SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંઘ-૧, અધ્યયન-૯, ઉદેસો-૧ (અધ્યયન ૯-ઉપધાનશ્રત) - ઉદેસો-૧ - [૨૬૫ જે રીતે શ્રમણ ભગવાન મહાવીર કર્મક્ષય કરવા તૈયાર થયા અને વસ્તુ સ્વરૂપને જાણી હેમંતઋતુમાં દીક્ષા લઈ તત્કાળ વિહાર કર્યો. એ સર્વ વૃત્તાન્ત મેં જેવું સાંભળ્યું છે તેવું તમને કહીશ. [૨૬] સર્વ પ્રકારના વસ્ત્ર અલંકારાદિ ઉપધિને છોડીને નીકળેલા ભગવાનના ખભા ઉપર ઈન્દ્ર દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું. પણ ભગવાને એવો વિચાર ન કર્યો કે હું હેમંત ઋતુમાં આ વસ્ત્રથી શરીરને ઢાંકીશ. કારણ કે ભગવાન યાવતું જીવન પરિષહોને સહન કરવાવાળા હતા. ભગવાનનું વસ્ત્ર ધારણ કરવું પૂર્વવર્તી તીર્થકરો દ્વારા આચીર્ણ છે. [૨૬] દીક્ષા લીધી ત્યારે ભગવાનના શરીર પર સુગંધિત દ્રવ્યો લગાડવામાં આવ્યા હતા. તે સુગંધથી ભ્રમરાદિ આકર્ષિત થઈ ભગવાનના શરીર ઉપર ચઢી જતા, ફરતા અને ડંખ મારતા હતા. ચાર માસ કરતાં કંઈક અધિક સમય સુધી આવું રહ્યું. _૨૬૮] એક વર્ષ અને કંઈક અધિક એક માસ સુધી ઇન્ડે આપેલ વસ્ત્રનો ત્યાગ ન કર્યો પછી વસ્ત્રને છોડી તે અણગાર સર્વથા અચેલક થઈ ગયા. [૨૬૯-૨૭૦] ભગવાન પોતાના શરીર પ્રમાણ આદિથી સાંકડા અને પછી પહોળા માર્ગને ઉપયોગપૂર્વક જોતા ઈયસિમિતિથી ચાલતા હતા. આ રીતે ગમન કરતાં ભગવાનને જોઇને ભયભિત થયેલા બાળકો ભેગા મળી “મારો' કહી અગર તો ધૂળ ફેંકી કોલાહલ કરતા હતા. ક્યારેક ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં રહેતા ત્યારે કામવિહ્વળ સ્ત્રીઓ ભોગની પ્રાર્થના કરતી પરંતુ ભગવાન તેઓને કલ્યાણમાર્ગમાં વિઘ્ન કરનાર જાણી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગી ક્યારે ભોગ નહિ કરતા. આત્માને વૈરાગ્યમાં લીન રાખી પ્રશસ્ત ધ્યાન કરતા હતા. [૭૧] ભગવાન ગૃહસ્થના સંપર્કને છોડી ધ્યાનમાં જ લીન રહેતા હતા. કોઈ ગૃહસ્થ કંઈ પૂછે તો ભગવાન ઉત્તર ન આપતા, મૌનમાં રહેતા અને પોતાના માર્ગ પર ચાલતા. આ રીતે સરળ ચિત્તવાળા પ્રભુએ ક્યારેય મોક્ષમાર્ગનું ઉલ્લંઘન કર્યું ન હતું. [૨૭૦-૨૭૩ પુણ્યહીન માણસો ભગવાનને ડંડાથી મારતા, વાળ આદિ ખેંચતા, તો પણ ભગવાન તેઓને કંઈ પણ ન કહેતા. મૌન ધારણ કરી સમભાવમાં જ સ્થિર રહેતા. દુસહ, કઠોર શબ્દાદિની પરવા ન કરતાં સંયમમાં પરાક્રમ કરતા હતા. તેમને કથા, નૃત્ય, ગીતાદિ સાંભળી કુતૂહલ થતું ન હતું તેઓ દડયુદ્ધ અને મુઠિયુદ્ધ જોઈ આશ્ચર્ય ન પામતા. કારણ કે સર્વ પ્રકારના કુતૂહલોને ભગવાને છોડી દીધા હતા. [૨૭] કોઈ વખતે કોઈ વ્યક્તિ પરસ્પર કામાદિની કથાઓમાં લીન હોય તો તેની વાત સાંભળી જ્ઞાતપુત્ર મહાવીર હર્ષ કે શોક ન કરતા મધ્યમ ભાવમાં રહેતા. અનુકૂળ, પ્રતિકૂળ ભયંકર પરીષહ આવે તો પણ તેનો વિચાર નહિ કરતાં સંયમમાં વિચરતા, [૨૭] દીક્ષાપૂર્વે બે વર્ષથી કંઈક અધિક સમય સુધી ભગવાને સચિત્ત જળનું પાન ન કર્યું, અને બીજા કામમાં પણ લીધું નહીં, ભગવાન ગૃહસ્થાવસ્થામાં પણ એકત્વભાવનાનું ચિંતન કરતા હતા. ક્રોધાદિ કષાય રૂપ અગ્નિને શાંત કરી, સમ્યકત્વની ભાવનાથી ભાવિત થઈ રહેતા હતા. તેમની ઇન્દ્રિયો અને મન શાંત હતા. Jain l eation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy