SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ આયારો- રો\/૪૯૨ ત્યારે હાથ લાંબો કરી ઘરતી પર મૂકે અને કહે કે આ ચીજ તમારી છે પરંતુ તે વસ્તુ પોતાના હાથથી ગૃહસ્થના હાથમાં ન સોંપે. ૪િ૯રસાધુ કે સાધ્વી, જે ઉપાશ્રય સચિત્ત પૃથ્વીપાણી-જીવ-જંતુયુક્ત જણાય તેને ગ્રહણ ન કરે. જે ઉપાશ્રય સ્થંભઆદિ ઉપર તેમજ વિષમ સ્થાનવાળો હોય તો યાચે નહીં. જે ઉપાશ્રય કાચી દીવાલવાળો હોય તે પણ યાચે નહીં. જે ઉપાશ્રય સ્થંભ કે ઉંચા સ્થાન ઉપર બંધાયેલ હોય અને બીજું સ્થાન પ્રાપ્ત થાય તેમ હોય તો તેવા સ્થાનને પણ ન યાચે. જે ઉપાશ્રય ગૃહસ્થોથી યુક્ત, અગ્નિ કે જલથી યુક્ત, સ્ત્રી, બાળક, પશુઓથી યુક્ત, તથા તેઓના યોગ્ય ભોજન-પાનથી ભર્યો હોય, બુદ્ધિમાન સાધુ માટે ત્યાં આવાગમન કરવું યોગ્ય ન હોય કે ધર્મધ્યાન-આત્મચિંતનને માટે અયોગ્ય હોય તો આવા ગૃહસ્થના નિવાસવાળા સ્થાનને ન યાચે. સાધુ કે સાધ્વી મકાનના વિષયમાં એમ જાણે કે આ સ્થાનમાં અવરજવર કરવાનો માર્ગ ગૃહસ્થના મકાનની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે. તે માર્ગે ચાલવું વિવેકી પુરૂષોને યોગ્ય નથી. તો આવું સ્થાન યાચે નહી, બીજાને પણ અપાવે નહીં. જે સ્થાનમાં ગૃહપતિથી માંડી દસ ધસીઓ પરસ્પર ઝગડતાં હોય, અથવા તેલાદિનું માલિશ કરતા હોય, સ્નાનાદિ કરતાં હોય શરીર, ધોતા હોય કે નગ્ન થઈ ક્રીડા કરતા હોય, એવા ઉપાશ્રયની સાધુ કે સાધ્વી યાચના ન કરે. ઈત્યાદિ કથન શય્યા-અધ્યયનની જેમ સમજવું. શવ્યાના સ્થાને અહીં અવગ્રહ શબ્દ કહેવો. જે ઉપાશ્રય વિકૃતિ ઉત્પન્ન કરનાર ચિત્રોથી ચિત્રિત હોય, ધર્મધ્યાન કરવા યોગ્ય ન હોય તેની પણ યાચના ન કરે. આ સાધુ -સાધ્વીનો અવગ્રહ સંબંધી આચાર છે. મુમુક્ષુ, મુનિ સંપૂર્ણ પાલન કરી સંયમમાં યતનાવાતુ બને. | અધ્યયનઃ૭-ઉદેસો ૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૭-ઉસોઃ ૨) [૪૯૩સાધુ ધર્મશાળાદિ સ્થાનમાં જઈ અવગ્રહની યાચના કરે. તે સ્થાનોના સ્વામી કે અધિષ્ઠાતાને યાચના કરતાં કહે કે- અમે અહીં રહેવાની આજ્ઞા ઈચ્છિાએ છીએ. આપ જેટલા સમય સુધી, જેટલા ક્ષેત્રની આજ્ઞા આપશો તેટલો સમય તેટલા ક્ષેત્રમાં રહીશું. અમારા જે સાધર્મિક સાધુઓ આવશે તેઓ પણ આ સ્થાનનો ઉપયોગ કરશે. ત્યાર પછી અમે વિહાર કરી જઈશું. અવગ્રહ લીધા પછી શું કરે ? જે સ્થાનમાં રહેવાની આજ્ઞા પ્રાપ્ત થાય તે સ્થાનમાં રહેલા શ્રમણ, બ્રાહમણ આદિના છત્ર, પાત્ર, વસ્ત્ર, આસન, મંડળ, ચર્મ કાપવાના હથિયાર ઈત્યાદિ કોઈપણ ઉપકરણો પડ્યા હોય તેને અંદરથી બહાર કાઢે નહીં ને બહારથી અંદર લઈ જાય નહીં. સૂતેલા શ્રમણાદિ ને ગાડે નહીં. તેમજ તેઓ સાથે અપ્રિતિજનક અથવા પ્રતિકૂલ વર્તન કરે નહી. [૪૯]જે કોઈ સાધુ કે સાધ્વી આમ્રવનમાં રહેવા જાય તો તેના સ્વામી કે વનપાળ પાસે યાચના કરતા કહે કે- હે આયુષ્યન ગૃહસ્થ ! અમે અહીં રહેવા ઈચ્છીએ છીએ. જેટલા સમયની આજ્ઞા આપશો તેટલા સમય રહી વિહાર કરીશું. આ રીતે આજ્ઞા પ્રાપ્ત થાય ત્યારે નિવાસ કરે. ત્યાં નિવાસ કર્યા પછી શું કરે? આમ્રફલ ઈડા, બીજ, લીલી વનસ્પતિ, સચિત્ત માટી, પાણી, જાળા, નાનામોટા જીવજન્તુથી યુક્ત જાણે તેને ગ્રહણ ન કરે. કદાચ તે ફળ ઈડાદિથી રહિત, હોય પરન્તુ તિચ્છ ટુકડા કરેલ ન હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy