SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આયારો-૧/૨/૬/૧૦૬ દુઃખ ઉત્પન્ન થવાના કારણો કહ્યા છે. તે દુખના કારણોથી છૂટવા માટે કુશળ સાધક પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા તેને છોડે છે. આ પ્રકારે દુખના કારણે કમને જાણી આસ્રવ દ્વારોમાં પ્રવૃત્તી ન કરે. જે પરમાર્થડ્રષ્ટા છે તે મોક્ષમાર્ગ સિવાય અન્યત્ર રમણ કરે નહિ. જે મોક્ષમાર્ગ સિવાય અન્યત્ર રમણ કરતાં નથી, તે પરમાર્થદ્રા છે. સાચા ઉપદેશક જેવો રાજાદિ શ્રીમંતોને ઉપદેશ આપે છે તેવો જ ઉપદેશ સામાન્ય રંકાદિને આપે છે. સામાન્ય રંકદિને જેવો ઉપદેશ આપે છે તેવો જ રાજા શ્રીમંતાદિને આપે છે. અન્યથા તેઓ ઉપદેશને સાંભળી, ક્રોધી બની ઉપદેશકને મારવા લાગે. ઉપદેશ દેવાની વિધિને જાણ્યા વિના ઉપદેશ આપવામાં કલ્યાણ નથી. આ પુરુષ કોણ છે? કયા દેવને નમસ્કાર કરે છે ? તેનો ક્યો ધર્મ અથવા કયો પંથ છે ? ઈત્યાદિ વાતોનો વિચાર કરી ઉપદેશ આપવો જોઈએ, એવા ઉપદેશથી સંસારના ઊર્ધ્વ, નીચા અને તિર્યભાગમાં રહેલા અને કર્મબંધનોથી બંધાયેલા જીવોને જે મુક્ત કરે છે તે જ પ્રશંસાને પાત્ર છે. તે વીર પુરુષ પોતાના જીવનમાં જ્ઞાન અને ક્રિયાને એવો સદ્વ્યવહાર કરે છે કે જેનાથી હિંસાજન્ય પાપથી લિપ્ત થતો નથી. જે કમને દૂર કરવામાં નિપુણ છે, કમોના બંધનથી મુક્ત થવાના ઉપાયને શોધનાર છે તે પંડિત છે. કુશળ પુરુષો મુક્ત પણ નથી અને બંધનમાં પણ નથી. [૧૧૭] કુશળ સાધક જે માર્ગ પર ચાલ્યા છે તે પર દરેકે ચાલવું જોઇએ અને જે માર્ગ પર તેઓ નથી ચાલ્યા તે પર ન ચાલવું જોઈએ. હિંસા અને હિંસાના કારણોને તથા લોકસંજ્ઞાને જાણીને સર્વથા ત્યાગ કરવો જોઈએ. [૧૦૮] પરમાર્થદર્શને ઉપદેશ આવશ્યક નથી. પરંતુ જે અજ્ઞાની છે. કામ ભોગોમાં આસક્ત છે. ભોગેચ્છા શાંત નહિ થવાના કારણે જે દુખી થઈ દુઃખોના ચક્રમાં ભમણ કરે છે, તેના માટે ઉપદેશ છે. એમ હું કહું છું. અધ્યયન ૨ ઉદેસો ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ , અધ્યયન ગર્જરછાયાપૂર્ણT ( અધ્યયનઃ ૩-શીતોષ્ણીય -: ઉદેસઃ૧ - [૧૦૯] અજ્ઞાની જન સદા સૂતેલા છે. જ્ઞાનીજન સદા જાગૃત રહે છે. [૧૧૦-૧૧૨] લોકમાં દુઃખનું કારણ અજ્ઞાન છે અને તે અહિતકત છે. સંસારના હિંસામય આચારને જાણી સંયમના બાધક હિંસાદિ શસ્ત્રોથી દૂર રહેવું જોઈએ. જે પુરુષ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શીને યથાર્થ રૂપે જાણી લીધા છે. તે જ આત્મસ્વરૂપનો જ્ઞાતા, જ્ઞાની, શસ્ત્રવેત્તા, ધર્મવેત્તા, અને બ્રહ્મજ્ઞાની છે. તે પોતાના જ્ઞાનબળથી સમગ્રલોકને જાણી લે છે. તે જ સાધુ છે. ધર્મને જાણનાર સરળદ્ભય મુનિ જન્મ-મરણના ચક્રનો અને વિષયાભિલાષાનો સંબંધ જાણે છે, સુખ, દુઃખની આશા નહિ રાખતા તે અપરિગ્રહી મુનિ સંયમમાં કઠિનતાનો અનુભવ કરતા નથી. તેવા મુનિ સદા જાગૃત રહે છે અને વેર-વિરોધથી દૂર રહે છે. હે વીર ! આ પ્રકારે તું પણ દુઃખોથી મુક્ત બની શકીશ. જે પ્રાણી જરા અને મૃત્યુના સપાટામાં સપડાયેલ છે અને તેનાથી સદા મૂઢ બનેલ છે તે પ્રાણી ધર્મને જાણતો નથી. ૧૧૩-૧૧૪] પ્રાણીઓને મોહથી વિહ્વળ જોઈ સાવધાન થઈ સંયમમાં પ્રવૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy