SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૪ ૧૫ પ્રકૃત્તિ જેને કર્મગ્રંથકારો સપ્ત કહે છે. તેનો સર્વથા ક્ષય થતા ઉત્પન્ન થયેલ ક્ષાયિક ભાવનું કેવળ-સમ્યકત્વ-અર્થાત્ સાયિક સમ્યગદર્શન અહીં ગ્રહણ કરવું-મોક્ષમાં પણ આ સાયિક સમ્યક્તનો સદ્ભાવ કહ્યો છે. જ વેરાન - સમસ્ત જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી નિરાવરણ થતું સાયિકભાવનું સંપૂર્ણ જ્ઞાન. તેનો પણ મોક્ષમાં સદ્ભાવ હોય છે. જ સ્વર-ગોપનાવરક્ષયાતુક્ષયનમ્ અર્થાસંપૂર્ણદર્શનાવરણ કર્મના ક્ષયથી ક્ષાયિક ભાવે ઉત્પન્ન થાય તે કેવળદર્શન. તેનો મોક્ષમાં સદ્ભાવ હોય છે. * સિદ્ધત્વ -સઘળા કર્મનાક્ષયથી ઉત્પન્ન થતું જીવનું કર્મમુક્ત સ્વરૂપ,તેને સિધ્ધત્વ કહે છે. તેનો પણ મોક્ષમાં સદ્ભાવ હોય છે. જ ભાષ્યાનુસાર-સંકલિત અર્થ સાયિક સમ્યક્ત,કેવળજ્ઞાન,કેવળદર્શન અને સિધ્ધત્વ એટલા ભાવોને બાદ કરતા, બાકીના ઔપશમિક આદિ ભાવ અને ભવ્યત્વનો અભાવ થવાથી મોક્ષ થાય છે. જ સારાંશ - નિમ્નોકત મુદ્દામાં સારાંશ રજૂ કરેલ છે. (૧)ઔપથમિક,લાયોપથમિક અને ઔદયિકજિનું વર્ણન આ પૂર્વેગ.ર-પૂ.૩,૫,૬ માં થયેલું છે.] આત્રણે ભાવોનોમોલમાં સર્વથા અભાવ થાય છે. કેમકે આ ત્રણે ભાવોકર્મજન્ય છે. (૨)પારિણામિક ભાવમાં ભવ્યત્વનો અભાવ થાય છે. એમ કહ્યું તેનો અર્થ એમ કરવો કે સર્વપારિણામિક ભાવોનો મોક્ષમાં અભાવ થતો નથી. જીવત્વ,અસ્તિત્વ,અનાદિત આદિ બીજા પરિણામિક ભાવો મોક્ષ અવસ્થામાં પણ હોય છે. જો સૂત્રકારને સર્વપારિણામિક ભાવો ની નિવૃત્તિ ઈષ્ટ હોત તો તેઓ એ ભવ્યત્વ માવ'' એવું જુદું વિધાન કરવું જ ન પડત. કેમ કે ગૌપશમિ-ગાદ્રિ શબ્દોથી સર્વ પારિણામિક ભાવોનું ગ્રહણ થઈ જાત. (૩)સાયિક ભાવનોતો બિલકુલ અભાવ થતો નથી. જો કે ક્ષાયિક ભાવમાં કર્મસાપેક્ષતા તો છે જ, પરંતુ તે ક્ષાયિક હોવાથી તેનો મોક્ષમાં પણ અભાવ થતો નથી, તે સૂચવવા માટે જ સૂત્રકારે અહીં-ક્ષાયિક સમ્યક્ત,કેવળજ્ઞાન,કેવળદર્શન,સિધ્ધત્વ વગેરેના અભાવનું વર્જન કરેલ છે. અર્થાત આ ક્ષાયિક ભાવોના સદૂભાવનું કથન, કરેલ છે. (૪)જો કે સૂત્રકારે-સૂત્રમાં ક્ષાયિક વિર્ય,ક્ષાયિક ચારિત્ર,સાયિક સુખ,આદિ ભાવોનું વર્જન કરેલ નથી. છતાં ક્ષાયિક સમ્યક્ત આદિની માફક આ ક્ષાયિક ભાવોનું પણ વર્જન સમજી લેવું કેમ કે તે-તે ભાવોને પણ સિધ્ધત્વની સાથે અંતભૂત સમજી જ લેવાના છે. ટૂંકમાં ક્ષાયિક ભાવનો મોક્ષમાં સદ્ભાવ હોય છે, અભાવ થતો નથી. આ રીતે-સાયિક સમ્યક્ત આદિ શાયિક ભાવો, ભવ્યત્વ સિવાયના યથાયોગ્ય પારિણામિક ભાવો સિવાયના ઔપશમિકાદિસભાવોનોઅભાવ થતા જીવમોક્ષને પ્રાપ્ત કરે છે- મુકત બનેછે. U [8] સંદર્ભઃ # આગમ સંદર્ભઃ- વંળધરે...વળUTUાવળે... વીણવંસMવર..રવી વેક્નિ ...રવીળમોન્ને. વળી ... વીણનામે..રવીણો.રવીણ સંતરા...સિવુ મુજે.. અનુયો. પૂ. ૬૨૬-૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005040
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy