિજ્ઞા ન કરતા. આંખમાં રજ આદિ પડી જાય તો તેને ઉતા નહિ, અને ચળ આવે ત્યારે શરીર ખજવાળતા નહિ. [૨૮૫ દેવદૂષ્ય વસ્ત્ર છોડ્યા પછી શિશિર ત્રતુમાં રસ્તે જતાં ભગવાન બંને બાહુઓને લાંબી કરી ચાલતા. શીતથી વ્યાકુળ થઈ હાથ સંકોચી અથવા ખભા પર રાખી ચાલતા નહતા. [૨૮] મતિમાનું માહન ભગવાન મહાવીરે કોઈ પણ આકાંક્ષા નહિ કરતાં પૂર્ણ નિષ્કામ ભાવથી આ વિધિનું અનુસરણ કર્યું. બીજા મુમુક્ષો પણ આ વિધિનું અનુસરણ કરે છે. એમ હું કહું છું. અધ્યયન ૯-ઉસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન ૯-ઉદેસોઃ૨). [૨૮૮] ભગવાનની ચર્ચા સાંભળ્યા પછી (શિષ્ય પૂછે છે-) વિહારમાં શય્યા અને આસન તો હોય જ, તો ભગવાન મહાવીરે વિહારમાં જે શય્યા, આસનાદિનો ઉપયોગ કર્યો તે શવ્યા, આસનાદિ આપ મને કહો [૨૮૯-૨૦૧] ભીંતવાળા ખાલી ઘરોમાં, વિશ્રાન્તિગૃહોમાં, પાણીના પરબોમાં. દુકાનોમાં, લુહારની કોઢમાં, ઘાસના બનાવેલ મંચોની નીચે રહેતા ભગવાન ક્યારેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy