SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રતસ્કર-૨, અધ્યયન-૭, ઉદેસી-૨ ૧૦૧ તથા અનેક નાના ટુકડા કરેલ ન હોય, વિદારિત ન હોય તો પણ અપ્રાસુક જાણી ન લે. જે ફલ ઈંડાદિથી રહિત, જેના તિરછા ટુકડા કે અનેક નાના ટુકડા થઈ ચૂક્યા હોય, તથા ગોઠલા અલગ કર્યા હોય તેવા આમ્રફળ અચિત્ત તથા પ્રાસુક જાણી ગ્રહણ કરી શકે. સાધુ કે સાધ્વીને કદાચિતુ આમ્રફળનો અડધો ભાગ, ચીર-છાલ રસ ટૂકડા વગેરે ખાવાની ઈચ્છા થાય પણ તે સર્વ ઈડા, જલથી યુક્ત હોય તો ગ્રહણ ન કરી શકાય. સાધુ કે સાધ્વી કદાચિતુ કેરીની ચીરાદિ ખાવાની ઈચ્છા હોય અને તે ચીરાદિ ઈડાથી રહિત યાવતુ જાલાદિથી રહિત હોય, પરન્તુ છોલેલી કે સુધારેલી ન હોય તો તેને ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વીને કદાચિત આમ્રફળનો અડઘો ભાગ, ચીર-છાલ-૨સ-ટુકડા વગેરેને ખાવાની ઈચ્છા થાય પણ તે સર્વ ઈડાદિ યુક્ત હોય તો ગ્રહણ ન કરી શકાય. સાધુ -સાધ્વીને કદાચિત આમ્રફળનો અડધો ભાગ ચીર-છાલ-રસ-ટુકડો વગેરેને ખાવાની ઈચ્છા થાય અને તે ઈડાદિથી રહિત હોય, પરતું તેને બરાબર કાપી ન હોય તો તે અપ્રાસુક છે માટે ગ્રહણ ન કરાય. સાધુ-સાધ્વી જો સમજે કે પૂર્વોક્ત ટુકડાદિ થયેલ છે, ઈડાદિથી રહિત છે. તેથી ગ્રહણ કરવા યોગ્ય છે. એમ માની ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી શેરડીની વાડીમાં જવા ઈચ્છે તો માલિક કે વનપાળની રજા લે શેષ ઉપર પ્રમાણે. ત્યાં રહ્યા પછી શેરડી ખાવા-પીવા ઈચ્છે તો પહેલા ખ્યાલ કરે કે આ શેરડી ડાદિ થી યુક્ત છે, તેમજ વાંકી છેદાયેલી નથી, વગેરે ઉપર્યુક્ત પ્રમાણે. તે સાધુ-સાધ્વીને વળી શેરડીનો અંદરનો ભાગ, તેની ગાંઠ, છાલ, રસ, ટુકડા ખાવા પીવાની ઈચ્છા થાય તો ઈંડાદિયુક્ત હોઈ અશુદ્ધ જાણી ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વી શેરડીના અંદરના ભાગથી માંડી ગંડેરી સુધી સર્વ વિભાગો ઈંડાદિથી રહિત હોય પણ બરાબર કપાયેલા ન હોય તો ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વીને ઉપરની ચીજો બરાબર ઈડાદિથી રહિત તેમજ તિરછે છેદાયેલી પ્રાપ્ત થાય અને પ્રારુક અચિત્ત હોય તો ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી કદાચિતુ લસણની વાડીમાં રહેવા ઈચ્છે તો આજ્ઞા લઈને રહે અને લસણ ખાવા પીવાની ઈચ્છા થાયતો પહેલાની વિધિ મુજબ સમજી લેવું. કેવળ શેરડીનાસ્થાન પર 'લસણ' શબ્દ કહેવો. કોઈ સાધુ-સાધ્વીને લસણ, લસણની કળી, લસણના ફોતરા, લસણના ટુકડા, લસણના પાન, લસણના ફોતરા, લસણના ટુકડા, લસણના પાન, લસણનરસ ખાવા-પીવાની ઈચ્છા થાય અને ખબર પડે કે લસણ આદિ ઈડાદિ કે જીવજંતુમુક્ત છે તો ગ્રહણ ન કરે. એ જ પ્રમાણે ટુકડા કર્યા વિનાનું, કે છેદન ભેદનની ક્રિયા ન થઈ હોય તેવું પણ ગ્રહણ ન કરે. પરન્તુ ઈંડા આદિથી રહિત હોય, છેદન ભેદન થયેલ હોય, બિલકુલ અચિત્ત અને પ્રાસુક હોય તો ગ્રહણ કરે. [૪૫]ધર્મશાળાદિમાં અવગ્રહ ગ્રહણ કરીને સાધુ તથા સાધ્વી, ગૃહસ્થ કે ગૃહસ્થ-પુત્રાદિનાસંબંધથી ઉત્પન્ન થતા તથા આગળ કહેવામાં આવેલા દોષોથી બચે. અવગ્રહ ગ્રહણ કરવાની સાતપ્રતિજ્ઞાઓ છે. ધર્મશાળા આદિમાં વિચાર કરીને અવગ્રહ યાચે, જેટલા સમય માટે અધિકારીની આજ્ઞા હશે તેટલો સમય ત્યાં રહિશ તે પહેલી પ્રતિજ્ઞા છે. હું બીજા ભિક્ષુઓ માટે ઉપાશ્રયની આજ્ઞા માંગીશ અને તેઓ દ્વારા યાચેલા ઉપાશ્રયમાં રહીશ. તે બીજી પ્રતિજ્ઞા. કોઈ સાધુ આ રીતે અભિગ્રહ કરે છે. હું બીજા ભિક્ષુઓ માટે તો અવગ્રહ યાચીશ. પરંતુ તેઓએ યાચના કરેલ સ્થાનોમાં રહીશ નહી. આત્રીજી પ્રતિજ્ઞા. કોઈ સાધુ આ પ્રમાણે પણ અભિગ્રહ કરે છે. હું બીજા ભિક્ષુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy