SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૦ प्रायो बाहुल्येन चित्तविशुध्धिहेतुत्वात् प्रायश्चित्तम् । જ વિનય - # જ્ઞાન આદિ સદ્ગુણો વિશે બહુમાન રાખવું તે વિનય'. ૪ ગુણ અને ગુણી પ્રત્યે આશાતાના ના ત્યાગ ભાવપૂર્વક બહુમાન તે વિનય. ૪ ગુણવંતની ભકિત-બહુમાન કરવું અથવા આશાતાના ન કરવી તે વિનય. જે ચારભેદે હવે પછીના સૂત્ર માં કહેવાશે. # મોક્ષાનુફળ જ્ઞાન અને ઉચિત પ્રવૃત્તિ, તેના આચરનારા અને તેના સાધનો તરફ બહુમાન, અને તે સૂચવનારી પ્રવૃત્તિઓને વિનય કહેવામાં આવે છે. र विनीयते येनाष्ट प्रकारं कर्म-अपनीयते स विनय: જ વૈયાવૃત્યજ યોગ્ય સાધનો પૂરા પાડીને પોતાની જાતને કામમાં લાવીને સેવા વગેરે કરવાતે વૈયાવૃત્ય. ૪ આચાર્ય આદિ મહાપરુષોની સેવા એ વૈયાવૃત્ય કે વૈયાવચ્ચ કહેવાય છે. જેના દશ ભેદો હવે પછીના સૂત્રમાં સૂત્રકારે પોતે જ જણાવેલા છે. ૪ આચાર્યાદિદશેનું યથાયોગ્ય આહાર,વસ્ત્ર,વસતિ, ઔષધ, પાત્ર, આજ્ઞાપાલન, ઇત્યાદિથી ભકિત-બહુમાણ કરવું તે વૈયાવૃત્ય. # વૈયાવૃત્ય પણું, શાસ્ત્રના ઉપદેશે કરીને દોષોથી દૂર થઇ,સેવા-ભકિતની પ્રવૃત્તિ કરવી તે વૈયાવૃત્ય કે વૈયાવચ્ચ. 4 श्रुतोपदेशेन व्यावृत्तो - व्यग्रस्तद्भावो वैयावृत्त्यम् જ વિનય-વૈયાવૃત્યમાં તફાવતઃવિનયમાં હાર્દિક પરિણામ [આદર-બહુમાનની પ્રધાનતા છે જયારે વૈયાવૃત્યમાં બાહ્ય કાયચેષ્ટાની અને આહાર આદિ દ્રવ્યની પ્રધાનતા છે. વૈયાવૃત્ય શબ્દ વ્યાવૃત્ત ઉપરથી બનેલો છે વ્યાવૃત્ત એટલે વ્યાપારમાં પ્રવૃત્ત. વ્યાવૃત્ત ભાવ-પરિણામતે વૈયાવૃત્ય અર્થાત્ આચાર્ય આદિની સેવા માટે જિનોકત શાસ્ત્રાનુસારે તે તે ક્રિયામાં પ્રવૃત્તિ તે વૈયાવૃત્ય. * સ્વાધ્યાય# જ્ઞાન મેળવવા માટે વિવિધ પ્રકારનો અભ્યાસ કરવો તે સ્વાધ્યાય. # કૃતનો અભ્યાસ તે સ્વાધ્યાય, જે વાચનાદિ પાંચ ભેદે કહેવાયેલો છે, જેનું વર્ણન હવે પછીના સૂત્ર માં સૂત્રકારે પોતે જ કરેલું છે. $ વાચના,પૃચ્છના,પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથાએજસ્વાધ્યાયનામનોતપજાણવો. જે યોગ્ય સમયે વિધિપૂર્વકપઠન પાઠન વગેરે કરવું અને અયોગ્ય સમયેન પણ કરવું તે સ્વાધ્યાય છે. + सुष्ठु मर्यादया कालवेलापरिहारेण पौरुष्यपेक्षया वाऽध्यायःस्वाध्यायः જ વ્યુત્સર્ગઃ - # અહત્વ અને મમત્વ નો ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ. જે વ્યુત્સર્ગ એટલે ત્યાગ સાધનામાંવિદભૂત કેબિનજરૂરી વસ્તુનો ત્યાગ એ વ્યત્સર્ગછે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy