SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૫, ઉદેસો-૧ ૩૧૯ [૪૩] શકેન્દ્રની આત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ પાંચપલ્યોપમની અને ઈશાનેન્દ્રની આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ પાંચપલ્યોપમની છે. [૪૪૦] પાંચ પ્રકારના પ્રતિઘાત છે. - ગતિ પ્રતિઘાત - દેવાદિ ગતિઓનું પ્રાપ્ત ના થવું. સ્થિતિ પ્રતિઘાત - દેવાદિની સ્થિતિઓનું પ્રાપ્ત ન થવું. બંધન પ્રતિઘાત – પ્રશસ્ત ઔદારિકાદિ બંધનો પ્રાપ્ત ન થાય. ભોગપ્રતિઘાત – પ્રશસ્ત ભોગ-સુખ પ્રાપ્ત ન થવું. બલી-વીર્ય-પુરુષાકાર-પરાક્રમપ્રતિઘાત - બલ આદિ પ્રાપ્ત ન થવું. [૪૪૧] પાંચ પ્રારની આજિવિકા કહેલ છે. જેમકે- જાતિ આજિવિકા-પોતાની જાતિબતાવીને આજીવિકા કરવી. કુલઆજીવિકા - પોતાનું કુળ બતાવીને આજીવિકા કરવી. કર્મ આજીવિકા - કૃષિ આદિ કર્મ કરીને આજીવિકા કરવી. શિલ્પઆજિવિકા - વણાટ વિગેરે શિલ્પ કાર્ય કરીને આજીવિકા કરવી. લિંગ આજિવિકા - સાધુ આદિનો વેષ ધારણ કરીને આજીવિકા કરવી. [૪૨] રાજચિત પાંચ કહેલ છેઃ ખંણુ (તલવાર) છત્ર મુકૂટ મોજડી ચામર. [૪૪૩ પાંચ કારણોથી છવસ્થ જીવ ઉદયમાં આવેલા પરિષહો અને ઊપસર્ગોને સમભાવથી ક્ષમા કરે છે સમભાવથી સહન કરે છે, સમભાવથી તિતિક્ષા કરે છે, સમભાવથી નિશ્ચલ થાય છે અને સમભાવથી અવિચલિત રહે છે. તે કારણો આ છેકર્મોદયથી તે પુરૂષ ઉન્મત્ત જેવા થઈ ગયો છે તેથી મને આક્રોશ વચન બોલે છે. મારો ઉપહાસ કરે. મારા હાથ પકડીને ફેંકી દીએ છે. દુર્વચનોથી મારી નિર્ભત્સના કરે છે. મને રસ્સી આદિથી બાંધે છે. મને કારાગાર આદિમાં પુરે છે. મારા હાથાદિ શરીરના અવયવોને છેદે છે. મારી સામે ઉપદ્રવ કરે છે. મારા વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા રજોહરણ. છીનવી લે છે અથવા દૂર ફેંકી દે છે. મારા પાત્રોને તોડી દે છે મારા પાત્ર ચોરી લે છે. આ યક્ષાવિષ્ટ પુરુષ છે. તેથી આ મને આક્રોશ વચન બોલે છે. યાવતું મારું પાત્ર ચોરી લેય છે. આ ભાવમાં વેદવા યોગ્ય મારા કર્મઉદયમાં આવેલ છે. તેથી આ પુરુષ મને આક્રોશ વચન બોલે છે. યાવતુ મારું પાત્ર ચોરી લે છે. જો હું સમ્યક પ્રકારે સહન નહી કરે, ક્ષમા નહીં કરું, તિતિક્ષા નહીં કરું, નિશ્ચલ નહીં રહું તો શું થશે? કેવળ પાપ કર્મનો બંધ થશે. જો હું સમ્યક પ્રકારથી સહન કરીશ, નિશ્ચલ રહીશ. તો શું થશે ? મારા કર્મોની એકાંત નિર્જરા થશે. પાંચ કારણોથી કેવળી ઉદયમાં આપેલા પરિષહ અને ઉપસર્ગને સમભાવથી સહન કરે છે યાવતુ સમભાવથી નિશ્ચલ રહે છે. આ વિક્ષિપ્ત ચિત્ત પુરુષ છે. તેથી મને આક્રોશ વચન બોલે છે યાવતું મારું પાત્ર ચોરી લે છે. આ દપ્તચિત્ત છે તેથી મને આક્રોશ વચન બોલે છે. યાવતુ મારું પાત્ર આદિ ચોરી લે છે. આ યક્ષાવિષ્ય પુરષ છે તેથી મને આક્રોશ વચન બોલે છે. યાવતું મારું પાત્ર આદિ ચોરી લે છે. આ ભવમાં વેદવા યોગ્ય કર્મ મારા ઉદયમાં આવ્યા છે તેથી આ પુરુષ મને આક્રોશ વચન બોલે છે યાવત્ મારું પાત્ર આદિ ચોરી લે છે. મને સમ્યક પ્રકારથી સહન કરતાં, ક્ષમા કરતાં, તિતિક્ષા કરતાં અથવા નિશ્ચલ રહેતાં જોઇને અન્ય અનેક છઘ0 શ્રમણ નિગ્રંથો ઉદયમાં આવેલા પરિષહો અને ઉપસર્ગોને સમ્યક પ્રકારથી સહન કરશે. યાવતું - નિશ્ચલ રહેશે. ૪િ૪૪] પાંચ પ્રકારના હેતુઓ કહેલ છે. જેમકે- હેતુને જાણતો નથી, હેતુને દેખતો નથી, હેતુ પર શ્રદ્ધા કરતો નથી, હેતુને પ્રાપ્ત કરતો નથી, હેતુને જાણ્યા વિના અજ્ઞાન મરણે મારે છે. પાંચ પ્રકારના હેતુ કહેલ છે જેમકે- હેતુ વડે જાણતો નથી યાવત્ હેતુ વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy